ભારતીય સિનેમાના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મણિરત્નમે સાઉથ વર્સીઝ બોલીવુડના વિવાદ પર રિએક્શન આપ્યું છે. પોન્નિયિન સેલ્વન 2ના પ્રમોશનમાં વ્યસ્ત રહેલા આ નિર્માતાએ બોલીવુડવાળાઓને પોતાનો મંતવ્ય આપ્યો છે. તેમને સ્પષ્ટ કહ્યું હતું કે, સૌથી પહેલાં તો સિનેમાવાળાએ પોતાને બોલીવુડ કહેવાનું બંધ કરી દેવું જોઈએ. આ બોલીવુડ કે કોલીવુડ કહીને ઈન્ડસ્ટ્રીનું લેબલ બંધ કરવું પડશે. હાલમાં જ મણિરત્નમ્ ચેન્નઈમાં એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. અહીં તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અંગે અનેક વિષયો પર ચર્ચા કરી હતી. તે દરમિયાન તેમણે ભારતીય સિનેમા પર પોતાનો મંતવ્ય આપ્યો હતો. ચેન્નઈની એક સમિટમાં ભાગ લેતા વખતે મણિરત્નમ બોલ્યા
ચેન્નઈમાં સીઆઈઆઈ દક્ષિણ મીડિયા એન્ડ એન્ટરટેઈન્મેન્ટ સમિટમાં મણિરત્નમથી લઈને કન્નડ સ્ટાર ઋષભ શેટ્ટીએ ભાગ લીધો હતો. તે દરમિયાન નેશનલ વિનિંગ એવોર્ડ મણિરત્નમે કહ્યું હતું કે, હિન્દી સિનેમાને પહેલા તો બોલીવુડ કહેવું બંધ કરવું જોઈએ. ત્યારે જઈને લોકો ભારતીય સિનેમાને બોલીવુડ સમજવાનું બંધ કરશે. તેમણે એ પણ કહ્યું હતું કે, આપણે આ ઈન્ડસ્ટ્રીને ભારતીય સિનેમા તરીકે જોવી જોઈએ.
કન્નડ અભિનેતાએ આપ્યો પોતાનો મંતવ્ય
આ પેનલમાં કન્નડ અભિનેતા અને ડિરેક્ટર ઋષભ શેટ્ટી પણ સામેલ હતા. તેમણે એન્ટરટેઈન્મેન્ટ જગત અંગે વાત કરતા પોતાનો મંતવ્ય આપતા જણાવ્યું હતું કે, ફિલ્મમેકર્સે સ્થાનિક વિષયો પર પણ ધ્યાન આપવું જોઈએ. દેશમાં એવા અનેક જરૂરી વિષય છે, જેને ફિલ્મના માધ્યમથી બતાવી શકાય છે. મહત્વનું છે કે, મણિરત્નમની ફિલ્મ પોન્નિયિન સેલ્વન 2 ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન, વિક્રમ, શોભિતાથી લઈને તૃષા કૃષ્ણન જેવા સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મ ચાર ભાગમાં બનનારી સિરીઝ છે, જે સિનેમાઘરોમાં 28મી એપ્રિલે રિલીઝ થઈ રહી છે.
28મીએ સિનેમાઘરોમાં થશે રિલીઝ
આપને જણાવી દઈએ કે, હિન્દી સિનેમાની અનેક ફિલ્મો અત્યારે સિનેમાઘરોમાં કંઈ ખાસ પ્રદર્શન નથી કરી શકી. ઉલટાની સાઉથની ફિલ્મો ધડાધડ હિટ પર હિટ સાબિત થઈ રહી છે. આવામાં ફિલ્મનિર્માતા મણિરત્નમે આવું નિવેદન આપતાં તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે. તેમની આ ફિલ્મ 28મી એપ્રિલે રિલીઝ થઈ રહી છે.
ચેન્નઈમાં સીઆઈઆઈ દક્ષિણ મીડિયા એન્ડ એન્ટરટેઈન્મેન્ટ સમિટમાં મણિરત્નમથી લઈને કન્નડ સ્ટાર ઋષભ શેટ્ટીએ ભાગ લીધો હતો. તે દરમિયાન નેશનલ વિનિંગ એવોર્ડ મણિરત્નમે કહ્યું હતું કે, હિન્દી સિનેમાને પહેલા તો બોલીવુડ કહેવું બંધ કરવું જોઈએ. ત્યારે જઈને લોકો ભારતીય સિનેમાને બોલીવુડ સમજવાનું બંધ કરશે. તેમણે એ પણ કહ્યું હતું કે, આપણે આ ઈન્ડસ્ટ્રીને ભારતીય સિનેમા તરીકે જોવી જોઈએ.
કન્નડ અભિનેતાએ આપ્યો પોતાનો મંતવ્ય
આ પેનલમાં કન્નડ અભિનેતા અને ડિરેક્ટર ઋષભ શેટ્ટી પણ સામેલ હતા. તેમણે એન્ટરટેઈન્મેન્ટ જગત અંગે વાત કરતા પોતાનો મંતવ્ય આપતા જણાવ્યું હતું કે, ફિલ્મમેકર્સે સ્થાનિક વિષયો પર પણ ધ્યાન આપવું જોઈએ. દેશમાં એવા અનેક જરૂરી વિષય છે, જેને ફિલ્મના માધ્યમથી બતાવી શકાય છે. મહત્વનું છે કે, મણિરત્નમની ફિલ્મ પોન્નિયિન સેલ્વન 2 ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન, વિક્રમ, શોભિતાથી લઈને તૃષા કૃષ્ણન જેવા સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મ ચાર ભાગમાં બનનારી સિરીઝ છે, જે સિનેમાઘરોમાં 28મી એપ્રિલે રિલીઝ થઈ રહી છે.
28મીએ સિનેમાઘરોમાં થશે રિલીઝ
આપને જણાવી દઈએ કે, હિન્દી સિનેમાની અનેક ફિલ્મો અત્યારે સિનેમાઘરોમાં કંઈ ખાસ પ્રદર્શન નથી કરી શકી. ઉલટાની સાઉથની ફિલ્મો ધડાધડ હિટ પર હિટ સાબિત થઈ રહી છે. આવામાં ફિલ્મનિર્માતા મણિરત્નમે આવું નિવેદન આપતાં તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે. તેમની આ ફિલ્મ 28મી એપ્રિલે રિલીઝ થઈ રહી છે.