એપશહેર

'અનુપમા' ફેમ એક્ટર Nitesh Pandeyનું 51 વર્ષની વયે અવસાન, ઈગતપુરીમાં સેટ પર જ આવ્યો હાર્ટ અટેક!

Nitesh Pandey: મનોરંજન જગતમાં છેલ્લા ચાર દિવસમાં ત્રણ કલાકારોના મોતના સમાચાર આવ્યા છે. એક્ટર આદિત્ય સિંહ રાજપૂત, એક્ટ્રેસ વૈભવી ઉપાધ્યાયના મોતના આઘાતમાંથી હજી તો ટીવી જગત બહાર નથી આવ્યું ત્યાં વધુ એક કલાકારના અવસાનના સમાચાર આવ્યા છે. છેલ્લે સીરિયલ 'અનુપમા'માં જોવા મળેલા અભિનેતા નિતેશ પાંડેનું 51 વર્ષની વયે અવસાન થયું છે.

Authored byVickey Lalwani | Edited byશિવાની જોષી | etimes.in 24 May 2023, 11:17 am

હાઈલાઈટ્સ:

  • 'અનુપમા' સીરિયલમાં ધીરજ કુમારનો રોલ કરનારા અભિનેતા નિતેશ પાંડેનું અવસાન.
  • નિતેશ પાંડને હાર્ટ અટેક આવતાં શૂટિંગ લોકેશન પર જ મોત થયું હતું.
  • નિતેશ પાંડે નાસિક પાસે ઈગતપુરીમાં શૂટિંગ કરી રહ્યા હતા.

હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat nitesh pandey 1200
ટીવી ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા ચાર દિવસમાં ત્રણ કલાકારોએ જીવ ગુમાવ્યા છે. એક્ટર આદિત્ય સિંહ રાજપૂતના મોતના સમાચાર આવ્યાના એક દિવસ પછી 'સારાભાઈ વર્સિસ સારાભાઈ'ની એક્ટ્રેસ વૈભવી ઉપાધ્યાયનું રોડ એક્સિડન્ટમાં મોત થયું હોવાનો ખુલાસો થયો. હવે 'અનુપમા' સીરિયલમાં જોવા મળેલા એક્ટપ નિતેશ પાંડે (Nitesh Pandey)નું અવસાન થયું છે. આ સીરિયલમાં તેઓ ધીરજ કુમારના રોલમાં જોવા મળ્યા હતા. 51 વર્ષીય નિતેશ પાંડે ગત રાત્રે નાસિકમાં ઈગતપુરી નજીક શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને હાર્ટ અટેક આવ્યો હતો. હાર્ટ અટેક આવ્યાની ગણતરીની મિનિટોમાં જ તેમનું મોત થયું હોવાનું કહેવાઈ રહ્યું છે.
હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો
નિતેશના સાળાએ કરી પુષ્ટિ

નિતેશના સાળા અને પ્રોડ્યુસર સિદ્ધાર્થ નાગરે આ વાતની પુષ્ટિ કરી છે. અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવી સાથે વાત કરતાં સિદ્ધાર્થ નાગરે કહ્યું, "હા આ વાત સાચી છે. મારા જીજાજી નિતેશ આ દુનિયામાં નથી રહ્યા. મારી બહેન અર્પિતા પાંડે હાલ ઊંડા શોકમાં સરી પડી છે. નિતેશના પાર્થિવ દેહને લેવા માટે તેમના પિતા ઈગતપુરી રવાના થયા છે. તેઓ બપોર સુધીમાં મુંબઈ આવી જશે. અમે સ્તબ્ધ થયા છે.આ ઘટના પછી હું મારી બહેન સાથે વાત નથી કરી શક્યો."

'સારાભાઈ વર્સિસ સારાભાઈ' ફેમ વૈભવી ઉપાધ્યાયનું રોડ એક્સિડન્ટમાં મોત, કાર ખીણમાં પડી

હૃદય સંબંધિત બીમારી ના હોવાનો ખુલાસો

સિદ્ધાર્થે આગળ કહ્યું, "હું પણ ઈગતપુરી જવા નીકળી ગયો છું અને હાલ ટ્રેનમાં છું. મને આ સમાચાર મળ્યા ત્યારે હું દિલ્હીથી પાછો આવી રહ્યો હતો. નિતેશ મારાથી ખૂબ નાના હતા. તેઓ જિંદાદિલ વ્યક્તિ હતા. મને યાદ નથી કે, તેમને હૃદય સંબંધિત કોઈ બીમારી હતી."

રાજકોટના બિઝનેસમેનના પ્રેમમાં પડી આ ટીવી એક્ટ્રેસ, લગ્નના પ્લાન વિશે કરી વાત

ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે નિતેશ

નિતેશ પાંડેએ અગાઉ અશ્વિની કાલસેકર સાથે લગ્ન કર્યા હતા. હાલ તો અશ્વિની મુરલી શર્મા સાથે લગ્ન કરીને ઠરીઠામ થઈ છે. નિતેશ પાંડેે ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'માં શાહરૂખ ખાનના આસિસ્ટન્ટનો રોલ કર્યો હતો. આ સિવાય 'દબંગ 2', 'ખોસલા કા ઘોસલા' સહિત કેટલાય ટીવી શોમાં કામ કર્યું છે. તાજેતરમાં જ તેઓ ટીવી શો 'અનુપમા' અને 'ઈન્ડિયાવાલી મા'માં જોવા મળ્યા હતા. નિતેશ પાંડેએ 1990માં થિયેટર કરવાનું શરૂ કર્યું હતું. 1995માં 'તેજસ' નામના એક શોથી એક્ટિંગની તક મળી હતી. આ શોમાં તેઓ જાસૂસના રોલમાં જોવા મળ્યા હતા. નિતેશ પાંડેના અવસાથી મનોરંજન જગતના સિતારા આઘાતમાં છે.

Read Next Story