એપશહેર

આજકાલ ઘણાં વ્યસ્ત છે ‘તારક મહેતા’, TMKOC છોડ્યા પછી હવે શું કરી રહ્યા છે શૈલેષ લોઢા?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢાએ શૉને અલવિદા કહી દીધું છે. મેકર્સે મનાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે પાછા આવવા માટે તૈયાર નથી. શૉ છોડ્યા પછી તે ઘણાં વ્યસ્ત થઈ ગયા છે. તે લાઈવ શોમાં ભાગ લઈ રહ્યા છે. આ સિવાય તેમણે શાન, અનુપ જલોટા, શંકર મહાદેવન સહિતના સિંગર્સ સાથેની તસવીરો પણ શેર કરી છે.

Edited byZakiya Vaniya | TNN 12 Jun 2022, 9:17 am
પાછલા 14 વર્ષથી ટેલિવિઝન પર ચાલી રહેલા કોમેડી પ્રોગ્રામ તારક મહેતા કા ઉલટા ચશ્માની મોટી ફેન ફોલોવિંગ છે. મોટી સંખ્યામાં લોકો આ સીરિયલ જોતા હોય છે. આમ તો પાછલા 14 વર્ષમાં અનેક પાત્રો નવા આવ્યા, અનેક બદલાયા, પરંતુ પાછલા થોડા સમયમાં શૉના અમુક ખાસ સભ્યો અલવિદા કહીને જઈ રહ્યા છે. દિશા વાકાણીના શૉ છોડ્યા પછી હજી તેમના સ્થાને કોઈને રિપ્લેસ કરવામાં નથી આવ્યા. તેવામાં તાજેતરમાં જ જેઠાલાલના પરમ મિત્ર તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાએ પણ સીરિયલ છોડવાનો નિર્ણય લીધો છે. જો કે પ્રાપ્ત જાણકારી અનુસાર, પ્રોડ્યુસર અસિત મોદી શૈલેષ લોઢાને પાછા લાવવાનો ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તે માની નથી રહ્યા. તેમણે પ્રોડ્યુસરનો ફોન પણ ઉપાડવાનો બંધ કરી દીધો છે. શૈલેષ લોઢાનું પાત્ર એવુ હતું જેમને ગોકુલધામ સોસાયટીના સમજદાર લોકોમાંથી એક માનવામાં આવતા હતા. મુશ્કેલીના સમયમાં જેઠાલાલ હંમેશા મહેતા સાહેબને ફોન કરતા હતા.
I am Gujarat shailesh lodha


શૈલેષ લોઢા 14 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ભાગ હતા. હવે જ્યારે તેમણે સીરિયલ છોડી દીધી છે તો તે ફેન્સને મળી રહ્યા છે. લાઈવ ઈવેન્ટ્સ કરી રહ્યા છે અને પોતાની કવિતાઓથી લોકોનું મનોરંજન કરી રહ્યા છે. શૈલેષ લોઢા પોતાની અપડેટ્સ સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા રહે છે. તેમણે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે તે કોર્પોરેટ ઈવેન્ટમાં પહોંચ્યા છે. જ્યારે તે બહાર નીકળ્યા તો ફેન્સે તેમને ઘેરી લીધા હતા.

TMKOCના ફેન્સ માટે વધુ એક ચોંકાવનારા સમાચાર, શૈલેષ લોઢા પછી ‘ટપ્પુ’ રાજ અનડકટે પણ શૉને કહ્યું અલવિદા!

શૈલેષ લોઢા અત્યારે ઘણાં વ્યસ્ત હોય તેમ લાગી રહ્યું છે. તે અલગ અલગ સિંગર્સ સાથે મુલાકાત કરી રહ્યા છે. તેમણે સિંગર શાન સાથે પણ મુલાકાત કરી હતી, જેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સિવાય તેમણે ભજન સમ્રાટ અનૂપ જલોટા સાથે પણ તસવીર શેર કરી હતી. તેમણે લખ્યું કે, અનૂપજીની ઉર્જા અને હાસ્ય બન્ને અદ્દભુત છે. એક સફળ કાર્યક્રમ પછી સંયોગથી યાત્રા પણ સાથે થઈ તો આનંદ બમણો થઈ ગયો.

View this post on Instagram A post shared by Shailesh Lodha (@iamshaileshlodha)

શૈલેષ લોઢા પબ્લિક ઈવેન્ટ્સની સાથે સાથે પોતાના નવા પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહ્યા છે. તેમને નવા શૉ મળ્યા હોવાની જાણકારી મળી છે, જેના કારણે તેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને બાય-બાય કહી દીધું છે. શૈલેષે સુરતમાં એક જનસભા દરમિયાન પણ પોતાની કવિતાઓથી લોકોને મનોરંજન પૂરું પાડ્યુ હતું. તેમણે તસવીર શેર કરીને લખ્યુ હતું, આ કોઈ રાજકીય રેલીની તસવીર નથી, હિન્દી કવિતાની તાકત છે. આ વિશાળ સમૂહ તે શ્રોતાઓનો છે, જે કાલે રાતે સુરતમાં એક શામ શૈલેષ લોઢા કે નામ પ્રોગ્રામમાં કવિતાઓ સાંભળવા એકત્રિત થયો હતો.

Read Next Story