રણબીર કપૂરની સાદગીની દિવાની થઈ વાણી કપૂર, કહ્યું-'કોઈ અભિમાન નહીં, વેરી ડાઉન ટુ અર્થ'
વાણી કપૂર પહેલી વાર ફિલ્મ શમશેરામાં રણબીર કપૂર સાથે કામ કરી રહી છે. વાણી કપૂરે રણબીર કપૂરની સાથે કામ કરવાના પોતાના એક્સપિરિયન્સ અંગે ખુલીને વાત કરી છે
I am Gujarat 25 Dec 2021, 9:53 pm
હાઈલાઈટ્સ:
- વાણી કપૂર અને રણબીર કપૂર ફિલ્મ શમશેરામાં મોટા પડદે મળશે જોવા
- રણબીર કપૂર સાથે કામ કરવાનો પોતાનો અનુભવ વાણી કપૂરે કર્યો શેર
- "તેની સાથે કામ કરતા ક્યારેય એવું નથી લાગતું કે તેની સાથે સ્ટારડમ જોડાયેલું હોય"
બોલીવૂડની સુંદર એક્ટ્રેસ વાણી કપૂર ટૂંક સમયમાં રણબીર કપૂરની સાથે મોટા પડદા પર નજરે પડવા જઈ રહી છે. વાણી કપૂર રણબીર કપૂરના લીડ રોલવાળી ફિલ્મ શમશેરામાં કામ કરી રહી છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન વાણી કપૂરે રણબીર કપૂરની સાથે પોતાના કામ કરવાના અનુભવને શેર કર્યો હતો. વાણી કપૂરે કહ્યું કે, રણબીર કપૂર ખૂબ જ ડાઉન ટુ અર્થ અને ખૂબ જ નમ્ર માણસ છે.
વાણી કપૂરે રણબીર કપૂર વિશે વાત કરતા કહ્યું કે, સાચુ કહું તો જે રીતે તે એક્ટર છે તે માટે મારા મનમાં તેમના માટે ખૂબ જ સન્માન છે. તે એક એવા એક્ટર છે કે જેની અંદર જરાય અભિમાન નથી અને ના તો તે કોઈ સ્ટારની જેમ વ્યવહાર કરે છે. તેઓ એકદમ સામાન્ય, ડાઉન ટુ અર્થ, ખૂબ જ નમ્ર વ્યક્તિ છે. તેમની સાથે કામ કરતા મને ક્યારેય એવું નથી લાગતું કે તેમની સાથે સ્ટારડમ જોડાયેલું હોય. મને લાગે છે કે મારા મનમાં તેઓ માટે ખૂબ જ સન્માન છે અને ખરેખરમાં હું તેમનું કામ અને તેમની ફિલ્મો જોવાનું પસંદ કરું છું.
મહત્વનું છે કે, કરણ મલ્હોત્રાના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ શમશેરા આગામી વર્ષે 18 માર્ચે રિલીઝ થશે. કહેવાય છે કે, આ ફિલ્મ 19મી સદીના એક ડાકૂ જાતિની સ્ટોરી છે કે જેઓએ પોતાના અધિકારો માટે અંગ્રેજો સામે બાથ ભીડી હતી. રણબીર કપૂર અને વાણી કપૂર સિવાય આ ફિલ્મમાં સંજય દત્ત પણ એક મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મમાં પોતાના રોલ અંગે વાત કરતા વાણી કપૂરે કહ્યું કે, આ ફિલ્મ એકદમ અલગ છે. તે બેલ બોટમની જેમ પીરિયડ ડ્રામા ફિલ્મ નથી. મેં ક્યારેય આવા પ્રકારનો રોલ કર્યો નથી. એટલું જ નહીં રણબીર કપૂરે પણ ક્યારેય આ પ્રકારની ફિલ્મ કરી નથી. આવા પ્રકારની ફિલ્મમાં કામ કરવું ખૂબ જ મજેદાર છે. મહત્વનું છે કે, વાણી કપૂરની ફિલ્મ ચંદીગઢ કરે આશિકી થોડા દિવસો પહેલાં જ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં વાણી કપૂર એક ટ્રાન્સવુમનનો રોલ કર્યો છે. આ ફિલ્મમાં તેની સાથે આયુષમાન ખુરાના લીડ રોલમાં છે.
વાણી કપૂરે રણબીર કપૂર વિશે વાત કરતા કહ્યું કે, સાચુ કહું તો જે રીતે તે એક્ટર છે તે માટે મારા મનમાં તેમના માટે ખૂબ જ સન્માન છે. તે એક એવા એક્ટર છે કે જેની અંદર જરાય અભિમાન નથી અને ના તો તે કોઈ સ્ટારની જેમ વ્યવહાર કરે છે. તેઓ એકદમ સામાન્ય, ડાઉન ટુ અર્થ, ખૂબ જ નમ્ર વ્યક્તિ છે. તેમની સાથે કામ કરતા મને ક્યારેય એવું નથી લાગતું કે તેમની સાથે સ્ટારડમ જોડાયેલું હોય. મને લાગે છે કે મારા મનમાં તેઓ માટે ખૂબ જ સન્માન છે અને ખરેખરમાં હું તેમનું કામ અને તેમની ફિલ્મો જોવાનું પસંદ કરું છું.
મહત્વનું છે કે, કરણ મલ્હોત્રાના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ શમશેરા આગામી વર્ષે 18 માર્ચે રિલીઝ થશે. કહેવાય છે કે, આ ફિલ્મ 19મી સદીના એક ડાકૂ જાતિની સ્ટોરી છે કે જેઓએ પોતાના અધિકારો માટે અંગ્રેજો સામે બાથ ભીડી હતી. રણબીર કપૂર અને વાણી કપૂર સિવાય આ ફિલ્મમાં સંજય દત્ત પણ એક મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મમાં પોતાના રોલ અંગે વાત કરતા વાણી કપૂરે કહ્યું કે, આ ફિલ્મ એકદમ અલગ છે. તે બેલ બોટમની જેમ પીરિયડ ડ્રામા ફિલ્મ નથી. મેં ક્યારેય આવા પ્રકારનો રોલ કર્યો નથી. એટલું જ નહીં રણબીર કપૂરે પણ ક્યારેય આ પ્રકારની ફિલ્મ કરી નથી. આવા પ્રકારની ફિલ્મમાં કામ કરવું ખૂબ જ મજેદાર છે. મહત્વનું છે કે, વાણી કપૂરની ફિલ્મ ચંદીગઢ કરે આશિકી થોડા દિવસો પહેલાં જ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં વાણી કપૂર એક ટ્રાન્સવુમનનો રોલ કર્યો છે. આ ફિલ્મમાં તેની સાથે આયુષમાન ખુરાના લીડ રોલમાં છે.