એપશહેર

યૂઝરે સુશાંતના કેસથી દૂર રહેવાની આપી સલાહ, હિના ખાને જવાબ આપતાં કહ્યું...

સુશાંત સિંહ રાજપૂત કેસમાં હિના ખાન પહેલાથી જ પોતાનો મત વ્યક્ત કરતી આવી છે. તેની એક ફેને તેને આ કેસથી દૂર રહેવાની સલાહ આપી છે. ત્યારે એક્ટ્રેસે તેને જવાબ આપ્યો છે.

I am Gujarat 3 Sep 2020, 12:51 pm
સુશાંત સિંહ રાજપૂત કેસમાં અત્યારસુધીમાં ઘણા સેલેબ્સ પોતાના મત વ્યક્ત કરી ચૂક્યા છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં ટીવી એક્ટ્રેસ હિના ખાને પણ સુશાંતના કેસ વિશે વાત કરી હતી. હિનાએ રિયા ચક્રવર્તીને સપોર્ટ આપતાં કહ્યું હતું કે, લોકો આટલી જલ્દી સારાંશ સુધી ન પહોંચે. સીબીઆઈ તપાસ કરી રહ્યું છે, કેટલાક લોકો રિયા ચક્રવર્તી પર આરોપો લગાવીને તેના કરિયરની ખરાબ કરી શકે છે, જેના કારણે તે ક્યારેય કોઈનો સામનો કરી શકશે નહીં.
I am Gujarat hina khan-ssr


હિના ખાનના ટ્વીટનો સ્ક્રીનશોટ




હિના ખાનના આ નિવેદન બાદ તેની એક ફેને આ કેસથી દૂર રહેવાની સલાહ આપી છે. ફેને ટ્વીટ કરીને કહ્યું કે, હિનાએ આ વિશે કંઈ પણ કોમેન્ટ કરવાથી બચવું જોઈએ. ઈશા નામની એક ફેને ટ્વીટ પર લખ્યું છે કે, 'અમે તમારા ઉદ્દેશને સારી રીતે જાણીએ છીએ. તેમ છતાં આ મામલામાં કોઈ પણ કોમેન્ટ કરવાથી બચો. અમે જાણીએ છીએ કે તમને ટ્રોલર્સથી કોઈ ફરક પડતો નથી, પરંતુ તમારા ફેન્સને ખરાબ લાગે છે, જ્યારે તમને લોકો ટાર્ગેટ કરે છે'.

જેને હિના ખાને જવાબ આપતાં લખ્યું છે કે, 'હું હમેશા સત્યની સાથે ઉભી રહું છુંમ અને હું ઈચ્છું છું કે મારા ફેન્સ પણ સત્ય માટે મારા સાથે ઉભા રહે. જો આપણને એકબીજા પર વિશ્વાસ છે તો આપણે આ ટ્રોલ્સથી બિલકુલ ન ડરવું જોઈએ. મેં હંમેશા મારો પોઈન્ટ ઓફ વ્યૂ રાખ્યો છે અને આગળ પણ રાખીશ. કોઈપણ પ્રકારના ડર વગર કારણે સત્ય તમને તાકાત આપે છે. જય હિંદ'.

સુશાંત સિંહ રાજપૂતનું નિધન થયું ત્યારથી હિના ખાન આ કેસમાં નિવેદન આપતી આવી છે. તેણે સુશાંતને ન્યાય મળે તે માટે એક દિવસના રોઝા પણ રાખ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો