હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે તહેવારોના રંગ થોડા ઝાંખા પડ્યા છે પરંતુ પૂજા બેનર્જીએ ઉજવણી માટેનો ઉત્સાહ જાળવી રાખ્યો છે. એક્ટ્રેસ પૂજા બેનર્જી હાલ સીરિયલ 'કુમકુમ ભાગ્ય'માં રિયા મહેરાના રોલમાં જોવા મળે છે. 'કુમકુમ ભાગ્ય' સાથે થોડા સમય પહેલા જ જોડાયેલી પૂજા સીરિયલની ટીમ સાથે બોન્ડિંગ વધારી રહી છે. તેણે શોની ટીમ સાથે નવરાત્રી અને દુર્ગા પૂજાની ઉજવણી કરી હતી. ત્યારે આજે કરવા ચોથ છે ત્યારે પૂજાએ પણ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખ્યું છે. આજે ઉપવાસ હોવા છતાં પૂજા શૂટિંગ કરી રહી છે. પૂજાની સાથે તેના પતિ સંદીપ સેજવાલે પણ તેના માટે વ્રત રાખ્યું છે. દર વર્ષની જેમ કપલ આ વર્ષે પણ ખૂબ જ ઉત્સાહ સાથે કરવા ચોથની ઉજવણી કરી રહ્યું છે.
કરવા ચોથ વિશે વાત કરતાં પૂજા બેનર્જીએ કહ્યું, "દર વર્ષે હું કરવા ચોથ પર ઉપવાસ કરું છું અને આ વખતે પણ કર્યો છે. સામાન્ય રીતે કરવા ચોથ પર દર વર્ષે હું શૂટિંગ કરતી હોઉં છું અને આ વર્ષે પણ આવું જ છે. આ વખતે હું 'કુમકુમ ભાગ્ય'નું શૂટિંગ કરી રહી છું. જો કે, આ વખતે મેં જલદી શૂટિંગ પૂરું કરવાની યોજના બનાવી છે. જેથી ઘરે જઈને પૂજા કર્યા પછી હું અને મારા પતિ સાથે વ્રત તોડી શકીએ. સાચું કહું તો સંદીપ મને નથી કહેતો કે હું તેના માટે ઉપવાસ કરું પરંતુ હું રાખું છું એટલે તે પણ મારી સાથે વ્રત કરે છે. હવે આ અમારી નાનકડી પરંપરા બની ગઈ છે."
આ વર્ષે કેવી રીતે ઉજવણી કરશે તે વિશે વાત કરતાં પૂજાએ કહ્યું, "મેં ક્યારેય મારા પરિવાર સાથે કરવા ચોથ નથી ઉજવી. હંમેશા ફ્રેન્ડ્સ સાથે મનાવી છે. અમે સૌ ભેગા મળીને પૂજા કરીએ અને ત્યાં સુધી અમારા પતિઓ એકબીજા સાથે વાતો કરે. પૂજા કર્યા પછી અમે સૌ સાથે મળીને ડિનર લઈએ છીએ. આ મારા એવા મિત્રો છે જેમને હું નાગપુરમાં રહેતી હતી ત્યારથી ઓળખું છું અને મુંબઈ શિફ્ટ થયા પછી પણ અમે સંપર્કમાં છીએ. માટે જ આ તહેવાર ખાસ છે અને દર વર્ષની જેમ આ વખતે પણ અમે સાથે કરવા ચોથ મનાવવાની પરંપરા જાળવી રાખીશું. જો કે, આ વખતે તકેદારી સાથે ઉજવણી કરીશું."
કરવા ચોથ વિશે વાત કરતાં પૂજા બેનર્જીએ કહ્યું, "દર વર્ષે હું કરવા ચોથ પર ઉપવાસ કરું છું અને આ વખતે પણ કર્યો છે. સામાન્ય રીતે કરવા ચોથ પર દર વર્ષે હું શૂટિંગ કરતી હોઉં છું અને આ વર્ષે પણ આવું જ છે. આ વખતે હું 'કુમકુમ ભાગ્ય'નું શૂટિંગ કરી રહી છું. જો કે, આ વખતે મેં જલદી શૂટિંગ પૂરું કરવાની યોજના બનાવી છે. જેથી ઘરે જઈને પૂજા કર્યા પછી હું અને મારા પતિ સાથે વ્રત તોડી શકીએ. સાચું કહું તો સંદીપ મને નથી કહેતો કે હું તેના માટે ઉપવાસ કરું પરંતુ હું રાખું છું એટલે તે પણ મારી સાથે વ્રત કરે છે. હવે આ અમારી નાનકડી પરંપરા બની ગઈ છે."
આ વર્ષે કેવી રીતે ઉજવણી કરશે તે વિશે વાત કરતાં પૂજાએ કહ્યું, "મેં ક્યારેય મારા પરિવાર સાથે કરવા ચોથ નથી ઉજવી. હંમેશા ફ્રેન્ડ્સ સાથે મનાવી છે. અમે સૌ ભેગા મળીને પૂજા કરીએ અને ત્યાં સુધી અમારા પતિઓ એકબીજા સાથે વાતો કરે. પૂજા કર્યા પછી અમે સૌ સાથે મળીને ડિનર લઈએ છીએ. આ મારા એવા મિત્રો છે જેમને હું નાગપુરમાં રહેતી હતી ત્યારથી ઓળખું છું અને મુંબઈ શિફ્ટ થયા પછી પણ અમે સંપર્કમાં છીએ. માટે જ આ તહેવાર ખાસ છે અને દર વર્ષની જેમ આ વખતે પણ અમે સાથે કરવા ચોથ મનાવવાની પરંપરા જાળવી રાખીશું. જો કે, આ વખતે તકેદારી સાથે ઉજવણી કરીશું."