તુનિષા શર્માએ (Tunisha Sharma) સેટ પર જીવન ટૂંકાવ્યું ત્યારથી ટીવી શો 'અલી બાબાઃ દાસ્તાન-એ-કાબૂલ' (Ali Baba: Dastaan-E-Kabul) ચર્ચામાં છે. મમ્મી વનિતા શર્માએ નોંધાવેલી દુષ્પ્રેરણાની ફરિયાદના આધારે તેના કો-એક્ટર અને પૂર્વ બોયફ્રેન્ડ શીઝાન ખાનની (Sheezan Khan) ધરપકડ કરવામાં આવી હતી અને હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. બંને લીડ એક્ટરની ગેરહાજરીમાં પણ શો ઓફ-એર કરવામાં આવ્યો નથી. હાલ મેકર્સ બીજા ટ્રેક પર ફોકસ કરી રહ્યા છે. એક દિવસ પહેલા તેવી ચર્ચા હતી કે, અવનીર કૌરનું (Avneet Kaur) નામ ફાઈનલ કરવામાં આવ્યું છે અને તે શહેઝાદી મરિયમના પાત્રમાં દેખાશે, જે દિવંગત દ્વારા ભજવવામાં આવતું હતું. જો કે, અવનીતના મમ્મીએ આ ખબર અફવા હોવાનું કહીને ફગાવી હતી. તુનિષા શર્માનું સ્થાન નહીં લે અવનીત કૌર
અમારા સહયોગી ઈટાઈમ્સ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતાં અવનીત કૌરના મમ્મીએ કહ્યું હતું 'અવનીત 'અલી બાબાઃ દાસ્તાન-એ-કાબૂલ'માં શહેઝાદી મરિયમનું પાત્ર ભજવવાની નથી. આ અફવા સાચી નથી'. અગાઉ તેવા રિપોર્ટ્સ હતા કે, મેકર્સ તુનિષા સ્થાન પર કોઈને લેવાનું વિચારી રહ્યા નથી. તેના બદલે તેઓ નવું પાત્ર લાવશે અને તેમાં કોઈ એક્ટ્રેસને લેશે. તો શું અવનીત કૌર શોમાં નવું પાત્ર ભજવશે? તેનો પણ ઈનકાર કરતાં જવાબમાં તેના મમ્મી કહ્યું હતું કે 'અવનીત 'અલીબાબા'માં કોઈ રોલ ભજવવાની નથી, તે શોનો ભાગ જ નથી'.
લોકોએ શરૂ કરી હતી અટકળો
અવનીત કૌર અત્યારસુધીમાં મેરી મા અને ચંદ્ર નંદિની જેવા શોનો ભાગ રહી ચૂકી છે. 'અલ્લાદ્દીનઃ નામ તો સુના હી હોતા'માં રાજકુમાર યાસ્મિનની ભૂમિકા ભજવીને તે ઘર-ઘરમાં જાણીતી થઈ હતી. તે માત્ર 21 વર્ષની છે અને તેથી જ 'અલી બાબા'માં તે તુનિષાનું સ્થાન લેશે તેવી અટકળો લોકોએ શરૂ કરી હતી. આ સિવાય તેણે તેના છેલ્લા ટીવી શોમાં આ જ પ્રકારના પાત્રમાં જોવા મળી હતી તે પણ એક કારણ હોઈ શકે છે. આ સિવાય અભિષેક નિગમે શીઝાન ખાનને રિપ્લેસ કર્યો હોવાની પણ ખબર છે.
તુનિષાની ક્લોઝ ફ્રેન્ડ હતી અવનીતખૂબ ઓછા લોકો જાણે છે કે, તુનિષા શર્મા અને અવનીત કૌર ક્લોઝ ફ્રેન્ડ્સ હતા. તુનિષાનો મૃતદેહ જ્યારે અંતિમ સંસ્કાર માટે સ્મશાન ગૃહમાં લઈ જવાયો ત્યારે એમ્બ્યુલન્સમાં વનિતા શર્મા સાથે તે પણ હતી. જ્યારે તે પંચમહાભૂતમાં વિલિન થઈ ત્યારે તે એક્ટ્રેસ-ફ્રેન્ડ રીમ શેખને ભેટીને રડી પડી હતી.
અમારા સહયોગી ઈટાઈમ્સ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતાં અવનીત કૌરના મમ્મીએ કહ્યું હતું 'અવનીત 'અલી બાબાઃ દાસ્તાન-એ-કાબૂલ'માં શહેઝાદી મરિયમનું પાત્ર ભજવવાની નથી. આ અફવા સાચી નથી'. અગાઉ તેવા રિપોર્ટ્સ હતા કે, મેકર્સ તુનિષા સ્થાન પર કોઈને લેવાનું વિચારી રહ્યા નથી. તેના બદલે તેઓ નવું પાત્ર લાવશે અને તેમાં કોઈ એક્ટ્રેસને લેશે. તો શું અવનીત કૌર શોમાં નવું પાત્ર ભજવશે? તેનો પણ ઈનકાર કરતાં જવાબમાં તેના મમ્મી કહ્યું હતું કે 'અવનીત 'અલીબાબા'માં કોઈ રોલ ભજવવાની નથી, તે શોનો ભાગ જ નથી'.
લોકોએ શરૂ કરી હતી અટકળો
અવનીત કૌર અત્યારસુધીમાં મેરી મા અને ચંદ્ર નંદિની જેવા શોનો ભાગ રહી ચૂકી છે. 'અલ્લાદ્દીનઃ નામ તો સુના હી હોતા'માં રાજકુમાર યાસ્મિનની ભૂમિકા ભજવીને તે ઘર-ઘરમાં જાણીતી થઈ હતી. તે માત્ર 21 વર્ષની છે અને તેથી જ 'અલી બાબા'માં તે તુનિષાનું સ્થાન લેશે તેવી અટકળો લોકોએ શરૂ કરી હતી. આ સિવાય તેણે તેના છેલ્લા ટીવી શોમાં આ જ પ્રકારના પાત્રમાં જોવા મળી હતી તે પણ એક કારણ હોઈ શકે છે. આ સિવાય અભિષેક નિગમે શીઝાન ખાનને રિપ્લેસ કર્યો હોવાની પણ ખબર છે.
તુનિષાની ક્લોઝ ફ્રેન્ડ હતી અવનીતખૂબ ઓછા લોકો જાણે છે કે, તુનિષા શર્મા અને અવનીત કૌર ક્લોઝ ફ્રેન્ડ્સ હતા. તુનિષાનો મૃતદેહ જ્યારે અંતિમ સંસ્કાર માટે સ્મશાન ગૃહમાં લઈ જવાયો ત્યારે એમ્બ્યુલન્સમાં વનિતા શર્મા સાથે તે પણ હતી. જ્યારે તે પંચમહાભૂતમાં વિલિન થઈ ત્યારે તે એક્ટ્રેસ-ફ્રેન્ડ રીમ શેખને ભેટીને રડી પડી હતી.