આજથી 10 દિવસના ગણેશોત્સવની શરૂઆત થઈ છે. કોરોના મહામારી વચ્ચે પણ મુંબઈમાં ગણેશોત્સવની ધૂમ છે. દર વર્ષે મુંબઈમાં સેલિબ્રિટીઝથી માંડીને સામાન્ય લોકો બાપ્પાને વાજતેગાજતે પોતાના ઘરે લઈને આવે છે. ત્યારે આ વખતે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને બાપ્પાની પધરામણી કરાવી રહ્યા છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના આત્મારામ તુકારામ ભીડે એટલે કે એક્ટર મંદાર ચંદાવરકરે પોતાના ઘરે સ્થાપેલા ગણેશજીની ઝલક બતાવી છે.
મંદાર ચંદાવરકરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર 2018માં પોતાના ઘરે લાવેલા ગણપતિના ડેકોરેશનની ઝલક બતાવી છે. રસપ્રદ વાત તો એ છે કે, ગણપતિની સ્થાપના માટે જે ડેકોરેશન કરવામાં આવ્યું હતું તે ગોકુલધામ સોસાયટીનું હતું. મતલબ કે, ગણપતિજીની મૂર્તિ પાછળ આખી ગોકુલધામ સોસાયટી જોવા મળી રહી હતી. સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કાલ્પનિક પાત્રો જે સોસાયટીમાં રહે છે તે ગોકુલધામનું નાનકડું મોડલ ડેકોરેશન માટે ઉપયોગમાં લીધું હતું.
મંદારે ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરતાં લખ્યું, "મારા ઘરે લાવેલા ગણપતિની ઝલક. 2018માં જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ 10 વર્ષ પૂરા કર્યા ત્યારે હું ગોકુલધામ સોસાયટીને મારા ઘરે લઈ આવ્યો હતો." ઉલ્લેખનીય છે કે, મંદાર ચંદાવરકર લગભગ દરેક વર્ષે પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરે છે. અગાઉના ગણેશોત્સવની તસવીરો પણ વાયરલ થયેલી છે.
મંદાર ચંદાવરકરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર 2018માં પોતાના ઘરે લાવેલા ગણપતિના ડેકોરેશનની ઝલક બતાવી છે. રસપ્રદ વાત તો એ છે કે, ગણપતિની સ્થાપના માટે જે ડેકોરેશન કરવામાં આવ્યું હતું તે ગોકુલધામ સોસાયટીનું હતું. મતલબ કે, ગણપતિજીની મૂર્તિ પાછળ આખી ગોકુલધામ સોસાયટી જોવા મળી રહી હતી. સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કાલ્પનિક પાત્રો જે સોસાયટીમાં રહે છે તે ગોકુલધામનું નાનકડું મોડલ ડેકોરેશન માટે ઉપયોગમાં લીધું હતું.
મંદારે ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરતાં લખ્યું, "મારા ઘરે લાવેલા ગણપતિની ઝલક. 2018માં જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ 10 વર્ષ પૂરા કર્યા ત્યારે હું ગોકુલધામ સોસાયટીને મારા ઘરે લઈ આવ્યો હતો." ઉલ્લેખનીય છે કે, મંદાર ચંદાવરકર લગભગ દરેક વર્ષે પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરે છે. અગાઉના ગણેશોત્સવની તસવીરો પણ વાયરલ થયેલી છે.