એપશહેર

'પદ્માવતી' જોયા બાદ પત્રકારોએ આપ્યો આવો રિવ્યૂ

Shailesh Thakkar | I am Gujarat 18 Nov 2017, 4:23 pm
I am Gujarat few editors watched padmavati see thier reactions on film
'પદ્માવતી' જોયા બાદ પત્રકારોએ આપ્યો આવો રિવ્યૂ


રાજપૂત સમાજ કરી રહ્યો છે ફિલ્મનો વિરોધ

દીપિકા પાદુકોણની કેન્દ્રીય ભૂમિકાવાળી ફિલ્મ પદ્માવતીનો રાજપૂત સમાજ વિરોધ કરી રહ્યો છે. શુક્રવારે રાજસ્થાનના પ્રસિદ્ધ ચિત્તોડગઢ કિલ્લાને બંધ કરી દેવાયો. મુંબઈ પોલીસે ફિલ્મના વિરોધ દરમિયાન કાયદો હાથમાં લેનારા સંગઠનો અને લોકો વિરુદ્ધ ચેતાવણી રજૂ કરી છે. ‘પદ્માવતી’ના નિર્માતાઓ અને કલાકારોને પ્રદર્શનકારીઓએ શારિરીક નુકસાન પહોંચાડવાની ધમકી આપી છે. તેમનું કહેવું છે કે, તેઓ રાજપૂત ઈતિહાસની વિકૃતિઓને દેખાડવા નહીં દે.

પત્રકારો માટે રખાયું સ્પેશિયલ સ્ક્રિનિંગ

સત્તારુઢ ભાજપ સરકારે પણ કહ્યું કે, ફિલ્મ નિર્માતાઓને ઐતિહાસિક તથ્યોને વિકૃત ન કરવા જોઈએ. આવામાં રજત શર્મા અને ઘણા અન્ય ટીવી પત્રકારોએ ફિલ્મને સમર્થન આપ્યું છે. ફિલ્મના પ્રોડ્યૂસર્સે કેટલાક પત્રકારો માટે સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખી હતી. ફિલ્મ જોયા બાદ રજત શર્માએ કહ્યું કે, ફિલ્મનો કોઈપણ સીન રાજપૂત સમાજની આન-બાન-શાન વિરુદ્ધ નથી. તેમણે પોતાના શોમાં કહ્યું કે, ‘ફિલ્મ જોયા બાદ હું દાવા સાથે કહી શકું કે, કોઈ નહીં કહી શકે કે, આખી ફિલ્મની થીમમાં કંઈ એવું છે જે રાજપૂતોના ગૌરવશાળી ઈતિહાસની વિરુદ્ધમાં હોય.’

શું છે ફિલ્મમાં?

એક વરિષ્ઠ પત્રકાર વેદ પ્રતાપ વૈદિકે કહ્યું કે, ‘આખી ફિલ્મમાં એવી કોઈ જ બાબત નથી કે જેનાથી એવી આશંકા થાય કે, પદ્માવતીને અલાઉદ્દીન માટે કોઈ આકર્ષણ હતું. પદ્માવતી સાહસ અને ચતુરાઈનું દૃષ્ટાંત છે જે આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે.’

રિલીઝ થઈ શકશે પદ્માવતી?

મોટાભાગના વિરોધ પ્રદર્શન રાજસ્થાનમાં થયા છે પણ કેટલાક મુંબઈમાં પણ થયા છે. ફિલ્મમ પહેલી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. સેન્સર બોર્ડે પણ હજુ સુધી ફિલ્મને મંજૂરી આપી નથી બની શકે છે કે, ફિલ્મને સ્થગિત કરી દેવામાં આવે પણ હજુ સુધી નિર્માતાઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો