એપશહેર

ઓમર અબ્દુલ્લાથી તસલીમા નસરીન સુધી, ઝાયરાની એક્ટિંગ કરિયર છોડવા પર કોણે શું કહ્યું?

Gaurang Joshi | I am Gujarat 30 Jun 2019, 4:49 pm
નવી દિલ્હીઃ ફિલ્મ એક્ટર આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’થી બોલિવૂડમાં ઓળખ બનાવનાર ઝાયરા વસીમે એક્ટિંગના કારણે અલ્લાહથી દૂર થઈ રહી હોવાની વાત કહીને સનસનાટી મચાવી છે. ઘાટીથી આવતી ઝાયરાને કાશ્મીરની યુવતીઓ માટે પ્રેરણા જણાવવામાં આવે છે. હવે તેનો આ નિર્ણય ચોંકાવનારો છે. ઝાયરાના આ નિર્ણયને કેટલાક લોકો બીરદાવી રહ્યાં છે તો કેટલાક તેનો આ નિર્ણય દબાણમાં લેવાયેલો હોવાનું કહી રહ્યાં છે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો સમાજવાદી પાર્ટીના નેતા અને ઓમર અબ્દુલ્લાએ કહ્યું આવું સમાજવાદી પાર્ટીના નેતા અબુ આસિમ આઝમીએ એક રીતે ઝાયરાનો નિર્ણય સાચો જણાવતા કહ્યું કે મહિલાઓનું ફિલ્મ્સમાં કામ કરવું ઈસ્લામમાં સાચું નથી. તો જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ તેનો પર્સનલ નિર્ણય ગણાવ્યો હતો. અબ્દુલ્લાએ કહ્યું કે,’ઝાયરા વસીમના નિર્ણય પર સવાલ ઉઠાવનાર આપણે કોણ? આ તેની જિંદગી છે અને તે જેવી રીતે જીવવા ઈચ્છે જીવી શકે છે. હું તેમના ભવિષ્યની કામના કરું છું. આશા રાખું છું કે તે જે પણ કરે ખુશ રહે.’
તસલીમા નસરીનની તીખી પ્રક્રિયા આ દરમિયાન સૌથી તીખી પ્રતિક્રિયા તસલીમા નસરીને આપી છે. નારીવાદી વિચારો માટે ચર્ચીત તસલીમાએ ટ્વીટ કરી હતી કે,’બોલિવૂડની પ્રતિભાશાળી એક્ટ્રેસ ઝાયરા વસીમે હવે એક્ટિંગ છોડવાનો નિર્ણય કર્યો છે કારણકે તેને એવું લાગી રહ્યું છે કે એક્ટિંગ કરિયરમાં અલ્લાહમાં તેના વિશ્વાસને ખતમ કરી રહ્યો છે. આ નિર્ણય બાલિશ છે. મુસ્લીમ સમુદાયમાં મોટી પ્રતિભાઓ બુરખાના અંધારામાં રહી જાય છે.’ રઝા મુરાદે કહ્યું આવું દાયકાઓથી ફિલ્મ એક્ટિંગનો અનુભવ રાખનાર રઝા મુરાદ ઝાયરાના આ નિર્ણય પર સ્પષ્ટ રીતે કશું કહેતા બચતાં જોવા મળ્યા હતાં. જોકે, તેમણે એ કહ્યું કે તેઓ ઝાયરાના આ નિર્ણયનું સન્માન કરે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો