એપશહેર

સુશાંતના મોતથી દુ:ખી 11 વર્ષના બાળકે કરી લીધી આત્મહત્યા

Shailesh Thakkar | I am Gujarat 20 Jun 2020, 11:31 pm
સુશાંત સિંહ રાજપૂતનું મોત લોકોના દિલ-દિમાગ પર ઊંડો ઘા છોડી ગયું છે. એક્ટરના નિધનથી આખો દેશ દંગ છે અને તેના ફેન્સને હજુ પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે, સુશાંત હવે આ દુનિયામાં નથી. બીજી તરફ સુશાંતના મોતથી આઘાત પામેલા ફેન્સના મોતના સમાચાર પણ આવી રહ્યાં છે. હવે 11 વર્ષના એક બાળકે ફાંસી લગાવી જીવન ટૂંકાવી લીધું.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મોતથી ડઘાયેલા 11 વર્ષના બાળકે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. જણાવી દઈએ આના પહેલા પણ ઘણા આત્મહત્યાના કેસ સામે આવી ચૂક્યા છે.વિશાખાપટ્ટનમ અને અંદમાનમાં થઈ આત્મહત્યાઆના પહેલા વિશાખાપટ્ટનમમાં 21 વર્ષની એક મહિલા સુસાઈડ કરી લીધું હતું. રિપોર્ટ્સ અનુસાર, તે સુશાંત સિંહના મોતના સમાચારથી ખૂબ જ નિરાશ હતી. અંદમાનના પોર્ટ બ્લેયરમાં 15 વર્ષની કિશોરીએ પણ પોતાના ઘરમાં ફાંસીથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી. મૃતકાએ કોઈ સુસાઈડ નોટ નહોતી છોડી પણ પોલીસને તેની ડાયકી મળી હતી જેમાં સુશાંત સિંહ વિશે ઘણા ચર્ચા કરેલી હતી.ઉત્તર પ્રદેશ અને બિહારથી સામે આવી ઘટનાઓઉત્તર પ્રદેશના બરેલીમાં પણ એક સ્કૂલ બૉય મૃત હાલતમં મળી આવ્યો હતો. તેના પરિવારે જણાવ્યું કે, છોકરાએ પોતાના ભાઈને કહ્યું હતું કે, જો સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કરી શકે તો તે પણ આવું કરી શકે છે. બીજી તરફ પટનામાં ફાંસી લગાવીને આત્મહત્યા કરનારી 17 વર્ષની કિશોરી પણ સુશાંતના મોતના સમાચારથી દુ:ખી હતી. તે 10મા ધોરણમાં ખરાબ રિઝલ્ટ આવવાને કારણે ડિપ્રેશનમાં હતી.14 જૂને સુશાંતે કરી આત્મહત્યાજણાવી દઈએ કે, સુશાંતે 14 જૂનના રોજ મુંબઈમાં બાન્દ્રા સ્થિત પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, સુશાંત છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતો અને દવાઓ લઈ રહ્યો હતો. પોલીસ આ મામલે અત્યાર સુધી 16 લોકોના નિવેદન નોંધી ચૂકી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો