એપશહેર

ડ્રગ્સ કેસ: શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનને જલદી પૂછપરછ માટે બોલાવી શકે NCB!

સુશાંતના કેસમાં ડ્રગ્સના એંગલની તપાસ કરી રહેલી NCB સમક્ષ રિયા ચક્રવર્તીએ સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરના નામ લીધા હતા. હવે આ બંને એક્ટ્રેસને NCB પૂછપરછ માટે બોલાવે તેવી સંભાવના છે.

TIMESOFINDIA.COM 21 Sep 2020, 1:37 pm
સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ અત્યાર સુધીમાં ડ્રગ્સનો ધંધો કરતાં ઘણા લોકોની ધરપકડ કરી છે. લાંબી પૂછપરછ બાદ રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા, દીપેશ સાવંત ઉપરાંત ડ્રગ પેડલર્સની ધરપકડ કરી છે. રિયા ચક્રવર્તીની પૂછપરછમાં બોલિવુડ સેલિબ્રિટીઝના નામ સામે આવ્યા હતા.
I am Gujarat shraddha sara


હવે માહિતી મળી રહી છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને સમન્સ પાઠવી શકે છે. ટાઈમ્સ નાઉના રિપોર્ટ મુજબ, સુશાંતના મોત કેસમાં ચાલી રહેલી ડ્રગ્સ એંગલની તપાસમાં બે બોલિવુડ સેલિબ્રિટીઝની પૂછપરછ થવાની છે. ટાઈમ્સ નાઉને સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને ટૂંક સમયમાં જ NCB પૂછપરછ માટે સમન્સ પાઠવી શકે છે. એવા અહેવાલો હતા કે, રિયા ચક્રવર્તીએ કથિત રીતે પૂછપરછ દરમિયાન સારા અલી ખાનનું નામ આપ્યું હતું. જ્યારે ફિલ્મ 'છીછોરે'ની સક્સેસ પાર્ટી સુશાંતના લોનાવાલા સ્થિત ફાર્મ હાઉસ પર યોજાઈ હતી. જેમાં કથિત રીતે ડ્રગ્સનો ઉપયોગ થયો હતો. આ પાર્ટીમાં શ્રદ્ધા કપૂર પણ સામેલ હોવાના અહેવાલ છે.


કથિત રીતે સુશાંત સિંહ રાજપૂતની ડ્રગ્સ પાર્ટીમાં સારા અને શ્રદ્ધા સામેલ થતા હતા. ત્યારે હવે ટૂંક સમયમાં જ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો શ્રદ્ધા અને સારાને સમન્સ પાઠવી શકે છે. શ્રદ્ધા કપૂરે ફિલ્મ 'છીછોરે'માં જ્યારે સારા અલી ખાને પોતાની ડેબ્યૂ ફિલ્મ 'કેદારનાથ'માં સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કર્યું હતું. ટાઈમ્સ નાઉને કેસના એક સાક્ષી આયુષે જણાવ્યું કે, સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન રિલેશનશીપમાં હતી. એ વખતે રિયા સારાની ફ્રેન્ડ હતી. સુશાંત અને સારાનું બ્રેકઅપ થયા બાદ રિયા અને સુશાંતની મુલાકાતો વધવા લાગી હતી. બાદમાં રિયા અને સુશાંત લિવ-ઈન રિલેશનશીપમાં રહેતા હતા.

જણાવી દઈએ કે, રિયા ચક્રવર્તી અને શોવિક ચક્રવર્તીને NCBએ 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. ધરપકડ બાદ બંનેએ જામીન અરજી કરી હતી પરંતુ તે ફગાવી દેવાઈ હતી. ડ્રગ્સ કેસમાં આજે પૂછપરછ માટે NCBએ સુશાંતની પૂર્વ મેનેજર શ્રુતિ મોદી અને ટેલેન્ટ મેનેજર જયા સાહાને બોલાવ્યા છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો ઉપરાંત સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે CBI તપાસ કરી રહી છે. ઉપરાંત મની લોન્ડ્રિંગના એંગલથી ED તપાસ ચલાવી રહી છે. સુશાંતના પિતા કે.કે. સિંહે પોતાની FIRમાં સુશાંતના બેંક અકાઉન્ટમાંથી રૂપિયાની હેરફેર થઈ હોવાનો આરોપ લગાવ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો