એપશહેર

આદિત્ય નારાયણે ખરીદ્યો છે 5 BHK ફ્લેટ, પત્ની સાથે ટૂંક સમયમાં થશે શિફ્ટ

સિંગર આદિત્ય નારાયણે પોતાની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલે હાલમાં જ લગ્ન કર્યા. આદિત્યે 5 BHK ફ્લેટ ખરીદ્યો છે, જ્યાં તે જલ્દી પત્ની સાથે શિફ્ટ થશે.

I am Gujarat 5 Dec 2020, 10:46 am
બોલિવુડ એક્ટર, સિંગર અને રિયાલિટી શોનો હોસ્ટ આદિત્ય નારાયણ હાલ પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. પહેલી ડિસેમ્બરે આદિત્યએ પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરી લીધા. જે બાદ બીજી ડિસેમ્બરે મુંબઈની હોટેલમાં તેમણે ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન પણ કર્યું હતું. આદિત્ય અને શ્વેતાના લગ્ન અને રિસેપ્શનના વીડિયો તેમજ તસવીરો સોશિયલ મીડિયા પર હજુ પણ વાયરલ થઈ રહી છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારની ગાઈડલાઈન્સ ફોલો કરતાં આદિત્યના લગ્નમાં પરિવારના સભ્યો તેમજ નજીકના સંબંધીઓ જ ઉપસ્થિત રહ્યા હતા.
I am Gujarat aditya narayan bought 5 bhk flat will shift with wife soon
આદિત્ય નારાયણે ખરીદ્યો છે 5 BHK ફ્લેટ, પત્ની સાથે ટૂંક સમયમાં થશે શિફ્ટ


View this post on Instagram A post shared by Aditya Narayan (@adityanarayanofficial)

લેટેસ્ટ રિપોર્ટ્સ પ્રમાણે, લગ્ન બાદ આદિત્ય નારાયણ પત્ની સાથે પોતાના નવા ઘરમાં શિફ્ટ થવા જઈ રહ્યો છે. આદિત્યએ લગ્ન પહેલા જ એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. આ વિશે વાત કરતાં આદિત્યએ કહ્યું કે, 'મેં અંધેરી વિસ્તારમાં 5 BHK ફ્લેટ ખરીદ્યો છે. આ ફ્લેટ મારા પેરેન્ટ્સના ઘરથી માત્ર ત્રણ બિલ્ડિંગ દૂર છે. અમે 3-4 મહિના બાદ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ જઈશું'.

View this post on Instagram A post shared by Aditya Narayan (@adityanarayanofficial)

આદિત્યએ જણાવ્યું કે, આ ઘર માટે તેણે ઘણું સેવિંગ કર્યું હતું. કહેવાઈ રહ્યું છે કે, આ ફ્લેટની કિંમત 4 કરોડ રૂપિયા કરતાં વધારે છે.

જણાવી દઈએ, આદિત્ય અને શ્વેતાની પહેલી મુલાકાત 10 વર્ષ પહેલા ફિલ્મ 'શાપિત'ના સેટ પર થઈ હતી. જે બાદ બંનેએ ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. 10 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ તેમણે પોતાના સંબંધોને નવું નામ આપવાનું નક્કી કર્યું અને આખરે પરણી ગયા.

View this post on Instagram A post shared by Aditya Narayan💕 (@adityanarayanki_crazyfan_madhu)

લગ્ન બાદ અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સ સાથે વાતચીત કરવા દરમિયાન આદિત્યએ જણાવ્યું હતું કે, 'તે અતિવાસ્તવ અનુભવ છે કે, હું અને શ્વેતા આખરે પરણી ગયા છીએ. સપનું જાણે સાચું થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. શ્વેતા સાથે લગ્ન કરીને હું ખૂબ જ ખુશ છું. શ્વેતા સિવાય હું મારું જીવન બાકી કોઈની સાથે પસાર કરવાનું વિચારી પણ ન શકું. તેણે મને મારી જાતને સારી બનાવવામાં મદદ કરી છે. શ્વેતા એવી વ્યક્તિ છે, જેની સામે હું જેવો છું એવો રહી શકું છું'.

Read Next Story