સિંગર આદિત્ય નારાયણે 1 ડિસેમ્બર 2020ના રોજ લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ શ્વેતા અને આદિત્યનું ગ્રાન્ડ રિસેપ્શન યોજાયું હતું. જેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. હવે લગ્નના 15 દિવસ બાદ કપલ હનીમૂન પર પહોંચ્યું છે. આદિત્ય અને શ્વેતા હનીમૂન માટે ધરતી પરના સ્વર્ગ કહેવાતા કાશ્મીર ખાતે પહોંચ્યા છે.
આદિત્ય નારાયણે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પત્ની સાથેની એક તસવીર શેર કરી છે. જેમાં શ્વેતાએ લાલ રંગની વુલન કેપ અને પિંક સ્વેટર પહેરેલું છે. જ્યારે આદિત્ય નારાયણ વિન્ટર જેકેટ અને સનગ્લાસિસમાં જોવા મળે છે. શ્રીનગરથી ફેન્સ સાથે તસવીર શેર કરતાં આદિત્યએ લખ્યું, "હનીમૂન શરૂ! ધરતી પરના સ્વર્ગ કાશ્મીરની પહેલીવાર મુલાકાત લઈ રહ્યો છું. #IncredibleIndia."
અગાઉ અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં આદિત્ય નારાયણે લગ્નને સાકાર થયેલા સપના સમાન ગણાવ્યા હતા. આદિત્ય અને શ્વેતા લગ્ન પહેલા 10 વર્ષ સુધી રિલેશનશીપમાં હતા. આદિત્યએ કહ્યું હતું, "વિશ્વાસ નથી થતો મારા અને શ્વેતાના લગ્ન થયા છે. એવું લાગે છે કે આ સપનું છે જે સાચું પડ્યું છે." પોતાની સોલમેટ મળવાની ખુશી વ્યક્ત કરતાં આદિત્યએ આગળ કહ્યું, "હું મારું જીવન શ્વેતા સિવાય કોઈ અન્ય વ્યક્તિ સાથે વિતાવવાનું વિચારી પણ નથી શકતો. તેણે મને મારી જાતનું વધુ સારું વર્ઝન બનાવ્યો છે. તેણી એવી વ્યક્તિ છે જેની સાથે હું જેવો છું તેવો રહી શકું છું."
હનીમૂન પર આદિત્ય અને શ્વેતા કાશ્મીરી ફૂડનો આસ્વાદ લઈ રહ્યા છે. આદિત્ય અને શ્વેતાના ફેન પેજ પર એક વિડીયો શેર કરવામાં આવ્યો જેમાં તેઓ ફૂડ વિશે વાત કરે છે. આદિત્ય કહે છે કે, "અહીં બધું જ અદ્ભૂત છે અને અમે અમારા હનીમૂન પર છીએ. હવે મારા ડાયટની બલિ ચઢી ગઈ છે." ત્યારે શ્વેતા કહે છે, "અમે કાશ્મીરની લગભગ દરેક વાનગી ચાખી છે અને હવે અમે ફરી બીજું ફૂડ ખાવા માટે અહીં પાછા આવીશું."
કાશ્મીરથી આદિત્ય અને શ્વેતાની કેટલીક તસવીરો પણ વાયરલ થઈ રહી છે. કાશ્મીરમાં હાલ હાડ થીજવતી ઠંડી પડી રહી છે ત્યારે નવદંપતી વિન્ટર વેરમાં પોઝ આપતું જોવા મળી રહ્યું છે.
જણાવી દઈએ કે, લગ્ન બાદ આપેલા એક ઈન્ટરવ્યૂમાં આદિત્ય નારાયણે હનીમૂન પ્લાન્સ વિશે ખુલાસો કરતાં કહ્યું હતું કે, તેઓ ત્રણ જગ્યાએ જશે. સિંગરે કહ્યું હતું, "શિલિમ, સુલા વાઈનયાર્ડ્સ અને ગુલમર્ગ. આ ત્રણ સ્થળોએ નાના-નાના વેકેશન માટે જઈશ. મારે દર અઠવાડિયે શૂટિંગ માટે મુંબઈ પરત આવવાનું હોવાથી અમે આ રીતે તબક્કાવાર હનીમૂનનું પ્લાનિંગ કર્યું છે." જણાવી દઈએ કે લગ્ન બાદ શ્વેતા અને આદિત્ય નારાયણે હાલમાં જ કોરિયોગ્રાફર પુનિત પાઠક અને નિધિના રિસેપ્શનમાં હાજરી આપી હતી. ફ્રેન્ડના લગ્ન પતાવ્યા પછી હવે કપલ પોતાના પહેલા હનીમૂન માટે કાશ્મીર પહોંંચી ગયું છે.
આદિત્ય નારાયણે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પત્ની સાથેની એક તસવીર શેર કરી છે. જેમાં શ્વેતાએ લાલ રંગની વુલન કેપ અને પિંક સ્વેટર પહેરેલું છે. જ્યારે આદિત્ય નારાયણ વિન્ટર જેકેટ અને સનગ્લાસિસમાં જોવા મળે છે. શ્રીનગરથી ફેન્સ સાથે તસવીર શેર કરતાં આદિત્યએ લખ્યું, "હનીમૂન શરૂ! ધરતી પરના સ્વર્ગ કાશ્મીરની પહેલીવાર મુલાકાત લઈ રહ્યો છું. #IncredibleIndia."
અગાઉ અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં આદિત્ય નારાયણે લગ્નને સાકાર થયેલા સપના સમાન ગણાવ્યા હતા. આદિત્ય અને શ્વેતા લગ્ન પહેલા 10 વર્ષ સુધી રિલેશનશીપમાં હતા. આદિત્યએ કહ્યું હતું, "વિશ્વાસ નથી થતો મારા અને શ્વેતાના લગ્ન થયા છે. એવું લાગે છે કે આ સપનું છે જે સાચું પડ્યું છે." પોતાની સોલમેટ મળવાની ખુશી વ્યક્ત કરતાં આદિત્યએ આગળ કહ્યું, "હું મારું જીવન શ્વેતા સિવાય કોઈ અન્ય વ્યક્તિ સાથે વિતાવવાનું વિચારી પણ નથી શકતો. તેણે મને મારી જાતનું વધુ સારું વર્ઝન બનાવ્યો છે. તેણી એવી વ્યક્તિ છે જેની સાથે હું જેવો છું તેવો રહી શકું છું."
હનીમૂન પર આદિત્ય અને શ્વેતા કાશ્મીરી ફૂડનો આસ્વાદ લઈ રહ્યા છે. આદિત્ય અને શ્વેતાના ફેન પેજ પર એક વિડીયો શેર કરવામાં આવ્યો જેમાં તેઓ ફૂડ વિશે વાત કરે છે. આદિત્ય કહે છે કે, "અહીં બધું જ અદ્ભૂત છે અને અમે અમારા હનીમૂન પર છીએ. હવે મારા ડાયટની બલિ ચઢી ગઈ છે." ત્યારે શ્વેતા કહે છે, "અમે કાશ્મીરની લગભગ દરેક વાનગી ચાખી છે અને હવે અમે ફરી બીજું ફૂડ ખાવા માટે અહીં પાછા આવીશું."
કાશ્મીરથી આદિત્ય અને શ્વેતાની કેટલીક તસવીરો પણ વાયરલ થઈ રહી છે. કાશ્મીરમાં હાલ હાડ થીજવતી ઠંડી પડી રહી છે ત્યારે નવદંપતી વિન્ટર વેરમાં પોઝ આપતું જોવા મળી રહ્યું છે.
જણાવી દઈએ કે, લગ્ન બાદ આપેલા એક ઈન્ટરવ્યૂમાં આદિત્ય નારાયણે હનીમૂન પ્લાન્સ વિશે ખુલાસો કરતાં કહ્યું હતું કે, તેઓ ત્રણ જગ્યાએ જશે. સિંગરે કહ્યું હતું, "શિલિમ, સુલા વાઈનયાર્ડ્સ અને ગુલમર્ગ. આ ત્રણ સ્થળોએ નાના-નાના વેકેશન માટે જઈશ. મારે દર અઠવાડિયે શૂટિંગ માટે મુંબઈ પરત આવવાનું હોવાથી અમે આ રીતે તબક્કાવાર હનીમૂનનું પ્લાનિંગ કર્યું છે." જણાવી દઈએ કે લગ્ન બાદ શ્વેતા અને આદિત્ય નારાયણે હાલમાં જ કોરિયોગ્રાફર પુનિત પાઠક અને નિધિના રિસેપ્શનમાં હાજરી આપી હતી. ફ્રેન્ડના લગ્ન પતાવ્યા પછી હવે કપલ પોતાના પહેલા હનીમૂન માટે કાશ્મીર પહોંંચી ગયું છે.