દિશા વાકાણીએ દયા બેનના પાત્રથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતા દર્શકોનું ખાસ્સુ મનોરંજન કર્યું છે. બે વર્ષ પહેલા દિશાએ મેટરનિટી લીવ લીધઈ હતી. ત્યારથી દર્શકો તારક મહેતા…ના પેટ પકડાવીને હસાવતા પાત્રને મિસ કરી રહ્યા છે. હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો બે વર્ષ છતાંય દિશા શોમાં પાછી નથી ફરી. વચ્ચે દિશાના કમબેકના રિપોર્ટ્સ હતા પરંતુ પાછળથી ખુલાસો થયો કે દિશા પોતાની ફીમાં વધારો ઈચ્છે છે. જો તેને મોં માંગી રકમ મળે તો જ તે શોમાં પાછી ફરશે. છેલ્લા થોડા મહિનાથી એવી ચર્ચા હતી કે પ્રોડ્યુસર અને દિશા વચ્ચે સમાધાન થતા તે શો પર પાછી ફરશે. જો કે હવે કન્ફર્મ થઈ ગયું છે કે દિશા દયાબેન તરીકે કમબેક નથી કરવાની. સૂત્રોના જણાવ્યા અનુસાર દિશા અને પ્રોડ્યુસર વચ્ચે એકમત સધાયો નથી. આથી દિશા હવે શોમાં પાછી ફરવાની શક્યતા નહિવત્ છે. આ ઉપરાંત શોના મેકર્સ નવી દયાબેનની તલાશ કરી રહ્યા છે. તેમણે દિશાને રિપ્લેસ કરવાનું મન બનાવી લીધું છે. એ વાત નક્કી છે કે દયાબેનના પાત્રને પસંદ કરતા દર્શકો તેની અને જેઠાલાલની મીઠી તકરારને અવશ્ય મિસ કરશે. હવે દર્શકો નવા દયાબેન કોણ બનશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
પૈસા મુદ્દે બબાલ, તારક મહેતા...માં પાછી નહિ જ ફરે દિશા વાકાણી
Agencies 21 Jun 2019, 4:14 pm