એપશહેર

યૌન શોષણના આરોપો લાગવા છતાં કેમ અનુરાગ કશ્યપની પડખે ઊભી છે તાપસી? જણાવ્યું કારણ

બોલિવુડ ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર યૌન શોષણના આરોપ લાગ્યા બાદ એક્ટ્રેસ તાપસની પન્નુ તેના સપોર્ટમાં આવી હતી. હવે તાપસીએ જણાવ્યું છે કે, તે શા માટે આ મામલે અનુરાગનો સાથ આપી રહી છે.

I am Gujarat 23 Sep 2020, 12:14 pm
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટર અને પ્રોડ્યુસર અનુરાગ કશ્યપ પર એક્ટ્રેસ પાયલ ઘોષે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ આરોપો બાદ ઘણા બોલિવુડ સેલેબ્સ અનુરાગના સપોર્ટમાં આવ્યા હતા. માત્ર સેલિબ્રિટીઝ જ નહીં અનુરાગ કશ્યપની બે પૂર્વ પત્નીઓએ પણ તેના પર લાગેલા આ આરોપોને વાહિયાત ગણાવ્યા હતા. અનુરાગના સપોર્ટમાં આવનારા લોકોમાંથી એક એક્ટ્રેસ તાપસી પન્નુ પણ હતી. તાપસીએ હાલમાં જ ઈન્ટરવ્યૂ ખુલાસો કર્યો છે કે તે શા માટે અનુરાગનો સાથ આપી રહી છે. સાથે જ કહ્યું કે, જો તેના પર લાગેલા આરોપો સાચા ઠરશે તો તે અનુરાગ સાથેના તમામ સંબંધો તોડી નાખશે.
I am Gujarat taapsee pannu says if the accusations proved she will break all ties with anurag kashyap
યૌન શોષણના આરોપો લાગવા છતાં કેમ અનુરાગ કશ્યપની પડખે ઊભી છે તાપસી? જણાવ્યું કારણ


આ કારણે અનુરાગનો સાથ આપે છે તાપસી

મુંબઈ મિરરને આપેલા ઈન્ટરવ્યૂમાં તાપસીએ અનુરાગનો સાથ આપવા અંગે કહ્યું, 'અનુરાગ મહિલાઓને ખૂબ માન આપે છે. અનુરાગે ક્યારેય પોતાના વિશે જાહેરમાં ખરાબ બોલનારા લોકોની નિંદા કરી નથી. અનુરાગની ફિલ્મોના સેટ એ જૂજ પૈકીના એક છે જ્યાં મહિલાઓ પણ પુરુષો જેટલી જ સમાનતાથી કામ કરે છે. સેટ પર કોઈને પણ પૂછો કોઈ અનુરાગ વિશે એક શબ્દ ખરાબ નહીં કહે, તેના વખાણ કરશે.'

'અનુરાગ દોષી હશે તો તેની સાથે સંબંધો તોડી નાખીશ'

યૌન શોષણના કેસ વિશે વાત કરતાં તાપસી પન્નુએ જણાવ્યું, "જો કોઈની સાથે ખરાબ વર્તન થયું હોય તો તપાસ શરૂ થવા દો, સત્ય બહાર આવી જશે. જો અનુરાગ દોષિત સાબિત થશે તો હું પહેલી વ્યક્તિ હોઈશ જે તેની સાથેના તમામ સંબંધો કાપી નાખશે." તાપસીએ એમ પણ કહ્યું કે, #MeToo મૂવમેન્ટનો ગેરલાભ કેટલીક મહિલાઓ ઉઠાવે છે, જે ખોટું છે. સતામણી કોઈ એક જાતિની થતી હોય તેવું જરૂરી નથી.

વાંચો, અનુરાગ કશ્યપ પર લાગેલા આરોપો પર પહેલી પત્નીની પ્રતિક્રિયા

અનુરાગના સપોર્ટમાં તાપસીએ મૂકી હતી પોસ્ટ

યૌન શોષણના આરોપ લાગ્યા બાદ તાપસી પન્નુએ અનુરાગ કશ્યપ માટે એક પોસ્ટ મૂકી હતી. અનુરાગ સાથેની મોનોક્રોમ તસવીર શેર કરીને તાપસીએ લખ્યું હતું, "તારા માટે મારા મિત્ર, હું ઓળખું છું તેમાંથી તું સૌથી મોટો ફેમિનિસ્ટ (નારીવાદી) છે. તારા એક નવા આર્ટ પીસ સાથે ફિલ્મના સેટ પર જલદી જ મુલાકાત કરીશું. તારી કળા દ્વારા તું દર્શાવે છે કે, તારી બનાવેલી દુનિયામાં મહિલાઓ કેટલી શક્તિશાળી અને સાર્થક હોય છે." જણાવી દઈએ કે, તાપસીએ 'મનમર્ઝિયા' અને 'સાંડ કી આંખ' ફિલ્મમાં અનુરાગ કશ્યપ સાથે કામ કર્યું હતું.

આ પણ વાંચો, અનુરાગની બીજી પત્ની કલ્કીએ પણ તેના સમર્થનમાં કહી હતી આ વાત

પાયલ ઘોષે લગાવ્યો છે યૌન શોષણનો આરોપ

એક્ટ્રેસ પાયલ ઘોષે સોશિયલ મીડિયાના માધ્યમથી અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. પાયલ ઘોષનો દાવો છે કે, 2015માં અનુરાગે તેની સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી હતી. મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં પાયલ ઘોષે અનુરાગ કશ્યપ સામે ફરિયાદ નોંધાવી છે. પાયલના વકીલે નિવેદન આપતા કહ્યું, "IPCની કલમ 376, 354, 341 અને 342 હેઠળ લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પીડિતાનું સ્ટેટમેન્ટ પણ નોંધાવાયું છે." તો આ તરફ અનુરાગ કશ્યપે પોતાના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો