એપશહેર

કાશ્મીર ફાઇલ્સ 2: 2023 સુધી આવશે કાશ્મીર ફાઇલ્સનો બીજો ભાગ! વિવેક અગ્નિહોત્રીએ યુઝર્સના ટ્વિટનો આપ્યો જવાબ

જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો પરના અત્યાચાર સામે દિવસેને દિવસે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. કાશ્મીરી પંડિતોની હત્યાને લઈને દેશભરમાં સનસનાટી મચી ગઈ છે. આ કારણે ગયા વર્ષે કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' આવી હતી. આમાં તેમની પીડાને નજીકથી બતાવવામાં આવી હતી. હવે વિવેક અગ્નિહોત્રીએ કહ્યું છે કે બીજા ભાગમાં ઘણી બધી વસ્તુઓ બતાવવાની તૈયારી છે.

Authored byParth Shah | I am Gujarat 17 Oct 2022, 10:13 pm

હાઈલાઈટ્સ:

  • 2023 સુધીમાં આવશે 'કાશ્મીર ફાઇલ્સ'નો બીજો ભાગ
  • કાશ્મીર ઘાટીમાં કાશ્મીરી પંડિતોની સતત હત્યા
  • હિંદુઓની ઠેકેદાર ગણાવતી સરકાર ઊંઘી ગઈ છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat the kashmir files
કાશ્મીર ફાઇલ્સ 2
જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. કાશ્મીરી પંડિતોની હત્યાને લઈને દેશભરમાં સનસનાટી મચી ગઈ છે. શનિવારે કાશ્મીરી પંડિત પૂરણ કૃષ્ણ ભટ્ટની હત્યાએ દેશમાં હચમચાવી નાંખી છે. તેમની હત્યાના કલાકો પછી આતંકવાદી સંગઠન કાશ્મીર ફ્રીડમ ફાઈટર્સે હુમલાની જવાબદારી સ્વીકારી અને આવા ઘણા વધુ ઉદાહરણોનો સંકેત પણ આપ્યો છે. જે હજુ આવવાના બાકી છે. તમને સારી રીતે યાદ હશે કે થોડા મહિના પહેલા વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કશ્મીર ફાઇલ્સ આવી હતી. જેણે દેશમાં એક અલગ જ માહોલ સર્જ્યો હતો. હવે નિર્દેશકે સંકેત આપ્યો છે કે તે કાશ્મીર ફાઇલના ભાગ પર કામ કરી રહ્યો છે. તેનો બીજી ભાગ ટૂંક સમયમાં આવશે.
વિવેક અગ્નિહોત્રીએ બીજાના ભાગને લઇ એક ટ્વિટનો જવાબ આપ્યો હતો જેમાં લખ્યું હતું કે 'કાશ્મીર ઘાટીમાં કાશ્મીરી પંડિતોની સતત હત્યા થઈ રહી છે પરંતુ પોતાને હિંદુઓની ઠેકેદાર ગણાવતી સરકાર ઊંઘી ગઈ છે. સતત હત્યાઓ, અત્યાચારોથી તેઓને કોઈ ફર્ક પડતો નથી તેવું લાગી રહ્યું છે. હાલ માહોલ ખૂબ જ ખરાબ છે. કાશ્મીરી પંડિતો 90ના દાયકાની કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે. પોસ્ટને શેર કરતી વખતે યુઝરે લખ્યું શું તમે આના પર કાશ્મીર ફાઇલો બનાવી શકશો? ત્યારે વિવેકે જવાબ આપ્યો હતો કે 'જી કામ ચાલુ છે. 2023 સુધીમાં કાશ્મીર ફાઈલ્સનો ભાગ બીજો આવશે. ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે.

તમને જણાવી દઈએ કે દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાંથી મૃતદેહ લાવવામાં આવ્યા બાદ 56 વર્ષીય ભટ્ટના પરિવારે રવિવારે જમ્મુમાં અંતિમ સંસ્કાર કર્યા હતા. હત્યાની તાજેતરની ઘટનાઓ, ઘાટીમાં લઘુમતીઓનું દમન, આતંકવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ ઉચ્ચારેલા સૂત્રોચ્ચાર વચ્ચે શોકાતુર ભટ્ટના પરિવારના દ્રશ્યો ઠંડક આપનારા હતા. તેની હત્યાને લઈને કાશ્મીરમાં મોટી સંખ્યમાં લોકો જોવા મળ્યા હતા.

જો.કે છેલ્લા એક વર્ષમાં આતંકીઓ દ્વારા અનેક કાશ્મીરી પંડિતોની હત્યા કરી દેવામાં આવી છે. ત્યારે શનિવારે વધુ એક કાશ્મીરી પંડિત પૂરન કૃષ્ણ ભટ્ટની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આતંકીઓ દ્વારા શોપિયાંમાં પૂરન કૃષ્ણ ભટ્ટની હત્યા શરમજનક ઘટના છે. બીજી તરફ આ હત્યાની ઘટનાને પગલે કાશ્મીરી પંડિતોમાં રોષ વધી ગયો છે અને તેઓ ન્યાયની માંગણી કરી રહ્યા છે.

હાલ આ ઘટનાને અંજામ આપીને આતંકીઓ નાસી છૂટયા હતા. જ્યારે હાલ સમગ્ર વિસ્તારને સૈન્ય દ્વારા ઘેરી લેવામાં આવ્યો છે અને મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આતંકવાદી સંગઠનની અખબારી યાદીમાં કાશ્મીરના સ્વાતંત્ર્ય સેનાનીઓએ 'કાશ્મીરી પંડિતો પરના હુમલા'નો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આ હત્યા જમ્મુ અને કાશ્મીરનો દરજ્જો રદ કરતી કલમ 370 નાબૂદ કરવાના પરિણામે હતી.

Read Next Story