એપશહેર

બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે 'તાનાજીઃ ધ અનસંગ વોરિયર', આટલા કરોડનો કર્યો વકરો

મિત્તલ ઘડિયા | Navbharat Times 8 Feb 2020, 3:21 pm
અજય દેવગણ, સૈફ અલી ખાન અને કાજોલની ફિલ્મ ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’ 10 જાન્યુઆરી, 2020ના દિવસે રિલીઝ થઈ હતી, જેને એક મહિનો થવા આવ્યો છે. આ ફિલ્મ હજુ પણ બોક્સઓફિસ પર ધમાલ મચાવીને રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. ફિલ્મે પાંચમા શુક્રવારે પણ 1 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ રીતે ફિલ્મે અત્યારસુધીમાં કુલ 251 કરોડ રૂપિયાનો વકરો કરી લીધો છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: ફિલ્મ ટૂંક સમયમાં 300 કરોડ ક્લબમાં એન્ટ્રી લેશે તેમ માનવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે આ અજય દેવગણની 100મી ફિલ્મ છે. તેવામાં એક્ટરનો કરિયર ગ્રાફ પણ આ ફિલ્મથી ઊંચો જશે તેવી શક્યતા છે. Boxofficeindia.comના હાલના રિપોર્ટ પ્રમાણે ફિલ્મ હજુ પણ કમાણીના મામલે નવા રેકોર્ડ પોતાના નામે કરી રહી છે. પાંચમા શુક્રવારે પણ એક કરોડની કમાણી કરી છે.ફિલ્મની કમાણીમાં જે ઘટાડો જોવા મળ્યો છે પાંચમાં અઠવાડિયામાં ગુરુવારે 25 ટકા અને શુક્રવારે 55 ટકા છે. રિપોર્ટમાં તેમ પણ કહેવાયું છે કે ફિલ્મ અત્યારસુધીની સૌથી વધારે કમાણી કરનારી 12મી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મની કમાણીમાં ક્યારેક ઘટાડો પણ જોવા મળ્યો ખાસ કરીને વીક ડેઝ પર. વીકડેઝ પર તેણે 6 કરોડ કરતાં પણ ઓછી કમાણી કરી છે જ્યારે વીકએન્ડમાં 13 કરોડની કમાણી કરી છે.મુંબઈ સર્કિટમાં તેનું કલેક્શન જબરદસ્ત રહ્યું. આ ફિલ્મે 132.50 કરોડની કમાણી કરી જે ‘દંગલ’ કરતાં 28 કરોડ વધારે છે.આ રીતે થઈ કમાણીપહેલું અઠવાડિયુંઃ 1,15,28,00,000બીજું અઠવાડિયુંઃ 77,87,00,000ત્રીજું અઠવાડિયુંઃ 38,48,00,000ચોથું અઠવાડિયુંઃ અંદાજે 18,60,00,000શુક્રવારઃ 1,00,00,000કુલઃ 2,51,23,00,000 ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ની એક્ટ્રેસ રિયલ લાઈફમાં છે ખૂબ ગ્લેમરસ, તસવીરો જોતા રહી જશો!
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story