Twinkle Khanna Love Story : એક્ટ્રેસમાંથી લેખિકા બનેલી ટ્વિન્કલ ખન્નાએ (Twinkle Khanna) ખુલાસો કર્યો છે કે કો-સ્ટાર અને પતિ અક્ષય કુમાર (Akshay Kumar) સાથેની તેની લવ સ્ટોરી કંટાળાના કારણે શરૂ થઈ હતી. અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની લેટેસ્ટ કોલમમાં તેણે લખ્યું છે 'બીજી તરફ, એકસમયે કંટાળો અનુભવવાથી (સ્માર્ટફોન આવ્યો તે પહેલા, જ્યારે એરપોર્ટ લૂક્સના માધ્યથી કલાકો કાઢી શકતી હતી) મને મારા કો-એક્ટરની સાથે જોગિંગ કરવાનું વધારે આકર્ષિત લાગ્યું હતું. જે વાત લગ્ન અને થોડા વધુ એથ્લેટિક જિન્સ ધરાવતા બે બાળકો તરફ દોરી ગઈ'. 1999માં ઈન્ટરનેશનલ ખિલાડી અને ઝુલ્મી જેવી ફિલ્મોમાં કામ કર્યા બાદ, ટ્વિન્કલ અને અક્ષયે 2001માં લગ્ન કર્યા હતા. તેઓ આરવ અને નિતારા નામના બે બાળકોના માતા-પિતા છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના લગ્નની ફની પોસ્ટ શેર કરતી રહે છે. સલમાન ખાને ગાંધીનગર સ્થિત ફાર્મહાઉસના માલિક પાસેથી ખરીદ્યો ઘોડો, ચૂકવી મસમોટી રકમ
અક્ષય અને ટ્વિન્કલની લવ સ્ટોરી કેવી રીતે શરૂ થઈ?
ગત મહિને 22મી વેડિંગ એનિવર્સરી પર, તેણે અક્ષય દ્વારા તેના માટે પસંદ કરવામાં આવેલા કાર્ડની ઝલક દેખાડતી તસવીર શેર કરી હતી અને સાથે તે દિવસને યાદ કર્યો હતો જ્યારે તેણે તેને કહ્યું હતું કે, તે તેની સાથે ક્યારેય લગ્ન નહીં કરે. 'માત્ર તે જ પર્ફેક્ટ કાર્ડ શોધી શકે છે! અમારી પાંચમી ડેટ પર મેં તેને કહ્યું હતું કે 'તારા જેવા વ્યક્તિ સાથે હું ક્યારેય લગ્ન નહીં કરું' તેણે તરત જ જવાબમાં કહ્યું હતું 'મેં તને પૂછ્યું હોય તેવું મને યાદ નથી'. હું તે લાઈનથી ઈમ્પ્રેસ થઈ હતી. બે દશકાથી વધુ સમય પસાર થઈ ગયો છે અને એક એવું જીવન બનાવ્યું છે જેમાં બે બાળકો, અમારા બંનેનો પરિવાર, કામ, મિત્રો, સ્વતંત્રતા અને સ્થિરતાનો સમાવેશ થાય છે. જે રીતે તેણે કાર્ડમાં લખ્યું છેઃ મને નથી ખબર કે મારી પાસે રાણી જેવી બુદ્ધિ છે કે નહીં પરંતુ આ વ્યક્તિ પાસે એક સંત જેવી ધીરજ છે અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તેની પાસે સોનાનું દિલ છે. તમારે કોઈ કામ કરવા માટે એકસમાન હોવું જરૂરી નથી પરંતુ તમારે એકબીજાને માત્ર પૂરતા પસંદ કરવાની જરૂર છે. #bestfriends #behindthescenes'. તો અક્ષયે પોતાની પોસ્ટમાં લખ્યું હતું 'બે અપૂર્ણ લોકો જેઓ 22 વર્ષથી સંપૂર્ણ રીતે એકબીજા સાથે અટવાયેલા છે. હેપ્પી એનિવર્સરી ટીના'.
આજે પણ વડીલોએ આપેલી સલાહને નથી ભૂલ્યો શાહરુખ, તેથી જ જાય છે 'મન્નત'ની બાલકનીમાં
અક્ષય કુમારની આગામી ફિલ્મ
વર્ક ફ્રંટની વાત કરીએ તો, અક્ષય કુમાર હાલ ઈમરાન હાશ્મી સાથે આગામી ફિલ્મ 'સેલ્ફી'ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે 24 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મનુ 'મેં ખિલાડી તું અનાડી' રિમેક સોન્ગ ખૂબ જ પોપ્યુલર થયું છે. એક્ટરે ઘણા સમયથી હિટ ફિલ્મ નથી આપી. ગત વર્ષે તેની સમ્રાટ પૃથ્વીરાજ, રક્ષાબંધન, બચ્ચન પાંડે તેમજ રામ સેતુ તેમ ચાર-ચાર ફિલ્મો ફ્લોપ ગઈ હતી.
Read latest Entertainment News and Gujarati News
અક્ષય અને ટ્વિન્કલની લવ સ્ટોરી કેવી રીતે શરૂ થઈ?
ગત મહિને 22મી વેડિંગ એનિવર્સરી પર, તેણે અક્ષય દ્વારા તેના માટે પસંદ કરવામાં આવેલા કાર્ડની ઝલક દેખાડતી તસવીર શેર કરી હતી અને સાથે તે દિવસને યાદ કર્યો હતો જ્યારે તેણે તેને કહ્યું હતું કે, તે તેની સાથે ક્યારેય લગ્ન નહીં કરે. 'માત્ર તે જ પર્ફેક્ટ કાર્ડ શોધી શકે છે! અમારી પાંચમી ડેટ પર મેં તેને કહ્યું હતું કે 'તારા જેવા વ્યક્તિ સાથે હું ક્યારેય લગ્ન નહીં કરું' તેણે તરત જ જવાબમાં કહ્યું હતું 'મેં તને પૂછ્યું હોય તેવું મને યાદ નથી'. હું તે લાઈનથી ઈમ્પ્રેસ થઈ હતી. બે દશકાથી વધુ સમય પસાર થઈ ગયો છે અને એક એવું જીવન બનાવ્યું છે જેમાં બે બાળકો, અમારા બંનેનો પરિવાર, કામ, મિત્રો, સ્વતંત્રતા અને સ્થિરતાનો સમાવેશ થાય છે. જે રીતે તેણે કાર્ડમાં લખ્યું છેઃ મને નથી ખબર કે મારી પાસે રાણી જેવી બુદ્ધિ છે કે નહીં પરંતુ આ વ્યક્તિ પાસે એક સંત જેવી ધીરજ છે અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તેની પાસે સોનાનું દિલ છે. તમારે કોઈ કામ કરવા માટે એકસમાન હોવું જરૂરી નથી પરંતુ તમારે એકબીજાને માત્ર પૂરતા પસંદ કરવાની જરૂર છે. #bestfriends #behindthescenes'. તો અક્ષયે પોતાની પોસ્ટમાં લખ્યું હતું 'બે અપૂર્ણ લોકો જેઓ 22 વર્ષથી સંપૂર્ણ રીતે એકબીજા સાથે અટવાયેલા છે. હેપ્પી એનિવર્સરી ટીના'.
આજે પણ વડીલોએ આપેલી સલાહને નથી ભૂલ્યો શાહરુખ, તેથી જ જાય છે 'મન્નત'ની બાલકનીમાં
અક્ષય કુમારની આગામી ફિલ્મ
વર્ક ફ્રંટની વાત કરીએ તો, અક્ષય કુમાર હાલ ઈમરાન હાશ્મી સાથે આગામી ફિલ્મ 'સેલ્ફી'ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે 24 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મનુ 'મેં ખિલાડી તું અનાડી' રિમેક સોન્ગ ખૂબ જ પોપ્યુલર થયું છે. એક્ટરે ઘણા સમયથી હિટ ફિલ્મ નથી આપી. ગત વર્ષે તેની સમ્રાટ પૃથ્વીરાજ, રક્ષાબંધન, બચ્ચન પાંડે તેમજ રામ સેતુ તેમ ચાર-ચાર ફિલ્મો ફ્લોપ ગઈ હતી.
Read latest Entertainment News and Gujarati News