એપશહેર

એકતા કપૂરે કરાવ્યો ફૂડ એલર્જી ટેસ્ટ, આ શાક ખાવાથી તકલીફ થતી હોવાનું બહાર આવ્યું

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ટીવી ક્વીન એકતા કપૂર ખૂબ ચર્ચામાં હતી. તેના પર સુશાંતને કામ ના આપવાના અને એક્ટરના નામે મેન્ટલ હેલ્થ માટે ફંડ એકઠું કરવાના આરોપ લાગ્યા હતા. જો કે, હવે એકતા અંગત કારણસર ચર્ચામાં છે.

TIMESOFINDIA.COM 31 Aug 2020, 11:48 am
ટીવી ક્વીન અને જાણીતી પ્રોડ્યુસર એકતા કપૂરે હાલમાં જ એક ટેસ્ટ કરાવ્યો છે. જેના વિશે તેણે ફેન્સને જાણકારી આપી છે. એકતા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે. જેમાં તેના હાથ પર સોયના નિશાન જોઈ શકાય છે.
I am Gujarat eekta food allergy
એકતા કપૂરે કરાવ્યો ફૂડ એલર્જી ટેસ્ટ


પેથોલોજી લેબમાં જઈને એકતા કપૂરે ફૂડ એલર્જી ટેસ્ટ કરાવ્યો હતો. જે બાદ રિપોર્ટ આવ્યો કે તેને ફ્લાવર/ફુલેવરની એલર્જી છે. ફ્લાવર/ફુલેવર એવું શાક છે જે લગભગ અઠવાડિયે એકવાર તો બધાના ઘરે બનતું જ હોય છે. આવા સૌથી કોમન શાકભાજીની એલર્જી સોપ ક્વિન એકતા કપૂરને છે.

ફૂડ એલર્જીનો ટેસ્ટ કરાવ્યો



એકતા કપૂરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેના હાથની તસવીરો શેર કરી હતી. જેમાં લખ્યું હતું, 'ફૂડ એલર્જીનું ટેસ્ટિંગ...IBSની તકલીફ છે...જો કોઈ બીજાને પણ હોય તો આ ઉકેલ શોધવાનો સારો ઉપાય છે.' ઉલ્લેખનીય છે, IBS એટલે ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ. જેમાં પેટમાં દુઃખાવો, પેટ ફુલી જવું, ગેસ, ઝાડા અથવા કબજિયાત વગેરે જેવી સમસ્યા થાય છે. આ લાંબાગાળા સુધી રહેતી બીમારી છે.

જણાવી દઈએ કે, હાલમાં જ એકતા કપૂરના ઘરે ગણપતિ વિસર્જન થયું હતું. જેમાં ટીવી ઈન્ડસ્ટ્રીના તેના મિત્રો હાજર રહ્યા હતા. આ સિવાય એકતા કપૂર સુપરનેચરલ શો 'નાગિન 5'ના લીધે પણ ચર્ચામાં છે. આ શોમાં સુરભી ચાંદના, મોહિત સેહગલ અને શરદ મલ્હોત્રા લીડ રોલમાં છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો