એપશહેર

મિ.સોઢીએ છોડ્યો 'તારક મહેતા...' શો, હવે આ એક્ટર ભજવશે રોલ?

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ ગઈકાલે 12 વર્ષ પૂરા કર્યા. આ 12 વર્ષ દરમિયાન ઘણા કલાકારોની શોમાં એન્ટ્રી થઈ અને ઘણાની એક્ઝિટ. હવે રોશન સિંહ સોઢીનો રોલ પ્લે કરનાર એક્ટર ગુરુચરણ સિંહે શોને અલવિદા કહ્યું હોવાનું સામે આવ્યું છે.

TIMESOFINDIA.COM 29 Jul 2020, 3:47 pm
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં મિ. રોશન સિંહ સોઢીનો રોલ પ્લે કરનાર એક્ટર ગુરુચરણ સિંહે શો છોડ્યો હોવાના સમાચાર થોડા સમય પહેલા વહેતા થયા હતા. જો કે, શોના મેકર્સે આ ન્યૂઝને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, તે હજુ પણ શોનો ભાગ છે. જો કે, નજીકના સૂત્રોએ અમારા સહયોગી ETimes Tvને જણાવ્યું છે કે, ગુરુચરણે શો ક્યારનો છોડી દીધો છે અને લોકડાઉન બાદ શરુ થયેલા શૂટિંગમાં તે આવી રહ્યો નથી.
I am Gujarat gurucharan singh


ETimes Tvને તેવી પણ જાણ થઈ શકે છે, શોના મેકર્સ રોશન સિંહ સોઢીનો રોલ પ્લે કરી શકે તેવા એક્ટરને શોધી રહી છે. અને આ માટે ફિલ્મ 'દિલ તો પાગલ હૈ'ના એક્ટર બલવિંદર સિંહ સુરીનો અપ્રોચ કરવામાં આવ્યો છે. 'દિલ તો પાગલ હૈ'માં બલવિંદરે શાહરુખ ખાનના ફ્રેન્ડનો રોલ પ્લે કર્યો હતો જો બધું ઠીક રહ્યું તો તે શો કરી શકે છે.

ગુરુચરણે શો છોડ્યો હોય તેવું પહેલીવાર નથી. એક્ટરે 2008થી 2013 સુધી 'તારક મહેતા...'માં કામ કર્યું હતું. બાદમાં 2013માં પ્રોડ્યૂસર સાથે કંઈક વિવાદ થતાં તેણે શો છોડી દીધો હતો. જો કે, એક વર્ષ બાદ તેને શોમાં પરત લાવવામાં આવ્યો હતો.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટેલિવિઝન પર લાંબા સમયથી પ્રસારિત થઈ રહેલા શોમાંથી એક છે. 28 જુલાઈએ સીરિયલે 12 વર્ષ પૂરા કર્યા હતા. જેને લઈને તેને કલાકારોએ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી હતી.

આ સિવાય તેમણે સેટ પરથી તેમની યાદગીરી અને ક્રેઝી ફેન મોમેન્ટ્સ પણ શેર કર્યા હતા. TMKOCની ટીમે થોડા દિવસ પહેલા જ સેફ્ટી ગાઈડલાઈન્સનું પાલન કરતાં શોનું શૂટિંગ શરુ કર્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો