એપશહેર

‘મને લાગે છે ચિન્ટુજી પાછા આવી રહ્યા છે’, ફરાહ ખાને થનારા દાદી નીતૂ કપૂરને કહી હૃદયસ્પર્શી વાત

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર માતા-પિતા બનવાના છે. આલિયા ભટ્ટે આ જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. ફેન્સ, પરિવારના લોકો તેમજ ઈન્ડસ્ટ્રીના લોકો તેમને શુભકામનાઓ આપી રહ્યા છે. તાજેતરમાં જ રિયાલિટી શૉના શૂટિંગ દરમિયાન ફરાહ ખાને આ બાબતે પ્રતિક્રિયા આપી છે. ફરાહ ખાને નીતૂ કપૂરને જણાવ્યું કે, કદાચ ઋષિ કપૂર બાળક સ્વરુપે પાછા આવી રહ્યા છે.

Edited byZakiya Vaniya | TNN 2 Jul 2022, 4:45 pm
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ફેન્સ અત્યારે ઘણાં ખુશ છે. 14 એપ્રિલના રોજ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્નના બંધનમાં બંધાયા હતા. અને હવે બીજા ખુશીના સમાચાર ત્યારે મળ્યા જ્યારે આલિયા ભટ્ટે તે ગર્ભવતી હોવાની જાણકારી શેર કરી. આ વાત સામે આવ્યા પછી સમગ્ર કપૂર અને ભટ્ટ પરિવાર ચર્ચામાં છે. પરિવારના લોકો અને મિત્રો શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને પોતાની આતુરતા વ્યક્ત કરી રહ્યા છે. આટલુ જ નહીં, રણબીર કપૂરના માતા નીતૂ કપૂરને પણ ચારેબાજુથી શુભકામનાઓ મળી રહી છે. તાજેતરમાં જ એક રિયાલિટી શૉમાં સ્પેશિયલ ગેસ્ટ બનીને આવેલી ફિલ્મમેકર ફરાહ ખાને પણ રણબીર-આલિયાના આવનારા બાળક માટે એવી વાત કહી કે લોકોને ખૂબ પસંદ આવી.
I am Gujarat farah khan


નીતૂ કપૂર અત્યારે ડાન્સ રિયાલિટી શૉના જજ તરીકે જોવા મળી રહ્યા છે. આ શૉમાં ફરાહ ખાન સ્પેશિયલ ગેસ્ટ તરીકે જોવા મળી હતી. મેકર્સે એક પ્રોમો પણ શેર કર્યો છે. પ્રોમોમાં જોઈ શકાય છે કે, હોસ્ટ કરણ કુન્દ્રા નીતૂ કપૂરને દાદી બનવા માટે શુભકામનાઓ પાઠવી રહ્યો છે. નીતૂ કપૂર પણ હાથ જોડીને તમામ લોકોનો આભાર વ્યક્ત કરે છે. નીતૂ કપૂર જણાવે છે કે, મારા માટે આના કરતા મોટી ખુશી કોઈ નથી.

View this post on Instagram A post shared by ColorsTV (@colorstv)

કરણ કુન્દ્રા જણાવે છે કે, નીતૂજી દાદી બનવાના છે. તમને અમારા તમામ લોકો તરફથી શુભકામનાઓ. આ સાંભળીને નીતૂ કપૂર સૌનો આભાર માને છે. ફરાહ ખાને ત્યારપછી નીતૂ કપૂરને જે વાત કહી તે ખરેખર હૃદયસ્પર્શી હતી. ફરાહ ખાન કહે છે કે, મને લાગી રહ્યું છે ચિંટુ જી(ઋષિ કપૂર) પાછા આવવાના છે. આ સાંભળીને નીતૂ કપૂર પણ ભાવુક થઈ જાય છે અને તેની વાત સાથે સહમત થાય છે.

Sonam Kapoorએ સૌથી પહેલા મમ્મીને આપી હતી પ્રેગ્નેન્સીની ખબર, જાણીને Anil Kapoorની આંખમાં આવ્યા હતા ખુશીના આંસુ
નોંધનીય છે કે 30 એપ્રિલ 2020ના રોજ ઋષિ કપૂર આ દુનિયા છોડીને જતા રહ્યા હતા. તે કેન્સરની બીમારીનો શિકાર હતા. તેમણે વિદેશ જઈને પણ સારવાર કરાવી હતી. પરંતુ તે જીવન સામેનો જંગ હારી ગયા હતા. તેમના મૃત્યુ પછી નિતૂ કપૂરે પોતાને વ્યસ્ત કરવા માટે અભિનયમાં વાપસી કરી છે. તાજેતરમાં જ રીલિઝ થયેલી ફિલ્મ જુગ જુગ જિયોમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તે રિયાલિટી શૉમાં પણ જોવા મળી રહ્યા છે.

આલિયા ભટ્ટની વાત કરીએ તો તે અત્યારે પ્રેગ્નેન્સી એન્જોય કરી રહી છે અને સાથે જ અપકમિંગ હોલિવૂડ ફિલ્મ માટે શૂટ પણ કરી રહી છે. આ આલિયા ભટ્ટનો પ્રથમ હોલિવૂડ પ્રોજેક્ટ છે. રણબીર કપૂર સાથેની તેની બ્રહ્માસ્ત્ર રીલિઝ થવાની છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ રણબીર અને આલિયા એકબીજાથી નજીક આવ્યા હતા અને તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.

Read Next Story