ભગવાન જગન્નાથ જ્યારે તેમના ભક્તોને દર્શન આપવા સામે ચાલીને આવ્યા હોય તો તે કેવી રીતે ચૂકી શકાય? આવી જ વાત જ્યારે ગુજરાતી ફિલ્મોના કલાકાર મલ્હાર ઠાકર રથયાત્રાના દર્શન કરવા પહોંચ્યા ત્યારે સાંભળવા મળી હતી. ‘થઇ જશે’ અને ‘છેલ્લો દિવસ’ જેવી બે સફળ ગુજરાતી અર્બન ફિલ્મ્સ આપ્યા પછી મલ્હાર આગામી ફિલ્મ ‘પાસપોર્ટ’માં દેખાશે. ખાડિયામાં આવેલી કામેશ્વરની પોળમાં મલ્હારે રથયાત્રાના દર્શન કર્યા હતા. તેની સાથે નવોદિત કલાકાર ઉજ્જવલ દવે પણ હતા.
જગન્નાથના આશીર્વાદ લેવા પહોંચ્યો મલ્હાર
I am Gujarat 6 Jul 2016, 4:06 pm