એપશહેર

માત્ર એક જ મહિનામાં અપૂર્વ અગ્નિહોત્રીએ કેમ 'અનુપમા' સીરિયલ છોડી દીધી?

અનુપમા સીરિયલમાં અપૂર્વ અગ્નિહોત્રીના પાત્ર ડો. અદ્ધેત પર પૂર્ણવિરામ મૂકાયું છે. ત્યારે એક મહિનામાં જ શોમાંથી કેમ તે બહાર થયો તે વિશે તેણે વાત કરી છે.

Reported byVickey Lalwani | Written byમિત્તલ ઘડિયા | TIMESOFINDIA.COM 14 Jun 2021, 12:28 pm

હાઈલાઈટ્સ:

  • અપૂર્વ અગ્નિહોત્રીને 'અનુપમા'માં પરત લાવવાની માગ કરી રહ્યા છે દર્શકો
  • એક મહિના માટે જ લખાયું હતું ડો. અદ્ધેતનું પાત્ર
  • અપૂર્વ અગ્નિહોત્રીને 'અનુપમા'ના કો-સ્ટાર્સ પણ યાદ કરી રહ્યા છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat apurva agnihotri on why he exited from the anupamaa
માત્ર એક જ મહિનામાં અપૂર્વ અગ્નિહોત્રીએ કેમ 'અનુપમા' સીરિયલ છોડી દીધી?
'અનુપમા' સીરિયલમાં 'ડો. અદ્ધેત'નું પાત્ર ભજવનાર અપૂર્વ અગ્નિહોત્રીની જ્યારે બાદબાકી થઈ ત્યારે ફેન્સને આંચકો લાગ્યો હતો. અપૂર્વ અગ્નિહોત્રી સારી રીતે ડો. અદ્ધેતનું પાત્ર ભજવી રહ્યો હતો અને દર્શકોને પણ તે પસંદ આવી રહ્યો હતો. તેમ છતાં તેને કેમ અચાનક બહાર કરવામાં આવ્યો તે સવાલ થઈ રહ્યો છે. હાલમાં જ અમારા સહયોગી ETimes TVએ અપૂર્વ અગ્નિહોત્રી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી અને તે માત્ર એક મહિના માટે જ કેમ શોમાં આવ્યો તે અંગે વાત કરી હતી.
અપૂર્વએ કહ્યું કે, સીરિયલમાંથી બહાર થવું તે તેના માટે અચાનક નહોતું. 'મને મારા ટ્રેક વિશે જાણ હતી. કોવિડ મહામારીના કારણે શોમાં ઘણા ફેરફાર થઈ રહ્યા હતા, પરંતુ મને કોઈ ફરિયાદ નથી. મેં કહ્યું તેમ, મને પહેલાથી જ મારા પાત્રના ટાઈમિંગ વિશે કહેવામાં આવ્યું હતું'.

અનુપમાઃ લગ્ન થતાં જ બદલાયા કાવ્યાના તેવર, વનરાજ સામે મૂકી કેટલીક શરતો
View this post on Instagram A post shared by Apurva Agnihotri (@apurvaagnihotri02)

'હું સંમત છુ કે મારા ભાગનું કામ ખૂબ સારી રીતે થઈ રહ્યું હતું પરંતુ મને લાગે છે કે તેઓ મુખ્ય સ્ટોરી તરફ શિફ્ટ થઈ રહ્યા છે. મને શૂટિંગ કરવાની ખૂબ મજા આવી અને તે જ મહત્વનું છે. મને મારા છેલ્લા દિવસ અંગે પણ અગાઉથી કહેવામાં આવ્યું હતું. તેથી, હું સ્પષ્ટતા કરી દઉ કે મેં શો છોડ્યો નથી. રાજન શાહીએ (પ્રોડ્યૂસર) થોડા સમય માટે જ મારી હાજરીનું પ્લાનિંગ કર્યું હતું અને તે હવે પૂરી થઈ છે'.

હવે શું? તેમ પૂછતાં એક્ટરે કહ્યું કે, 'અમે મારા ટ્રેકનો અંત ઓપન રાખ્યો છે. તો કોને ખબર કે થોડા સમય બાદ હું પાછો ફરું પરંતુ અત્યારે તો આ બધું માત્ર ઉપરવાળો જ જાણે છે'.

પૂર્વ પત્ની અંગે રાજ કુંદ્રાના ઘટસ્ફોટ વચ્ચે શિલ્પા શેટ્ટીએ તોડ્યું મૌન, ઈશારામાં કહી વાત
View this post on Instagram A post shared by Apurva Agnihotri (@apurvaagnihotri02)

અપૂર્વ અગ્નિહોત્રીએ તેમ પણ જણાવ્યું કે, રાજન શાહી સાથે હાલમાં જ તેની વાતચીત થઈ હતી. 'આ દરમિયાન તેમણે મને કહ્યું હતું કે, શોમાં મારા પાત્રને સારી પ્રતિક્રિયા મળી હતી'.

અપૂર્વ અગ્નિહોત્રીએ રાજન શાહી સાથે કામ કર્યું હોય તેવું ત્રીજી વખત બન્યું હતું. આ પહેલા જસ્સી જૈસી કોઈ નહીં અને બિદાઈમાં તેની સાથે કામ કર્યું હતું.

અપૂર્વ અગ્નિહોત્રીને માત્ર દર્શકો જ નહીં પરંતુ અનુપમાની ટીમ પણ મિસ કરી રહી છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં વનરાજનો રોલ કરી રહેલા સુધાંશુ પાંડેએ કહ્યું હતું કે, 'અપૂર્વનો ટ્રેક હજી લંબાયો હોય તો મને આનંદ થયો હોત. મને દુઃખ છે કે તે અમારા શોમાંથી જતો રહ્યો છે. જોકે, સારી વાત એ છે કે અમે બંને એક જ બિલ્ડિંગમાં રહીએ છીએ માટે અમે ગમે ત્યારે મળી શકીએ છીએ અને વાતો કરી શકીએ છીએ. આધ્યાત્મિક વાતોની નવી ચર્ચા ગમે ત્યારે એકબીજા સાથે શરૂ કરી શકીએ છીએ'.

Read Next Story