એપશહેર

સુશાંતને યાદ કરીને રડી પડી અંકિતા લોખંડે, કહ્યું 'અમારા સંબંધો પવિત્ર નહીં અમર છે'

હાલમાં યોજાયેલા એક એવોર્ડ શોમાં પવિત્ર રિશ્તાની ટીમે દિવંગત સુશાંતને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન સ્ટેજ પર અંકિતા રડી પડી હતી.

I am Gujarat 19 Dec 2020, 11:59 am
હાલમાં યોજાયેલા એક એવોર્ડ ફંક્શનમાં અંકિતા લોખંડે અને સીરિયલ 'પવિત્ર રિશ્તા'ની ટીમે દિવંગત એક્ટર સુશાંત સિંહહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન અંકિતા પોતાના આંસુ રોકી શકી નહોતી અને સ્ટેજ પર જ રડી પડી હતી. જેનો વીડિયો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે.
I am Gujarat ankita lokhande pays tribute to late sushant singh rajput in award show
સુશાંતને યાદ કરીને રડી પડી અંકિતા લોખંડે, કહ્યું 'અમારા સંબંધો પવિત્ર નહીં અમર છે'


વીડિયો મુજબ, અંકિતા લોખંડે અને કેદાર આશિષે સુશાંત સિંહ રાજપૂતને સંગીતમય શ્રદ્ધાંજલિ આપી હતી. જેની તૈયારી એક્ટ્રેસ ઘણા સમયથી કરી રહી હતી. અંકિતાએ પહેલા તો ડાન્સ કર્યો અને પર્ફોર્મન્સ બાદ સુશાંત માટે પોતાની દિલની વાત કહેતા ઈમોશનલ થઈ ગઈ.

View this post on Instagram A post shared by Ankita Lokhande (@lokhandeankita)

તેણે કહ્યું કે, 'આજે દરેક શાંત છે કારણ કે દરેકના દિલમાં સુશાંત છે. ક્યારેય વિચાર્યું નહોતું કે, જે હંમેશા ચાંદ-તારાની વાતો કરતો હતો તે એક દિવસ પોતે ચાંદ-તારા સાથે વાત કરવા જતો રહેશે. ક્યારેય વિચાર્યું નહોતું કે, જેને જોઈને કેટલાક સપના જોતા શીખ્યા, એક દિવસ તેને જોવો તે સપનું બની જશે. સુશાંત આજે તને યાદ કરી રહ્યો છે તારા કુટુંબનો દરેક સંબંધ. કારણ કે તારો અને મારા સંબંધો પવિત્ર નહીં પરંતુ અમર છે'. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, 'છેલ્લે એકવાર'.

View this post on Instagram A post shared by Ankita Lokhande (@lokhandeankita)

સીરિયલ 'પવિત્ર રિશ્તા'માં અંકિતા લોખંડેએ અર્ચનાનો રોલ કર્યો હતો જ્યારે સુશાંત સિંહ રાજપૂતે તેના પતિ માનવનો. બંનેની પહેલી મુલાકાત આ શો દરમિયાન જ થઈ હતી. બંને વચ્ચે પહેલા મિત્રતા થઈ અને બાદમાં તે પ્રેમમાં પરિણમી. બંને એકબીજા સાથે લગ્ન પણ કરવા માગતા હતા પરંતુ અચાનક તેમણે બ્રેકઅપ કરી લીધું હોવાનું સામે આવ્યું. બંને આશરે 6 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા.

અંકિતા સાથે બ્રેકઅપ થયા બાદ સુશાંતનું અફેર સારા અલી ખાન અને રિયા ચક્રવર્તી સાથે થયું હતું. એક્ટરનું નિધન થયું તે વખતે રિયા ચક્રવર્તી સાથે લિવ-ઈનમાં રહેતો હતો. ઉલ્લેખનીય છે કે, સુશાંતનું નિધન આ વર્ષની 14મી જૂને થયું હતું. એક્ટરના નિધનના સમાચાર સામે આવ્યા બાદ આખો દેશ શોકમાં ગરકાવ થઈ ગયો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર તેને ન્યાય અપાવવા માટે ફેન્સે ઝુંબેશ શરુ કરી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો