એપશહેર

વાજિદ ખાનના જીવનના છેલ્લા દિવસો ખૂબ ખરાબ હતા, પત્નીએ કર્યો ખુલાસો

વાજિદ ખાનના પત્ની કમાલરુખ ખાન હજુ પણ આઘાતમાં છે. તેમણે હાલમાં તેમના પતિના જીવનના છેલ્લા દિવસો કેવા હતા તે અંગે ખુલાસો કર્યો છે.

TIMESOFINDIA.COM 22 Dec 2020, 11:12 am
કોવિડ-19 સિવાય કિડની તેમજ હૃદયને લગતી બીમારીના કારણે આ વર્ષના જૂન મહિનામાં સિંગર-કમ્પોઝર વાજિન ખાનનું નિધન થયું હતું. તેમના નિધનથી આખી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. તેમના પત્ની કમાલરુખ ખાન હજી આ પીડામાંથી બહાર આવી શક્યા નથી. એક ન્યૂઝ પોર્ટલ સાથે વાતચીત કરતાં તેમણે તેમના પતિના જીવનના છેલ્લો કેવા હતા તે અંગે જણાવ્યું હતું.
I am Gujarat wajid khan wife kamalrukh revealed that his last few days were sad
વાજિદ ખાનના જીવનના છેલ્લા દિવસો ખૂબ ખરાબ હતા, પત્નીએ કર્યો ખુલાસો


કમાલરુખ ખાને ખુલાસો કર્યો કે, તેમના પતિના જીવનના છેલ્લા દિવસો ખૂબ દુઃખદ રહ્યા હતા. કારણ કે કોવિડ-19ના કારણે તેમના પરિવારને મળવામાં અસમર્થ હતા.

View this post on Instagram A post shared by Kamalrukh Kahn (@kamalrukhkhan)

દિવંગત પતિ સાથેના બોન્ડિંગ વિશે વાત કરતાં, કમાલરુખે કહ્યું કે, તેઓ અદ્દભુત માણસ, ટેલેન્ટેડ મ્યૂઝિશિયન હતા. તેમના એક જ ખામી હતી અને તે એ હતી કે, તેઓ મજબૂત મનોબળના નહોતા. તેમણે ખુલાસો કર્યો કે, બે બાળકોના જન્મ બાદ પણ તેમની વચ્ચે આ બાબતને લઈને ઝઘડો થતો હતો. બંને વચ્ચે છેલ્લો ઝઘડો ત્યારે થયો હતો જ્યારે વાજિદે પરિવર્તન ન કરવા પર ડિવોર્સની ધમકી આપી હતી. આ 2014માં થયું હતું.

આ વિશે વધુ વાત કરતાં, કમાલરુખે ઉમેર્યું કે, તેઓ છોડીને જતા રહેતા અને તેમની માતાના ઘરે રહેતા હતા, કેટલીકવાર તો મહિનાઓ સુધી ત્યાં રહેતા હતા. બાદમાં કમાલરુખ ડિવોર્સ માટે સંમત થયા. જો કે, કોર્ટમાં પણ તેમણે ધર્મ પરિવર્તન કરવાનું દબાણ હોવા અંગે પોતાનો કેસ દાખલ કર્યો હતો. સ્ટાર વાઈફે તેમ પણ કહ્યું કે, વાજિદનું કરિયર દાવ પર હતું, તેથી જ જાહેરમાં તે બહાર આવ્યું નહીં. પરંતુ આ વર્ષ 2014થી ચાલી રહ્યું હતું.

અગાઉ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં કમાલરુખે જણાવ્યું હતું કે, 'વાજીદ અને હું મીઠીબાઈ કોલેજમાં મળ્યા હતા. અમે 10 વર્ષ સુધી કોર્ટશિપમાં રહ્યા હતા. તે દિવસોમાં વાજિદ બપ્પી લહેરીના મ્યુઝિક ગ્રુપમાં મ્યુઝિશિયન હતા અને શો માટે ઘણી મુસાફરી કરતા હતા. પછીથી જ્યારે અમે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે વાજિદ જાણતા હતા કે હું ધર્મ પરિવર્તન કરવાનું પસંદ નહીં કરું અને ધર્મ અમારા લગ્નમાં ચોક્કસ અવરોધ બનશે. પરંતુ આખરે ખૂબ જ વિચાર વિમર્શ કર્યા પછી અમારા પ્રેમનો ધર્મ ઉપર વિજય થયો. જોકે તે સમયે પણ વાજીદનો પરિવાર અમારા નિર્ણયથી ખુશ નહોતો. પહેલા થોડા મહિના ઠીકઠાક પસાર થયા પરંતુ જ્યારે તેમના પરિવાર સાથે મારો સંપર્ક વધ્યો ત્યારે વાજિદની માતાએ મને મુસ્લિમ બનવાનું દબાણ કરવાનું શરૂ કર્યું. બાળકોના જન્મ પછી આ દબાણ એટલું વધી ગયું કે આને કારણે મારી અને વાજિદ વચ્ચે અંતર વધવાનું શરૂ થયું'.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો