એપશહેર

ક્વોડ બાઈક પર વરુણની થઈ હતી એન્ટ્રી, વરમાળા વખતે નતાશા સાથે કરી હતી થોડી મસ્તી

લગ્ન બાદ વરુણ ધવને ટ્વિટ કરીને આશીર્વાદ અને પ્રેમ માટે સૌનો આભાર માન્યો છે.

I am Gujarat 27 Jan 2021, 4:45 pm
બોલિવુડ એક્ટર વરુણ ધવને 24 જાન્યુઆરીએ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કરી લીધા છે. મર્યાદિત મહેમાનોની હાજરીમાં વરુણ અને નતાશાએ અલીબાગમાં સાત ફેરા લીધા હતા. લગ્ન દરમિયાન 'નો ફોટો પોલીસી'ને કારણે એકપણ તસવીર બહાર આવી નથી. જો કે, હવે લગ્ન પૂરા થયા બાદ વરુણ-નતાશાના લગ્નની વિવિધ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
I am Gujarat vd varmala

View this post on Instagram A post shared by ETimes (@etimes)


કેટલીક તસવીરો વરુણ ધવને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી હતી. તો કેટલીક તસવીરો આમંત્રિતો દ્વારા શેર કરવામાં આવી છે. વરુણ-નતાશાના લગ્નની સામે આવી રહેલી તસવીરો પરથી લાગી રહ્યું છે કે, તેમનો પ્રસંગ કોઈ પરીકથાથી ઓછો નહીં હોય. વરરાજા વરુણ પોતાની દુલ્હનિયાને પરણવા માટે ક્વોડ બાઈક પર પહોંચ્યો હતો. વરુણના લગ્ન પહેલા ક્વોડ બાઈક રિસોર્ટમાં લઈ જવાતી હોય તેવો વિડીયો સામે આવ્યો હતો અને હવે ક્વોડ બાઈક પર બેસીને એન્ટ્રી લઈ રહેલા દુલ્હેરાજાની તસવીરો વાયરલ થઈ રહી છે.


મીડિયા રિપોર્ટ પ્રમાણે, વરુણ ધવને સલમાન ખાનની ફિલ્મ 'સલામ-એ-ઈશ્ક'ના ગીત 'તેનું લેકે...' પર એન્ટ્રી કરી હતી. તસવીરમાં જોઈ શકો છો કે શેરવાની અને પાઘડી પહેરેલો વરુણ ક્વોડ બાઈક પર પોતાની દુલ્હનિયાને લેવા જઈ રહ્યો છે.
View this post on Instagram A post shared by ETimes (@etimes)


વરુણની એન્ટ્રી ઉપરાંત વરમાળાની પણ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આપણા ત્યાં સામાન્ય રીતે લગ્ન દરમિયાન થાય છે તેમ અહીં પણ વરમાળાની વિધિ વખતે વરુણને તેના ફ્રેન્ડ્સે ઊંચકી લીધો હતો. જ્યારે નતાશા ઊંચી થઈને તેને હાર પહેરાવાની કોશિશ કરી રહી છે. તસવીરમાં નતાશા અને વરુણ બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. કપલે લગ્ન માટે મેચિંગ આઉટફિટ પસંદ કર્યો હતો.


લગ્ન બાદ વરુણે મિસ્ટર અને મિસિસ ધવનની પહેલી તસવીરો શેર કરી હતી. ત્યારે આજે સવારે વરુણે ટ્વિટ કરીને શુભેચ્છાઓ માટે સૌનો આભાર માન્યો હતો. વરુણે લખ્યું હતું, "છેલ્લા થોડા દિવસમાં મને અને નતાશાને ખૂબ જ પ્રેમ અને પોઝિટિવિટી મળી છે. જેના માટે હું તમારા સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું."

વરુણ અને નતાશા લગ્ન પૂરા થયા પછી એક દિવસ અલીબાગમાં રોકાયા હતા. મંગળવારે નવ દંપતી મુંબઈ સ્થિત ઘરે આવ્યું હતું. જ્યારે બાકીના પરિવારજનો લગ્ન પતાવ્યા પછી સોમવારે જ અલીબાગથી નીકળી ગયા હતા. વરુણ અને નતાશા બાળપણના મિત્રો છે. આમ તો તેઓ ગયા વર્ષે જ પોતાના સંબંધને લગ્નનું નામ આપી દેવાના હતા પરંતુ કોરોના મહામારીના કારણે આ શક્ય ના બન્યું.

Read Next Story