એપશહેર

સુશાંતે રિયાના ભાઈ શૌવિકના ખાતામાં કેમ મોકલ્યા હતા રૂપિયા?

મોતના થોડા દિવસો પહેલા જ પોતાનું એકાઉન્ટ બંધ કરવા ઈચ્છતો હતો સુશાંત સિંહ રાજપૂત, ટૂકડે-ટૂકડે ટ્રાન્સફર કરવામાં આવ્યા રુપિયા

I am Gujarat 7 Aug 2020, 11:35 pm
સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. હવે આ ઘટનાની તપાસ સીબીઆઈ કરી રહી છે અને બીજી બાજુ મની લોન્ડ્રિંગના શકના કારણે ઈડી પણ તપાસ કરી રહી છે. રિયા ચક્રવર્તી પોતાના ભાઈ શૌવિક ચક્રવર્તી સાથે શુક્રવારે પૂછપરછ માટે ઈડી ઓફિસ પણ પહોંચી હતી. હવે જાણકારી સામે આવી છે કે સુશાંત સિંહ રાજપૂતના ખાતામાંથી શૌવિક ચક્રવર્તીના ખાતામાં રુપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતાં.
I am Gujarat sushant singh rajput transferred money to the account of showik chakraborty
સુશાંતે રિયાના ભાઈ શૌવિકના ખાતામાં કેમ મોકલ્યા હતા રૂપિયા?


ટૂકડે ટૂકડે થયા અનેક ટ્રાન્ઝેક્શન
અમારા સહયોગી ચેનલ ટાઈમ્સ નાઉ પાસે શૌલિક ચક્રવર્તીનું બેંક સ્ટેટમેન્ટ છે. જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે સુશાંત સિંહ રાજપૂતે શૌવિકના ખાતામાં અનેકવાર રુપિયા ટ્રાન્સફર કર્યા હતાં. સુશાંતના ખાતામાંથી ક્યારેય મોટું ટ્રાન્ઝેક્શન નથી થયું પરંતુ ટૂકડે ટૂકડે અનેક ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતાં. સુશાંતના ખાતામાંથી સૌથી મોટું ટ્રાન્ઝેક્શન 40000 રુપિયાનું 10 જૂન, 2019ના રોજ કરવામાં આવ્યું હતું.

રિયાના રોકાણ વિશે પ્રવર્તી રહી છે શંકા
સુશાંત સિંહ રાજપૂતે પોતાની મોતના થોડા દિવસો પહેલા બેંકને પોતાનું ખાતું બંધ કરવા માટે કહ્યું હતું અને તે નવું ખાતું ખોલવા માટે કહેતો હતો. આ જાણકારી સુશાંતની ફેમિલીએ બિહાર પોલીસને આપી હતી. નોંધનીય છે કે શૌવિક ચક્રવર્તી વિશે એવું કહેવાય છે કે તે સુશાંત સિંહ રાજપૂતની કંપનીમાં ભાગીદાર રહી ચૂક્યો છે. સુશાંતની બનાવેલી 3 કંપનીઓમાંથી 2 કંપનીઓમાં રિયા ડિરેક્ટરની પોસ્ટ પર હતી જ્યારે એક કંપનીમાં શૌવિક ડિરેક્ટર તરીકે હતો. આ કંપનીઓમાં સુશાંતે જીવનભરની કમાણીનો એક મોટો ભાગ રોકાણ તરીકે રાખ્યો હતો. જ્યારે રિયાના આ કંપનીઓમાં રોકાણ વિશે શંકા છે.

પોલીસ અધિકારીના સંપર્કમાં હતી રિયા
રિયા ચક્રવર્તીની સીડીઆર ડિટેલ્સ પણ સામે આવી ચૂકી છે. જેથી સાબિત થઈ રહ્યું છે કે તે બાંદ્રાના ડીસીપી અભિષેક ત્રિમુખેના સંપર્કમાં હતી. ડિટેઈલ્સમાં એ વાત પણ સામે આવી છે કે રિયા અને મુંબઈ પોલીસના આ અધિકારી વચ્ચે ચાર કોલ અને 1 એસએમએસ થયો હતો.

બીજી વાર પૂછપરછની શક્યતા
આ બાજુ, ઈડી ઓફિસમાં થયેલી પૂછપરછ માટે પહોંચેલી રિયા ચક્રવર્તીએ અધિકારીઓના સવાલના જવાબ ન આપ્યા અને તેમને કહ્યું હતું કે માહિતી યાદ નથી. તેણે અનેક સવાલોના જવાબ આપવા માટે આનાકાની કરી હતી. બીજી બાજુ તેને ફરી પૂછપરછ માટે બોલાવી શકાય તેવી શક્યતા છે.

Read Next Story