એપશહેર

શું છે 'છોટી અનુ' Asmi Deoનું 'અનુપમા'માં ભવિષ્ય? ટ્રેકનો અંત આવવાની ચર્ચા પર પિતાએ કર્યો ખુલાસો

Asmi Deo Anupamaa: છેલ્લા થોડા દિવસથી મીડિયામાં અહેવાલો છે કે, 'અનુપમા' સીરિયલની છોટી અનુ હવે નહીં જોવા મળે. સીરિયલમાં 5-6 વર્ષનો લીપ આવવાનો છે, જે બાદ છોટી અનુનું પાત્ર નહીં દેખાય. આ સમાચાર વહેતાં થતાં જ છોટી અનુનો રોલ કરતી ચાઈલ્ડ આર્ટિસ્ટ અસ્મી દેઓના ફેન્સ નિરાશ થયા હતા. અસ્મીનું સીરિયલ 'અનુપમા'માં ભવિષ્ય શું હશે તે અંગે તેના પિતાએ જણાવ્યું છે.

Authored byTanvi Trivedi | Edited byશિવાની જોષી | I am Gujarat 19 Apr 2023, 2:36 pm
છેલ્લા થોડા દિવસોથી મીડિયામાં અહેવાલો વહેતા થયા છે કે, સીરિયલ 'અનુપમા'માં લીપ આવવાનો છે. પાંચ-છ વર્ષના લીપ પછી છોટી અનુનો રોલ કરતી બાળ કલાકાર અસ્મી ડેઓ (Asmi Deo) શોનો ભાગ નહીં રહે. અસ્મી શોમાં નહીં દેખાય તેવા અહેવાલો વાંચીને શોના દર્શકો અને છોટી અનુના ફેન્સ નિરાશ થયા હતા. તેમણે તો શોના મેકર્સ સમક્ષ સીરિયલ બંધ કરી દેવાની માગણી કરી હતી. અસ્મીએ પોતાની ક્યૂટનેસથી દર્શકોના દિલમાં સ્થાન મેળવ્યું છે ત્યારે તેના શો છોડવાના અહેવાલથી દુઃખી થયેલા દર્શકોએ સોશિયલ મીડિયા પર ઉહાપોહ સર્જ્યો હતો. દરમિયાન, અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સે હકીકત જાણવા માટે હાલમાં જ અસ્મી અને તેના પિતા અભિનય ડેઓનો સંપર્ક કર્યો હતો.
I am Gujarat asmi deo aka choti anus track will not end in anupamaa his father clarifies
શું છે 'છોટી અનુ' Asmi Deoનું 'અનુપમા'માં ભવિષ્ય? ટ્રેકનો અંત આવવાની ચર્ચા પર પિતાએ કર્યો ખુલાસો


​અસ્મીએ શું કહ્યું?

અસ્મીએ સ્પષ્ટ કર્યું છે કે, તેના શો છોડવાના અહેવાલો અટકળો માત્ર છે. શોમાં ના દેખાવાના અહેવાલો અંગે અસ્મીએ કહ્યું, "હું દરરોજ ગૌરવ સર (અનુજ કપાડિયાનો રોલ કરતો એક્ટર) સાથે શૂટિંગ કરું છું અને આગામી દિવસોમાં પણ શૂટિંગ ચાલુ રહેશે. મારો ટ્રેક પૂરો નથી થયો."


​અસ્મીના પિતાએ શું કીધું?

અસ્મીના પિતા અભિનયે આ મુદ્દે વાત કરતાં કહ્યું, "શોમાં લીપ આવવાનો છે તેવી વાતો અમે સાંભળી ત્યારે અમે શોના મેકર્સનો સંપર્ક કર્યો હતો. ત્યારે અમને જાણવા મળ્યું તે આ વાતો અફવાઓથી વિશેષ કશું જ નથી. આગામી થોડા મહિનાઓ સુધી અસ્મી 'અનુપમા'નો ભાગ રહેશે. આવનારા લીપ કે શોમાં તેનો ટ્રેક પૂરો થવાની કોઈ જ માહિતી સાચી નથી."
'અનુપમા'માં લીપ પછી 'છોટી અનુ' ઉપરાંત આ પાત્ર પણ નહીં દેખાય, પ્રોડ્યુસરે કર્યો ખુલાસો!

​છોટી અનુના નિર્ણયના લીધે અલગ થયા અનુજ-અનુપમા

શોના હાલના ટ્રેકની વાત કરીએ તો, અનુપમા (અભિનેત્રી રૂપાલી ગાંગુલી) અને અનુજ હવે સાથે નથી રહેતા. અનુજ હવે છોટી અનુ અને માયા સાથે રહે છે. આ તકનો લાભ લઈને વનરાજ (સુધાંશુ પાંડે) અનુપમાને પોતાના ઘરમાં પાછી લાવવાના પ્રયાસ કરે છે. બીજી તરફ અનુપમા ડાન્સ એકેડેમી ફરી શરૂ કરીને જિંદગી નવેસરથી જીવવા મથી રહી છે. ઉલ્લેખનીય છે કે, અસ્મી અનુપમા અને અનુજની દત્તક દીકરી છોટી અનુના રોલમાં છે. અનુજ અને અનુપમાના અલગ થવા પાછળ છોટી અનુ જવાબદાર છે. છોટી અનુ પોતાની જૈવિક માતા માયા સાથે રહેવા જતાં અનુજ અનુપમાથી નારાજ થઈને ઘર છોડીને જતો રહ્યો હતો.

​ગૌરવ ખન્નાએ ટ્રેક વિશે શું કહ્યું?

અગાઉ આપેલા ઈન્ટરવ્યૂમાં ગૌરવ ખન્નાએ શોના હાલના ટ્રેક અને પોતાના રોલ વિશે વાત કરતાં કહ્યું હતું કે, "જ્યારે એક વ્યક્તિ પોતાના જીવનના મહત્વના સંબંધો ગુમાવે છે ત્યારે તે ભાવનાત્મક તાણ અનુભવે છે. કોઈ સંપૂર્ણ નથી હોતું અને અનુપમાએ શા માટે છોટી અનુને જવા દીધી તે વિચારો અનુજને કોરી ખાય છે જેથી તે પરેશાન છે. કોઈપણ સારો વ્યક્તિ સ્ટ્રેસમાં હોય ત્યારે સ્વભાવ કરતાં વિપરીત રીતે પ્રતિક્રિયા આપે તે સ્વાભાવિક છે."

લેખક વિશે
Tanvi Trivedi
It is important to enjoy what you do and I feel writing is a beautiful way of expression. India thrives on Bollywood and Entertainment and Tanvi likes to write on - TV, Music and Films. She also contributes to topical trends, lifestyle and relationship stories. And when she is not on the Entertainment beat, she loves to spend time meeting different people, travel, watching plays, films and reading autobiographies.... વધુ વાંચો

Read Next Story