એપશહેર

પ્રેગ્નેસી વિશે જાણીને કેવું હતું પતિનું રિએક્શન? અનિતા હસનંદાનીએ જણાવ્યું

અનિતા હસનંદાની મમ્મી બનવાની છે. આ ગુડન્યૂઝ તેણે વીડિયો પોસ્ટ કરીને આપ્યા હતા. પ્રેગ્નેન્સીના ન્યૂઝ સાંભળીને પતિનું રિએક્શન કેવું હતું તે અંગે એક્ટ્રેસે વાત કરી હતી.

TNN 12 Oct 2020, 12:52 pm
ટીવી એક્ટ્રેસ અનિતા હસનંદાની લગ્નના 7 વર્ષ બાદ પ્રેગ્નેન્ટ છે અને તે ફેબ્રુઆરી મહિનામાં પહેલા સંતાનને જન્મ આપવાની છે. એક્ટ્રેસે આ ગુડ ન્યૂઝ ફેન્સ સાથે એક ખાસ વીડિયો સાથે શેર કર્યા હતા. 'અમે પ્રેગ્નેન્સીના ન્યૂઝ શેર કરવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા. મને લાગે છે કે 2021નું વર્ષ બાળકોનું વર્ષ થવાનું છે', તેમ હસતા-હસતા એક્ટ્રેસે કહ્યું હતું.
I am Gujarat rohit-anita]


અનિતા અને તેના રોહિત રેડ્ડીએ 2013માં ગોવામાં લગ્ન કર્યા હતા. ગયા વર્ષે ડાન્સ રિયાલિટી શોમાં ભાગ લીધા બાદ તેમણે પરિવારને આગળ વધારવાનું નક્કી કર્યું હતું. 'અમને પરિવાર તરફથી પણ દબાણ હોય તેવું ક્યારેય લાગ્યું નહોતું. અમને લાગ્યું કે હવે અમે માતા-પિતા બનવા માટે તૈયાર છીએ. લોકડાઉનનો સમયગાળો અમને પર્ફેક્ટ લાગ્યો. અમને એકબીજા સાથે સમય પસાર કરવા મળ્યો અને બાદમાં અમે પ્રેગ્નેન્સી માટે વિચાર્યું. અંતે તો આ બધું ભગવાનના હાથમાં છે. હું અને રોહિત ઉત્સાહિત છીએ'.

એક્ટ્રેસ 39 વર્ષની ઉંમરે મા બનવાની છે. આ અંગે વાત કરતાં તેણે કહ્યું કે, 'ઉંમર વિશે મેં વિચાર્યું જ નહોતું. ઘણા લોકોએ મને કહ્યું હતું કે, ઘણું અઘરુ પડશે. પરંતુ ઉંમર માત્ર નંબર છે. તમારે માનસિક અને શારીરિક રીતે તૈયાર રહેવું પડે છે. જે નસીબમાં લખેલું હોય છે, તે થાય જ છે. આજે મને અને રોહિતને લાગે છે કે અમે સારી રીતે સેટલ્ડ થઈ ગયા છીએ. અમે આર્થિક અને માનસિક રીતે પણ બાળક માટે તૈયાર છીએ'.

થનારા માતા-પિતાએ તેમની મેન્ટલ અને ફિઝિકલ હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ તેવું અનિતાનું માનવું છે. 'હું એવી વ્યક્તિ છું જે પ્રવાહ સાથે જવામાં માને છે. હાલ કોરોનાની સ્થિતિ ગંભીર છે પરંતુ તણાવમાં રહેવાની વાત નથી. કારણ કે ભગવાને તમારા માટે નક્કી કરીને રાખ્યું છે. જો તમે શાંત રહેશો તો બધું સરળ રીતે થઈ જશે'.

રોહિત વિશે વાત કરતાં અનિતાએ કહ્યું કે, 'રોહિત વધારે બૂક્સ વાંચી રહ્યો છે અને મારા ડાયટનું ધ્યાન રાખી રહ્યો છે. તે ખૂબ ઉત્સાહિત છે. મને લાગે છે કે તું બધું ધ્યાન રાખી લેશે'.

View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) on Oct 10, 2020 at 10:28pm PDT

અનિતાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં પ્રેગ્નેન્સીના સમાચાર સાંભળીને પોતાનું રિએક્શન કેવું હતું તે અંગે રોહિત વાત કરતાં જોવા મળી રહ્યો છે. તેણે કહ્યું કે, 'મારા પિતા હોસ્પિટલમાં હતા અને મને સમજમાં નહોતું આવી રહ્યું કે કેવી રીતે રિએક્ટ કરું. 12 જૂને અનિતાનો ટેસ્ટ કરાવ્યો હતો અને પછી પ્રેગ્નેન્સીના ન્યૂઝ મળ્યા. એટલું બધું થઈ રહ્યું હતું. મારા પિતા મારી સામે હતા અને મને કંઈ સમજમાં નહોતું આવી રહ્યું કે શું કહું. હું એ સમયે માત્ર એટલું જ કહી શક્યો કે, મારા પિતા પાછા આવી રહ્યા છે'.

બાળકના જન્મ બાદ સ્પોટલાઈનમાં પાછી આવીશ કે કેમ તેમ પૂછતાં એક્ટ્રેસે કહ્યું કે, 'હું 16 વર્ષની હતી ત્યારથી સતત કામ કરી રહી છું. હાલ તો હું માત્ર માતૃત્વ માણવા માગું છું. હું મારા બાળક સાથે એક-એક ક્ષણ પસાર કરવા માગું છું. હાલ મારી પ્રાથમિકતા માતૃત્વ છે'.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો