એપશહેર

નાગા ચૈતન્ય પાસેથી એક રુપિયો પણ નહીં લે સામંથા, ભરણપોષણની 200 કરોડની રકમ ફગાવી!

છૂટાછેડા પછી પૂર્વ પતિ નાગૈ ચૈતન્ય પાસેથી એક રુપિયો લેવાની પણ સામંથાએ ના પાડી દીધી, આ કારણોસર મસમોટી રકમ ઠુકરાવી.

I am Gujarat 3 Oct 2021, 4:27 pm
લોકોના ફેવરિટ અને સ્ટાર કપલ તરીકે ઓળખાતા સામંથા અક્કિનેની અને નાગા ચૈતન્યએ સોશિયલ મીડિયા પર પોતાના છૂટાછેડાની જાહેરાત કરી છે. લાંબા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે આ બન્ને અલગ થવાના છે. આખરે કપલે પોતે જ જાહેરાત કરી અને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે. સામંથા અને નાગા ચૈતન્યએ એક જોઈન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરીને લોકોને આ ખબર આપી છે. તેમણે જણાવ્યું છે કે તેઓ હવે પતિ-પત્ની તરીકે સાથે નહીં રહે. આ સમાચાર સાંભળીને તેમના ફેન્સ ઘણાં દુખી થયા છે. આ સ્ટાર કપલને લોકો એકસાથે જોવાનું પસંદ કરતા હતા.
I am Gujarat pablo - 2021-10-03T162705.916


એક તરફ છૂટાછેડાની અટકળોનો અંત આવ્યો છે ત્યારે એવી ચર્ચા ચાલી રહી છે નાગા ચૈતન્યના પરિવાર તરફથી સામંથાને ભરણપોષણ તરીકે 200 કરોડ રુપિયા આપવાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ પ્રાપ્ત જાણકારી અનુસાર સામંથાએ આ ઓફર ઠુકરાવી દીધી છે. સામંથાને આ પ્રકારની ઓફર કરવામાં આવી તો તેને ગમ્યું પણ નથી. રિપોર્ટ અનુસાર, સામંથા પોતાને સ્વતંત્ર અને પોતાની મહેનતથી આગળ આવનારી મહિલા માને છે, તેને આ પ્રકારના પૈસાની જરુર નથી.

નોંધનીય છે કે નાગા ચૈતન્ય સાથે છૂટાછેડાની જાહેરાત કર્યા પછી સામંથાએ ઈન્સ્ટાગ્રામ પર કમેન્ટ સેક્શનને ઓફ કરી દીધો છે, એટલે કે યુઝર્સ તેની પોસ્ટ પર કમેન્ટ નથી કરી શકતા. સામંથાએ શનિવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, અમારા તમામ શુભચિંતકો. બહુ સમજી-વિચારીને મેં અને ચૈય એ પતિ-પત્ની તરીકે પોતાના રસ્તા અલગ કરવાનો નિર્ણય લીધો છે. અમે નસીબદાર છીએ કે લાંબા સમયથી અમારી સારી મિત્રતા હતી, જે અમારા સંબંધનો આધાર હતી. આ મિત્રતા અમારા વચ્ચે ખાસ સંબંધને રાખશે. સામંથાએ એની પોસ્ટમાં લખ્યું છે કે, અમે અમારા ચાહકો, શુભચિંતકો અને મીડિયાને વિનંતી કરીએ છીએ કે આ ગંભીર સમયમાં અમારો સાથ આપે અને આગળ વધવા માટે અમારી પ્રાઇવેસીનું ધ્યાન રાખે. તમારા સપોર્ટ માટે આભાર.

સામંથા અને નાગા ચૈતન્યનું લગ્નજીવન ત્યારે જ ચર્ચામાં આવ્યું હતું જ્યારે સામંથાએ એના એક સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાના નામ આગળથી સરનેમ હટાવી દીધી હતી અને પોતાના નામની જગ્યાએ 'S' લખ્યો હતો. સામંથા અને નાગા ચૈતન્ય 2014ની ફિલ્મ ઓટોનાગર સૂર્યાના શૂટિંગ દરમિયાન પ્રેમમાં પડ્યા હતા જે પછી 2017માં બંનેએ ગોવામાં લગ્ન કર્યા હતા.

Read Next Story