એપશહેર

સુશાંતના આપઘાત મામલે FIR થતાં રિયાએ રોક્યા દેશના સૌથી મોંઘા વકીલ

સુશાંત સિંહ રાજપૂતના પિતાએ રિયા ચક્રવર્તી સામે કેસ દાખલ કરાવ્યા બાદ રિયાએ પોતાની સુરક્ષા માટે દેશના સૌથ મોટા વકીલને હાયર કર્યા છે. જે સલમાન ખાન અને સજંય દત્તનો પણ કેસ લડી ચૂક્યા છે. અહેવાલ મુજબ આજે રિયા વચગાળાના જામીન માટે અરજી કરી શકે.

TNN 29 Jul 2020, 2:27 pm
મુંબઈ: સુશાંતસિંહ રાજપૂતના પિતા કે.કે.સિંહે રિયા ચક્રવર્તી વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. તાજેતરના અપડેટ મુજબ, રિયાએ પોતાની સુરક્ષા માટે દેશના સૌથી મોટા વકીલને હાયર કર્યા છે. દિલ્હી સ્થિત વકીલ માનેશીંદે અગાઉ બોલીવુડના અભિનેતા સલમાન ખાન અને સંજય દત્તનો કેસ લડી ચૂક્યા છે. ટાઇમ્સ નાઉ સાથે વાત કરતાં સુશાંત પરિવારના વકીલ વિકાસસિંહે ખુલાસો કર્યો હતો કે, તેઓને રિયા ચક્રવર્તીની સપ્તાહના અંત સુધી ધરપકડ થવાની અપેક્ષા છે.
I am Gujarat 8
રિયા ચક્રવર્તી આજે વચગાળાના જામીન માટે અરજી કરી શકે- ફાઈલ તસવીર


રિયા આજે વચગાળાના જામીન માટે અરજી કરી શકે
સુશાંતના મોતની તપાસમાં નવો વળાંક આવ્યો છે. સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી સામે ગંભીર કલમોમાં કેસ કર્યો છે. તેમનો આરોપ છે કે રિયાએ સુશાંતને જ આત્મહત્યા માટે ઉશ્કેર્યો હતો. રિયાએ વકીલ માનેશિંદેને હાયર કર્યા હોવાનું જાણવા મળ્યું છે. માનેશિંદે સલમાન ખાનના 1998ના બ્લેકબક અને સંજય દત્તના 1993ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં વકીલ રહી ચૂક્યા છે. આજે રિયા વચગાળાના જામીન માટે અરજી કરી શકે છે.

મંગળવારે રિયાના ઘરે જોવા મળ્યો હતો વકીલ
અહેવાલો મુજબ, જુનિયર વકીલ આનંદિની ફર્નાન્ડિઝ રિયાના ઘરની બહાર દેખાયો હોવાથી માનેશિંદેએ મંગળવારે આગોતરા જામીન માટેના કાગળો પર હસ્તાક્ષર કર્યા હતા. સુશાંતના પિતાએ પણ 7 પાનાની એફઆઈઆરમાં સુશાંતના ખાતામાંથી 15 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવા અંગે લખ્યું છે. તેમણે લખ્યું છે કે રિયા અને તેના પરિવારે જાણી જોઈને સુશાંતને માનસિક બીમાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો