એપશહેર

બાથરૂમમાં પડી જતાં થયું આદિત્ય સિંહ રાજપૂતનું મોત! મિત્રએ જણાવ્યો તે દિવસનો ઘટનાક્રમ

આદિત્યએ 'ક્રાંતિવીર', 'મૈંને ગાંધી કો નહીં મારા' જેવી ફિલ્મોમાં કામ કર્યું (Aditya Singh Rajput passed away on Monday) છે. આ સાથે તે ટીવી શો CIA (CAMBALA Investigation Agencys)માં પણ જોવા મળ્યો હતો. આદિત્ય છેલ્લાં કેટલાક સમયથી કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કારકિર્દી બનાવી રહ્યો હતો. તે મુંબઈની પેજ-3 પાર્ટીઓથી લઈને ફિલ્મ જગતમાં ખૂબ જાણીતો હતો.

Edited byનિલય ભાવસાર | I am Gujarat 23 May 2023, 9:56 pm

હાઈલાઈટ્સ:

  • આદિત્ય સિંહ રાજપૂતના નજીકના મિત્ર સુબુહી જોશીએ પણ ડ્રગ્સના ઓવરડોઝની વાતને નકારી હતી.
  • સુબુહી જોશીએ દાવો કર્યો છે કે આદિત્યનું મોત બાથરૂમમાં પડી જવાને કારણે થયું હતું
  • અભિનેતાના માથા પર ઈજાના નિશાન પણ હતા.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર
શૉ 'સ્પ્લિટ્સવિલા' અને 'ગંદી બાત' ફેમ અભિનેતા અને કાસ્ટિંગ ડિરેક્ટર આદિત્ય સિંહ રાજપૂત (Aditya Singh Rajput)નું નિધન થયું છે. સોમવારે તારીખ 22 મેના રોજ બપોરે તેના ઘરના બાથરૂમમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આદિત્ય મુંબઈના અંધેરી વિસ્તારમાં રહેતો હતો. બિલ્ડિંગના 11મા માળે રહેતા આદિત્યની બોડી સૌથી પહેલા તેના મિત્રએ જોઈ હતી.
આદિત્ય સિંહ રાજપૂતના નજીકના મિત્ર સુબુહી જોશીએ પણ ડ્રગ્સના ઓવરડોઝની વાતને નકારી હતી. સુબુહી જોશીએ દાવો કર્યો છે કે આદિત્યનું મોત બાથરૂમમાં પડી જવાને કારણે થયું હતું અને અભિનેતાના માથા પર ઈજાના નિશાન પણ હતા.

સુબુહી જોશીના જણાવ્યા અનુસાર, આદિત્ય સિંહ રાજપૂતના ઘરના હેલ્પરે તેને જાણ કરી હતી કે અભિનેતાને એસિડિટી થઈ હતી. આ પછી તે બાથરૂમમાં ગયો. ત્યાં જ બાથરૂમમાંથી પડવાનો અવાજ આવ્યો. ઘરના હેલ્પર બાથરૂમમાં દોડી ગયા અને જોયું તો આદિત્ય ત્યાં જમીન પર પડેલો હતો. તેમણે તરત જ સુબુહી જોશીને ફોન કર્યો. સુબુહીના કહેવા પ્રમાણે, તે આદિત્ય સિંહ રાજપૂતના ઘરથી બે-ત્રણ મિનિટ દૂર રહે છે. તે તરત જ દોડી આવી. સુબુહીએ આદિત્યને બાથરૂમમાં પડેલો જોયો. તેના માથા પર ઈજાના નિશાન હતા. સુબુહીના કહેવા પ્રમાણે, બાથરૂમમાં જ્યાં આદિત્ય પડ્યો હતો ત્યાં ટાઇલ્સમાં તિરાડો જોવા મળી હતી. આદિત્યના પડવાનો અવાજ ખૂબ જોરથી સંભળાયો હતો.

સુબુહી જોશીએ એમ પણ કહ્યું કે આદિત્ય સિંહ રાજપૂતને કોઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો નથી. આ સમાચાર તદ્દન ખોટા છે. હકીકતમાં, આદિત્યના પડી ગયા પછી તરત જ બિલ્ડિંગની નીચે રહેતા ડૉક્ટરને બોલાવવામાં આવ્યા હતા. તે ડોક્ટરે તરત જ ECG કર્યું અને કહ્યું કે આદિત્યનું મૃત્યુ પડી જવાને કારણે થયું છે. ત્યારબાદ સુબુહી જોશીએ પોલીસને ફોન કર્યો. પોલીસે તમામની પૂછપરછ કરી અને આદિત્યના મૃતદેહને હોસ્પિટલ લઈ જવાયો હતો.
લેખક વિશે
નિલય ભાવસાર
નિલય ભાવસાર છેલ્લા સાડા ચાર વર્ષથી ડિજિટલ પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલ છે. અગાઉ પ્રિન્ટ મીડિયમ અને ઈસરોમાં પણ કામ કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઈન ડેવલપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. અનુવાદની પ્રક્રિયામાં વધારે રુચિ છે.... વધુ વાંચો

Read Next Story