એપશહેર

'તારક મહેતા...'ના જેઠાલાલના ઘરે પધાર્યા બાપ્પા, એક્ટરે શેર કરી તસવીરો

'તારક મહેતા...' ટીવી શોના એક્ટર દિલીપ જોશીએ ગણેશ ચતુર્થી પર પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરીને તેમની પૂજા કરી હતી. એક્ટરે તસવીરો શેર કરીને ફેન્સને પણ શુભકામનાઓ પાઠવી હતી.

I am Gujarat 23 Aug 2020, 11:44 am
સબ ટીવી પર પ્રસારિત થનારા લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ઘણા ફેન્સ છે. ગોકુલધામ સોસાયટીની મોજ-મસ્તી ફેન્સને ખૂબ પસંદ આવે છે. શોના બધા પાત્રો દર્શકોમાં લોકપ્રિય છે. કોઈપણ તહેવારની ધામધૂમથી ઉજવણી ગોકુળધામ સોસાયટીમાં કરવામાં આવે છે. તેમાં પણ ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરાતી હોય છે. સીરિયલમાં જેઠાલાલનું પાત્ર ભજવનારા એક્ટર દિલીપ જોશી પણ બાપ્પાના મોટા ભક્ત છે. ત્યારે આ વખતે ગણેશ ચતુર્થી પર તેમણે બાપ્પાની પૂજા કરી હતી.
I am Gujarat dilip joshi shares photo of ganesh pooja
'તારક મહેતા...'ના જેઠાલાલના ઘરે પધાર્યા બાપ્પા, એક્ટરે શેર કરી તસવીરો


દિલીપ જોશીના ઘરે પધાર્યા બાપ્પા

જેઠાલાલે ઈન્સ્ટાગ્રામ પર બાપ્પાની તસવીર શેર કરી છે જેની સ્થાપના ગણેશ ચતુર્થીએ તેમણે પોતાના ઘર પર કરી છે. એક્ટરે બે તસવીરો શેર કરી છે. જેમાં પહેલીમાં બાપ્પાની ફોટો મોદક સાથ છે, જ્યારે બીજી તસવીરમાં દિલીપ જોશી હાથ જોડીને પ્રાર્થના કરતા દેખાય છે.

કોરોનાનો ડર કોરાણે મૂકી ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી, 50 તસવીરોમાં જુઓ દેશનો મૂડ

ફેન્સને પાઠવી ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ

દિલીપ જોશીએ આ તસવીર દ્વારા ફેન્સને ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે તસવીરના કેપ્શનમાં લખ્યું છે, પ્રણમ્ય સિર્સા દેવમ, ગૌરી પુત્રમ વિનાયકમ. હેપ્પી ગણેશ ચતુર્થી. હું આશા કરું છું કે આ વર્ષે બધા લોકો પોતાની સેફ્ટીનું પૂરું ધ્યાન રાખતા બાપ્પાની પૂજા કરી રહ્યા હશે.

'તારક મહેતા...'શોમાં થઈ રહ્યા છે ફેરફાર

જણાવી દઈએ કે આ સમયે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં ઘણા ફેરફારો થઈ રહ્યા છે. કોરોનાની મહામારીની અસર શો પર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. હાલમાં જ શોના 12 વર્ષ અને 3000 એપિસોડ પૂરા થયા હતા. જોકે શોમાં દિશા વાકાણીના ગયા બાદ દયાબેનના પાત્રમાં કોઈ દેખાયું નથી. બીજી તરફ નેહા મહેતા પણ શો છોડવાના છે તેવી ચર્ચા ચાલી રહી છે.

Read Next Story