બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ડ્રગ્સ એંગલને લઈને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) તપાસ કરી રહ્યું છે. એનસીબીની ટીમે સુશાંતની પૂર્વ બિઝનેસ મેનેજર શ્રુતિ મોદી અને જયા શાહને બુધવારે પૂછપરછ કરવા માટે સમન મોકલ્યું હતું. એનસીબીએ મંગળવારે એ વાતની જાણકારી આપી હતી.
રિયાની પૂછપરછમાં આવ્યું જયા અને શ્રુતિનું નામ
એક રિપોર્ટ અનુસાર રિયા ચક્રવર્તીની પૂછપરછમાં જયા શાહ અને શ્રુતિ મોદીનું નામ સામે આવ્યું હતું. તો, ઈડીની તપાસમાં પણ બન્નેના નામ સામે આવ્યા હતાં. રિયાની જયા શાહ સાથે ડ્રગ્સ ચેટ્સ પણ ઈડીને મળી હતી.
જયા શાહે માની હતી સીબીડી ઓઈલ સેવનની વાત
નોંધનીય છે કે જયા શાહ ઈડી પૂછપરછમાં પણ કબૂલ કર્યું હતું કે તે પોતે સીબીડી ઓઈલનું ન માત્ર સેવન કરતી હતી પરંતુ તેણે સુશાંત સિંહ રાજપૂતને લઈને તણાવ દૂર કરવા માટે સીબીડી ઓઈલનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.
કુલ 18 લોકોની ધરપકડ
નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂત કેસમાં એનસીબીએ ઝડપથી કાર્યવાહી કરતા ડ્રગ્સની લે-વેચ માટે રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ શૌવિક ચક્રવર્તી સહિત અનેક લોકોની ધરપકડ કરી છે. અત્યાર સુધી 18 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.
ડ્રગ એંગલને લઈને ચાલી રહી છે તપાસ
ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂત મામલે ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ બ્યૂરો (એનસીબી)એ કન્ફર્મ કર્યું છે કે, રિયા ચક્રવર્તીએ ડ્રગ એંગલને લઈને આપેલા પોતાના સ્ટેટમેન્ટમાં સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહનું નામ લીધું છે. રિપોર્ટ મુજબ, ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા બીજા પણ મોટા નામ સામે આવ્યા છે. જોકે, ટીમને આગળ વધવા માટે ઘણું ઈન્વેસ્ટિગેશન કરવું પડશે. જણાવાઈ રહ્યું છે કે, એ-લિસ્ટર્સ ઉપરાંત એનસીબી ઘણી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ અને ઈવેન્ટ મેનેજર્સની પણ પૂછપરછ કરશે, કે જ ડ્રગ્સના ઉદ્દેશ્યથી જ પાર્ટીઓ ઓર્ગેનાઈઝ કરતા હતા. જણાવી દઈએ કે આ પહેલા રિયા ચક્રવર્તીની ગત સપ્તાહે એનસીબીએ ધરપકડ કરી હતી. મુંબઈની સ્પેશ્યલ કોર્ટે શુક્રવારે તેની જામીન અરજી ફગાવી દીધી હતી.
રિયાની પૂછપરછમાં આવ્યું જયા અને શ્રુતિનું નામ
એક રિપોર્ટ અનુસાર રિયા ચક્રવર્તીની પૂછપરછમાં જયા શાહ અને શ્રુતિ મોદીનું નામ સામે આવ્યું હતું. તો, ઈડીની તપાસમાં પણ બન્નેના નામ સામે આવ્યા હતાં. રિયાની જયા શાહ સાથે ડ્રગ્સ ચેટ્સ પણ ઈડીને મળી હતી.
જયા શાહે માની હતી સીબીડી ઓઈલ સેવનની વાત
નોંધનીય છે કે જયા શાહ ઈડી પૂછપરછમાં પણ કબૂલ કર્યું હતું કે તે પોતે સીબીડી ઓઈલનું ન માત્ર સેવન કરતી હતી પરંતુ તેણે સુશાંત સિંહ રાજપૂતને લઈને તણાવ દૂર કરવા માટે સીબીડી ઓઈલનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.
કુલ 18 લોકોની ધરપકડ
નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂત કેસમાં એનસીબીએ ઝડપથી કાર્યવાહી કરતા ડ્રગ્સની લે-વેચ માટે રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ શૌવિક ચક્રવર્તી સહિત અનેક લોકોની ધરપકડ કરી છે. અત્યાર સુધી 18 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.
ડ્રગ એંગલને લઈને ચાલી રહી છે તપાસ
ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂત મામલે ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ બ્યૂરો (એનસીબી)એ કન્ફર્મ કર્યું છે કે, રિયા ચક્રવર્તીએ ડ્રગ એંગલને લઈને આપેલા પોતાના સ્ટેટમેન્ટમાં સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહનું નામ લીધું છે. રિપોર્ટ મુજબ, ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા બીજા પણ મોટા નામ સામે આવ્યા છે. જોકે, ટીમને આગળ વધવા માટે ઘણું ઈન્વેસ્ટિગેશન કરવું પડશે. જણાવાઈ રહ્યું છે કે, એ-લિસ્ટર્સ ઉપરાંત એનસીબી ઘણી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ અને ઈવેન્ટ મેનેજર્સની પણ પૂછપરછ કરશે, કે જ ડ્રગ્સના ઉદ્દેશ્યથી જ પાર્ટીઓ ઓર્ગેનાઈઝ કરતા હતા. જણાવી દઈએ કે આ પહેલા રિયા ચક્રવર્તીની ગત સપ્તાહે એનસીબીએ ધરપકડ કરી હતી. મુંબઈની સ્પેશ્યલ કોર્ટે શુક્રવારે તેની જામીન અરજી ફગાવી દીધી હતી.