એપશહેર

સંસ્કારી જેઠાલાલને લાગી આવી ખરાબ લત! બાપુજી અને બબીતાના ખાધા સોગંધ

Yogesh Gajjar | I am Gujarat 29 Nov 2017, 5:33 pm
I am Gujarat jethalal falls in bad habit of gambling in taarak mehta ka oolta chashma serial
સંસ્કારી જેઠાલાલને લાગી આવી ખરાબ લત! બાપુજી અને બબીતાના ખાધા સોગંધ


જેઠાલાલ પર ગુસ્સે થયા બાપુજી

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલ એક સંસ્કારી દિકરો છે, જે પોતાના પિતાના પગે લાગે છે અને તેમનાથી ડરે પણ છે. આટલું જ નહીં દિલથી બાપુજીની ઈજ્જત પણ કરે છે. પરતુ આવનારા એપિસોડમાં એવું કંઈ બનવાનું છે કે તમને જોરને ઝટકો લાગી શકે છે. ‘તારક મેહકા કા ઉલ્ટા ચશ્મા’માં નવું ટ્વિસ્ટ આવ્યું છે. જેઠાલાલ જુગારીઓના ચક્કરમાં ફસાઈ ગયો છે અને બાપુજીના ભયંકર ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે.

શું હતું કારણ?

એક દિવસે બાપુજી જેઠાલાલને સવાર-સવારમાં ચાલવા માટે કહે છે કો જેઠાલાલ કહે છે કે બધા સાથે મળીને પત્તા રમીએ. ગુસ્સે થઈને બાપુજી એકલા જ ચાલવા માટે જતા રહે છે. પરંતુ આગલા જ દિવસે બાપુજીને અજાણ્યા શખ્સનો ફોન આવે છે કે જેઠાલાલ જુગારમાં 35,000 રૂપિયા હારી ગયો છે અને તે ધમકી આપે છે કે પૈસા પાછા ન આપ્યા તો ખરાબ પરિણામ આવશે. જેઠાલાલના ઘણું સમજાવ્યા બાદ પણ બાપુજી તેના પર વિશ્વાસ નથી કરતા અને અહીંયાંથી જ સસ્પેન્સ શરૂ થાય છે.

દિલીપ જોશીએ જણાવ્યો અનુભવ

આ વિશે દિલીપ જોશી કહે છે, ‘આ સમગ્ર પ્રકરણ ખૂબ જ મજેદાર છે. તમે વિચારી પણ નહીં શકો કે હકિકત શું છે. જુગાર રમવો, જીતવું, હારવું અને કોઈપણ રીતે તેના લપેટામાં આવવું ખૂબ જ ખતરનાક હોય છે.’ હવે જેઠાલાલને સાચે જ જુગાર રમવાની લત લાગી ગઈ છે કે નહીં તે તો આવનારા એપિસોડમાં જ માલુમ પડશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો