એપશહેર

'યે રિશ્તા...'માં આ પોપ્યુલર ટીવી એક્ટ્રેસની થશે એન્ટ્રી, વકીલ બની કાર્તિકની કરશે હેલ્પ

મિત્તલ ઘડિયા | I am Gujarat 18 Sep 2019, 11:17 am
સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ હાલમાં જ 3 હજાર એપિસોડ પૂરા કર્યા છે. આ શોમાં હાલ ફુલ ઓન ડ્રામા ચાલી રહ્યો છે અને દર્શકોને પણ તે જોવામાં મજા આવી રહી છે. ત્યારે સીરિયલમાં વધુ એક કેરેક્ટરની એન્ટ્રી થવાની છે. એક એન્ટરટેન્મેન્ટ વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં ટીવી એક્ટ્રેસ પાયર નાયર થોડા સમય માટે જોવા મળશે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પાયલ શોમાં કેમિયો રોલ કરતી જોવા મળશે. તે કાર્તિકના વકીલના રોલ પ્લે કરશે. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં પાયલે કહ્યું કે, ‘હું લગભગ 1 વર્ષ બાદ ટીવીમાં વાપસી કરી રહી છું. હું બીજા કમિટમેન્ટ્સ પૂરા કરવામાં બિઝી હતી. લાંબા સમય સુધી ચાલતા સાઈડ કેરેક્ટર કરતાં સારુ છે કે તમે કેટલાક એપિસોડ્સ માટે થોડો પાવરફુલ રોલ કરો’. આપને જણાવી દઈએ કે, પાયલ કેટલાક ટીવી શોમાં નેગેટિવ રોલ પણ પ્લે કરી ચૂકી છે.પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો, પાયલ છેલ્લે શો ‘એક દીવાના થા’માં જોવા મળી હતી. આ સિવાય તે મહેર, રિશ્તો કો ચક્રવ્યૂહ અને ચાંદ છુપા બાદલ મેં જેવી સીરિયલ પણ કરી ચૂકી છે.બીજી તરફ સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં હાલના પ્લોટની વાત કરીએઅ તો અખિલેશ અને લીઝા વચ્ચેના અફેરની વાતના જાણ ગોયંકા ફેમિલીને થઈ ગઈ છે. લીઝા સાથેના રિલેશનશિપની વાત જાણીને પૂરો પરિવાર અખિલેશનથી ગુસ્સે છે. તો બીજી તરફ કાર્તિક અને નાયરા વચ્ચે વધી રહેલી નિકટતા સામે વેદિકાને વાંધો પડી રહ્યો છે. 40 વર્ષની કામ્યા પંજાબી આ એક્ટરના પ્રેમમાં પાગલ હતી, બ્રેકઅપ થતાં ભાંગી પડી હતી
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story