એપશહેર

વિક્કી કૌશલના પિતા શામ કૌશલ કેન્સરને હરાવી ચૂક્યા છે, આત્મહત્યાનો આવ્યો હતો વિચાર!

શામ કૌશલે એક ઈન્ટરવ્યુમાં પોતાના કરિયર વિશેની વાતચીત કરતા જણાવ્યું કે, 'હું તારીખ 8 ઓગસ્ટ, 1980ના દિવસે સ્ટંટ આર્ટિસ્ટ યુનિયનનો સભ્ય બન્યો. આજે તારીખ 8 ઓગસ્ટ, 2022ના દિવસે મેં બોલિવૂડમાં 42 વર્ષ પૂરા કર્યા છે. હું 1990માં એક્શન ડિરેક્ટર બન્યો. મારી પહેલી ફિલ્મ એક મલયાલમ ફિલ્મ હતી કે જેનું નામ ઈન્દ્રજાલમ હતું. જ્યારે મારી પહેલી હિન્દી ફિલ્મ એક્ટર નાના પાટેકરની પ્રહાર હતી.'

Edited byનિલય ભાવસાર | Navbharat Times 8 Aug 2022, 9:43 pm
બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલના પિતા શામ કૌશલ ભારતીય ફિલ્મોમાં સ્ટંટ અને એક્શન કોરિયોગ્રાફીમાં જાણીતું નામ છે. તેમણે પોતાના કરિયરમાં ચાર દાયકા પૂરા કર્યા છે અને હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં તેમના સારા અને ખરાબ અનુભવ શેર કર્યા છે.
I am Gujarat Sham Kaushal
વિક્કી કૌશલના પિતા શામ કૌશલ કેન્સરને હરાવી ચૂક્યા છે

શામ કૌશલે એક ઈન્ટરવ્યુમાં પોતાના કરિયર વિશેની વાતચીત કરતા જણાવ્યું કે, 'હું તારીખ 8 ઓગસ્ટ, 1980ના દિવસે સ્ટંટ આર્ટિસ્ટ યુનિયનનો સભ્ય બન્યો. આજે તારીખ 8 ઓગસ્ટ, 2022ના દિવસે મેં બોલિવૂડમાં 42 વર્ષ પૂરા કર્યા છે. હું 1990માં એક્શન ડિરેક્ટર બન્યો. મારી પહેલી ફિલ્મ એક મલયાલમ ફિલ્મ હતી કે જેનું નામ ઈન્દ્રજાલમ હતું. જ્યારે મારી પહેલી હિન્દી ફિલ્મ એક્ટર નાના પાટેકરની પ્રહાર હતી.'

બાળકો માટે ખૂબ જ મહેનત કરી

શામ કૌશલે કહ્યું કે 'મારા બંને બાળકો વિકી અને સની નાના હતા. જો તમે એક્શન ડિરેક્ટર બનવા માગો છો તો તમારે સ્ટંટમેનનું સભ્યપદ છોડવું પડશે. તમે સ્ટંટ નહીં કરી શકો. તેવામાં એવું પણ રિસ્ક હતું કે જો મને એક્શન ડિરેક્ટર તરીકે કામ મળ્યું નહીં તો મારે ઘરે બેસવું પડશે. મેં આ રિસ્ક લીધું અને મને મારું એક્શન ડિરેક્ટરનું સભ્યપદ મળી ગયું. મેં મહાલક્ષ્મી મંદિરમાં દર્શન કર્યા અને રાત્રે મુકેશ મિલ્સમાં શૂટિંગ માટે પહોંચ્યો.'

અચાનક શરૂ થઈ પરેશાની

શામ કૌશલના જીવનમાં કપરો સમય ત્યારે આવ્યો કે જ્યારે તેઓને ગંભીર બીમારીનો સામનો કરવો પડ્યો. એક દિવસ તેઓના પેટમાં ખાસ્સું એવું દર્દ થયું અને તેમના પેટનું ઓપરેશન કરવું પડ્યું. શામ કૌશલના પેટમાં ઈન્ફેક્શન થઈ ગયું હતું. ડૉક્ટર્સે પેટનો એક ટુકડો તપાસ માટે મોકલી આપ્યો અને કેન્સર થયું હોવાનું જાણવા મળ્યું. ત્યારે શામ કૌશલને એ વાતનો પણ ખ્યાલ નહોતો કે તેઓ બચશે કે નહીં. તેઓ 50 દિવસ હોસ્પિટલમાં રહ્યા. શામ કૌશલે જણાવ્યું કે મેં ત્યારે જ નક્કી કર્યું હતું કે હું આત્મહત્યા કરીશ. પણ, હું ત્યારે પલંગમાંથી ઊભો થઈ શક્યો નહીં કારણકે તેમના પેટનું ઓપરેશન થયું હતું. આ ઘટનાને આજે 19 વર્ષ થઈ ગયા છે.
લેખક વિશે
નિલય ભાવસાર
નિલય ભાવસાર છેલ્લા સાડા ચાર વર્ષથી ડિજિટલ પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલ છે. અગાઉ પ્રિન્ટ મીડિયમ અને ઈસરોમાં પણ કામ કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઈન ડેવલપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. અનુવાદની પ્રક્રિયામાં વધારે રુચિ છે.... વધુ વાંચો

Read Next Story