એપશહેર

ગુજરાતી એક્ટર કિરણ કુમારના 3 કોરોના રિપોર્ટ નેગેટિવ, આ રીતે ક્વોરન્ટીનમાં પસાર કરતા સમય

Gaurang Joshi | TNN 27 May 2020, 4:35 pm
બોલિવૂડમાં પોતાના અભિનયના ઓજસ પાથરનાર પીઢ ગુજરાતી અભિનેતા કિરણ કુમારનો 14 મેના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પછી કિરણ કુમારને તેમના જ બંગલોમાં ક્વોરન્ટીન હેઠળ રાખવામાં આવ્યા હતાં. જોકે, હવે એક્ટરે રાહતના સમાચાર ફેન્સ સાથે શૅર કર્યા છે કે તેમના 3 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. એક્ટર તરફથી જ સ્ટેટમેન્ટ જાહેર કરીને આ અંગે જાણકારી આપવામાં આવી હતી.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોઘરમાં જ બનાવી નાખ્યું હતું આઈસોલેશન ઝોન74 વર્ષના એક્ટરે ઓફિશ્યિલ સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે, એવું કહેવું જ યોગ્ય રહેશે કે હાલ તો કેટલીક વાતો પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે આ રીતની મુસીબત અમારા માટે રોજની હકીકત બની જશે. જોકે, આવું થઈ ગયું છે. થોડા દિવસો પહેલા મારે રુટિન ચેકઅપ માટે જવું પડ્યું હતું. જેમાં સરકારની ગાઈડલાઈન હેઠળ Covid-19નો ટેસ્ટ કરવો પણ જરુરી હતો. મારી સાથે મારી દીકરી પણ આવી હતી અને અમે મજાક કરી રહ્યા હતાં. અમને વિશ્વાસ હતો કે આ માત્ર એક ઔપચારિકતા છે અને જિંદગી ફરી નોર્મલ થશે. ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. થોડા જ કલાક પછી અમે ઘરના એક માળને આઈસોલેશન ઝોન બનાવી દીધો હતો.માહિતી આપી ડોક્ટર્સે દૂર કર્યો ડરએક્ટરે આગળ ઉમેર્યુ હતું કે, હિંદુજા અને લીલાવતી હોસ્પિટલના ડોક્ટર્સે અમને ખૂબ જ જાણકારી આપી હતી. જેથી ડર ન ફેલાય. અમે બીએમસીને સૂચના આપી અને બધાએ ભરપૂર વિટામીન લીધા હતાં. આજે ટેસ્ટ પછી હવે મને એ જણાવતા ખુશી થઈ રહી છે કે રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મારો પરિવાર પણ આઈસોલેશનના નિયમોને કડકાઈથી પાલન કરી રહ્યો છે. મારામાં કોઈ જ લક્ષણ નહોતા અને આઈસોલેશનમાં માત્ર કંટાળો આવતો હતો બીજી કોઈ ફરિયાદ જ નહોતી.આ રીતે પસાર કરે છે સમયકિરણ કુમારે એ પણ જણાવ્યું હતું કે, તેમણે ઘરગથ્થુ ઉપચાર તરીકે હળદરનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. તેમણે લોકોને પોઝિટિવ રહેવાની સલાહ આપી હતી. કિરણ કુમારે એ પણ ઉમેર્યું કે તેમણે મેડિટેશન કર્યું, વેબ સીરિઝ જોઈ હતી અને ભરપુર પુસ્તકો પણ વાંચ્યા હતાં. તેમણે પરિવારના સભ્યો, ડોક્ટર્સ અને મેડિકલ વર્કર્સના પણ વખાણ કર્યા. તેમણે ઉમેર્યું કે ડોક્ટર્સ અને મેડિકલ ટીમ ખરેખર રિયલ સુપરહીરોઝ છે.કોરોનાને હરાવી ચૂક્યા આ સેલેબ્સકિરણ કુમારે જણાવ્યું હતું કે, ‘કોરોનાની આફતના કારણે પૃથ્વીના ઝખમ પણ સ્વસ્થ થઈ રહ્યાં છે એ સારી બાબત છે. આ સાથે જ કહ્યું કે કુદરત પણ પોતાની સારસંભાળ લઈ રહી છે તો ભલે લોકો ફિઝિકલી દૂર થઈ ગયા છે પરંતુ ઈમોશનલી એકદમ નજીક આવ્યા છે.’ નોંધનીય છે કે કિરણ કુમાર પહેલા બોલિવૂડ સિંગર કનિકા કપૂર, ફિલ્મ ડિરેક્ટર કરીમ મોરાની અને તેમની બન્ને દીકરીઓ, ઝોઆ મોરાની અને શાઝિયા મોરાની પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા હતાં. જોકે, હવે આ દરેક સેલેબ્સ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો