ટીવી ઈન્ડસ્ટ્રીમાં અનેક કલાકારો કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાં નવું નામ પ્રોડ્યુસર રાજન શાહીનું છે. અનુપમા અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સીરીયલના પ્રોડ્યુસર રાજન શાહીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અનુપમાની મુખ્ય અભિનેત્રી રુપાલી ગાંગુલીને પણ કોરોના થયો છે. રાજન શાહી અને રૂપાલી ગાંગુલી સિવાય આશીષ મલ્હોત્રા પણ કોરોનાથી સંક્રમિત છે, જેઓ અનુપમામાં તોશુના રોલમાં જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, અનુપમાના સેટ પર ઘણાં કલાકારો અને ક્રૂ મેમ્બર્સ કોરોના પોઝિટિવ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શૉમાં વનરાજનો રોલ કરનાર અભિનેતા સુધાંશુ પાંડે પણ કોરોનાથી સંક્રમિત છે. હવે અનેક કલાકારો અને મુખ્ય જોડીની ગેરહાજરીમાં મેકર્સ સીરિટલનો ટ્રેક બદલી રહ્યા છે.