એપશહેર

આ વર્ષે બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવાની હતી આ એક્ટ્રેસ, કોરોનાના લીધે મુલતવી રાખ્યા

કોરોના મહામારી લગ્નપ્રસંગમાં વિઘ્ન બનીને આવી છે. 'ચીડિયા ઘર'ની 'કોયલ' પણ બોયફ્રેન્ડ સાથે આ વર્ષે લગ્ન કરવાની હતી. પરંતુ સ્થિતિને જોતા તેણે નિર્ણય મુલતવી રાખ્યો છે.

TNN 25 Jul 2020, 10:27 am
છેલ્લે 'ચીડિયા ઘર'માં જોવા મળેલી એક્ટ્રેસ અદિતિ સાજવાને ત્રણ વર્ષ બાદ ટીવી પર કમબેક કર્યું છે. તે 'અકબર બિરબલ'માં જોધાનો રોલ પ્લે કરતી જોવા મળશે, જેમાં તેની સાથે અલી અસગર અને વિશાલ કોટિયન પણ લીડ રોલમાં છે. કરિયર ગ્રાફના પ્રોગ્રેસને જોઈને અદિતિ ખૂબ ખુશ છે. પર્સનલ લાઈફની વાત કરીએ તો તે પોતાના બોયફ્રેન્ડ ઝેબ ખાન સાથે લગ્ન કરવાની તૈયાર કરી રહી હતી, પરંતુ વચ્ચે મહામારી નડી જતાં હાલ તેમણે લગ્ન કરવાનું મુલતવી રાખ્યું છે. બંનેની મુલાકાત 'જય શ્રી કૃષ્ણા' સીરિયલના સેટ પર થઈ ગઈ હતી અને બાદમાં 'મીરા' (2009-2010)દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.
I am Gujarat aditi sajwan


અદિતિએ કહ્યું કે, 'થોડા વર્ષ પહેલા ઝેબની મમ્મીને કેન્સરનું નિદાન થયું હતું, તે તેની કાળજી રાખી રહ્યો હતો. સમય જતાં અમે લગ્ન કરવાનો વિચાર કર્યો, તેની મમ્મીની સ્થિતિ લથડતી ગઈ અને તેઓ ગયા વર્ષના નવેમ્બર મહિનામાં મૃત્યુ પામ્યા. તેમના નિધનથી અમે બંને આઘાતમાં સરી પડ્યા હતા. તેથી જ્યારે લોકડાઉન લાગુ થયું ત્યારે હું ઝેબ જોડે રહેવા જતી રહી હતી કારણ કે હું તેને એકલો રહેવા દેવા નહોતી માગતી. અમે આ વર્ષે લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા હતા. અમારા લગ્નમાં અમારા પ્રિયજનો આવે તેમ અમે ઈચ્છીએ છીએ આ સિવાય અમે હનીમૂન માટે માલદિવ્સ જવા માગીએ છીએ. તેથી આ બધું શક્ય ન થાય ત્યાં સુધી અમે લગ્ન મુલતવી રાખ્યા છે'.

ઝેબના પરિવારે તેમના સંબંધોને મંજૂરી આપી દીધી છે, જ્યારે અદિતિનો પરિવાર તેની સખત વિરોધમાં છે. તેણે કહ્યું કે, 'અમે બંને અલગ-અલગ ધર્મના હોવાથી મારા પરિવારને અમારા વચ્ચેના સંબંધો મંજૂર નથી. મેં તેમની સંમતિ માટે ઘણી રાહ જોઈ. પરંતુ હવે મેં આશા રાખવાનું બંધ કરી દીધું છે. જ્યારે હું લગ્ન કરીશ ત્યારે તેમને આમંત્રણ આપીશ. તેઓ અમને બંનેને આશીર્વાદ આપવા માટે આવશે તેવી મારી અપેક્ષા છે'.

ત્રણ વર્ષ બાદ ટીવી પર કમબેક કરવા વિશે વાત કરતાં, એક્ટ્રેસે કહ્યું કે, 'મેં સતત 6 વર્ષ સુધી કામ કર્યું, અને મારો શો પૂરો થયા બાદ હું શારીરિક રીતે થાકી ગઈ હતી. હકીકતમાં તો હું એક મહિના સુધી હોસ્પિટલમાં રહી. ધીમે-ધીમે મારી હેલ્થ સારી થતી ગઈ અને હવે હું નવા પ્રોજેક્ટ માટે તૈયાર છે. મને શો મળ્યો તે માટે હું પોતાને ભાગ્યશાળી માનુ છું'.

ફિલ્મ રાબ્તા અને કેદારનાથના પ્રમોશન દરમિયાન સુશાંતને કરાયો હતો સાઈડલાઈન

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો