એપશહેર

સુશાંત કેસ: CBIએ રિયા ચક્રવર્તી સહિત 6 સામે નોધી FIR

સુશાંત સિંહ રાજપૂતની મોતના મામલાની તપાસ ગુજરાત કેડરના અધિકારી મનોજ શશિધરની આગેવાનીમાં કરવામાં આવશે અને ડીઆઈજી ગગનદીપ સિંહ તપાસ પર નજર રાખશે. તપાસ માટે અનિલ યાદવને ઈન્વેસ્ટિગેશન ઓફિસર નિયુક્ત કરાયા છે.

I am Gujarat 6 Aug 2020, 9:03 pm
સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલે સીબીઆઈએ કેન્દ્રનો નિર્દેશ મળ્યા બાદ કેસ નોંધી લીધો છે અને તપાસ પોતાના હાથમાં લઈ લીધી છે. સીબીઆઈએ રિયા ચક્રવર્તી, ઈન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સેમુઅલ મિરાંડા, શ્રુતિ મોદી અને અન્ય સામે FIR નોંધી છે. તો, સીબીઆઈ બિહાર પોલીસના સંપર્કમાં છે.
I am Gujarat Sushant Singh Rajput


સુશાંત મામલાની તપાસ અલગ ટીમ કરશે, તેના માટે એસઆઈટી બનાવાઈ રહી છે. ગુજરાત કેડરના અધિકારી મનોજ શશિધરની આગેવાનીમાં મામલાની તપાસ કરાશે અને ડીઆઈજી ગગનદીપ ગંભીર તપાસ પર નજર રાખશે. તપાસ માટે અનિલ યાદવને ઈન્વેસ્ટિગેશન ઓફિસર (IO) નિયુક્ત કરાયા છે. તો, ઈડી 7 ઓગસ્ટે રિયા ચક્રવર્તીની પૂછપરછ કરશે.

આ પણ વાંચો: સામે આવી સુશાંતના કોલ રેકોર્ડની માહિતી, 8-14 જૂન વચ્ચે આ લોકો સાથે થઈ હતી વાત

બીજી તરફ બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ ન્યૂઝ ચેનલ આજતક સાથે વાત કરતા કહ્યું કે, દિશા સાલિયાનના મોતને સુશાંત સિંહ રાજપૂતના કેસ સાથે સીધું કનેક્શન છે. તે ઉપરાંત ગુપ્તેશ્વર પાંડેએ બિહાર પોલીસની સાથે મુંબઈમાં થયેલી વર્તન સામે ભારે નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, બિહાર પોલીસ પોતાનું કામ કરવા માટે મુંબઈ ગઈ હતી. તેમણે કહ્યું કે, તેમના અધિકારી તપાસ માટે મુંબઈ ગયા હતા, તેમને ક્વોરન્ટાઈ કરી દેવાયા. દરરોજ હજારો લોકો મુંબઈ પહોંચે છે, કેટલા લોકોને તમે ક્વોરન્ટાઈન કરો છો. આ કેવું વલણ છે. મુંબઈમાં સીધઈ રીતે તપાસમાં અડચણ ઊભી કરવાનો પ્રયાસ કરાયો, જે તદ્દન ખોટું છે.

આ પણ વાંચો: સુશાંતના કેસમાં નવો વળાંક, સામે આવી ફેમિલીની વ્હોટ્સએપ ચેટ

ઉલ્લેખનીય છે કે, સુશાંતના પિતા કેકે સિંહે રિયા ચક્રવર્તી સામે પટણામાં ફરિયાદ નોંધાવી હતી, તે પછી બિહાર પોલીસ મામલાની તપાસ કરવા મુંબઈ પહોંચી હતી. તે પછી મુંબઈ પોલીસ પર બિહાર પોલીસને સહકાર ન આપવાના આરોપ લાગ્યા. તે પછી તપાસ માટે બિહારમાં મુંબઈ ગયેલા આઈપીએસ વિનય તિવારીને બીએમસીએ ક્વોરન્ટાઈન કરી દેવાયા. બિહાર પોલીસ ટીમના સભ્યો તો પાછા પટણા જતા રહ્યા છે, પરંતુ વિનય તિવારી હજુ પણ ત્યાં છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો