એપશહેર

Ghum Hai Kiskike Pyaar Meiin છોડતાં જ Aishwarya Sharmaને મળ્યો નવો પ્રોજેક્ટ, આ રિયાલિટી શોમાં દેખાશે

'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' સીરિયલ છોડ્યા પછી હવે ઐશ્વર્યા શર્માના હાથમાં બીજો પ્રોજેક્ટ આવી ગયો છે. અઢી વર્ષ સુધી ઐશ્વર્યા શર્માએ આ સીરિયલમાં પાખીનો રોલ ભજવ્યો હતો. હવે કરિયરમાં કંઈક નવું કરવા માટે ઐશ્વર્યાએ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' છોડી દીધું હતું. હવે તે રિયાલિટી શોમાં જોવા મળવાની છે.

Authored byNeha Maheshwri | Edited byશિવાની જોષી | I am Gujarat 4 May 2023, 9:57 am
થોડા દિવસ પહેલા જ મીડિયામાં અહેવાલ આવ્યા હતા કે ટીવી એક્ટ્રેસ ઐશ્વર્યા શર્માએ સીરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' છોડી દીધી છે. અઢી વર્ષ સુધી આ સીરિયલમાં પાખીનો રોલ તેણે ભજવ્યો હતો. હવે માહિતી સામે આવી રહી છે કે ઐશ્વર્યા શર્મા સ્ટન્ટ રિયાલિટી શો 'ખતરોં કે ખિલાડી 13'માં જોવા મળશે.
I am Gujarat aishwarya sharma will be seen in khatron ke khiladi season 13
Ghum Hai Kiskike Pyaar Meiin છોડતાં જ Aishwarya Sharmaને મળ્યો નવો પ્રોજેક્ટ, આ રિયાલિટી શોમાં દેખાશે


​ખતરોં કે ખિલાડી 13માં દેખાશે ઐશ્વર્યા


અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીએ આ મુદ્દે ઐશ્વર્યા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સંપર્ક નહોતો થઈ શક્યો. જોકે, 'ખતરોં કે ખિલાડી 13' સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, "હા, ખતરોં કે ખિલાડી માટે ઐશ્વર્યાનો સંપર્ક કરવામાં આવ્યો છે. વાતચીત એડવાન્સ સ્ટેજ સુધી પહોંચી ગઈ છે અને લગભગ તેનું નામ નક્કી જ છે. જલ્દી જ તે શો સત્તાવાર રીતે સાઈન કરી દેશે."

​અઢી વર્ષ પછી છોડ્યો શો

અગાઉ ઈટાઈમ્સ ટીવી સાથે વાત કરતાં ઐશ્વર્યાએ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' છોડવા અંગે કહ્યું હતું કે, "બધી જ સારી વસ્તુઓનો ક્યારેક તો અંત આવે જ છે અને આ શો સાથેની મારી જર્ની પણ પૂરી થઈ છે. પાખીની જર્ની પૂરી થઈ છે પણ ઐશ્વર્યા તેની સાથે યાદોનો ખજાનો લઈને જઈ રહી છે કારણકે આ શોએ મને બધું જ આપ્યું છે. હું કાયમ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં'ની ઋણી રહીશ. મેં કલ્પના પણ નહોતી કરી કે આ શો થકી મને આટલું બધું મળશે. મને લાગે છે કે, હવે નવી તક શોધવાનો સમય આવી ગયો છે."

​નીલ સાથે કામ કરવાનું મિસ કરશે

'ગુમ હૈ કિસી કે પ્યાર મેં'ના સેટ પર સૌથી વધુ શું મિસ કરશે? આ સવાલના જવાબમાં ઐશ્વર્યાએ પતિ નીલ ભટ્ટ સાથે કામ કરવાનું મિસ કરશે તેમ કહ્યું હતું. "મારા ફેવરિટ કો-એક્ટર અને પતિ નીલ ભટ્ટ સાથે કામ કરવાનું સૌથી વધુ મિસ કરીશ. ખબર નહીં હવે ફરીથી એની સાથે ક્યારે કામ કરવા મળશે. કો-એક્ટર્સ તરીકે અમારી વચ્ચે ખૂબ સારી સમજણ હતી. આ શો મારા માટે જ બન્યો હતો કારણકે મને મારા જીવનની સૌથી કિંમતી વસ્તુ- મારો જીવનસાથી નીલ મળ્યો છે. હું મારા શોના પ્રોડ્યુસરો અને યુનિટની આભારી રહીશ."

​નવેમ્બર 2021માં કર્યા લગ્ન

ઉલ્લેખનીય છે કે, નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માની પહેલી મુલાકાત 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં'ના સેટ પર જ થઈ હતી. ધીમે-ધીમે બંને પ્રેમમાં પડ્યા હતા. ઐશ્વર્યા અને નીલે નવેમ્બર 2021માં લગ્ન કર્યા હતા.

Read Next Story