સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈની ટીમ કરી રહી છે, આ કેસમાં દિવંગત એક્ટરની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી મુખ્ય આરોપી છે. સીબીઆઈ અત્યારસુધીમાં બે વખત એક્ટ્રેસની પૂછપરછ કરી ચૂકી છે અને આજે ફરી એકવાર તેની પૂછપરછ કરશે. સુશાંતના કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે અને રિયા પર પણ ઘણા આરોપો લાગ્યા છે. ત્યારે ટીવી એક્ટ્રેસ હિના ખાન તેના સપોર્ટમાં આવી છે. હિના ખાન ટેલિવુડની એક એવી એક્ટ્રેસ છે જે કોઈપણ મુદ્દા પર વાતચીત કરતાં ખચકાતી નથી.
'જલેબી' એક્ટ્રેસ સામે ચાલી રહેલા મીડિયા ટ્રાયલ અંગે હિના ખાને એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરી હતી. અને તેણે કહ્યું કે, દરેકે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને તપાસ કરવા દેવી જોઈએ અને સારાંશ સુધી પહોંચે તેની રાહ જોવી જોઈએ. તેને તેમ પણ લાગે છે કે આરોપો લગાવીને લોકો રિયાના કરિયરને હંમેશ માટે ખતમ કરી શકે છે જેના કારણે તે ક્યારેય કોઈનો સામનો કરી શકશે નહીં.
વધુમાં તેણે કહ્યું કે, દરેક વ્યક્તિ સુશાંતને ન્યાય મળે તે માટેની લડાઈ લડી રહી છે, પરંતુ આ રીતે ન થવું જોઈએ. છેલ્લા કેટલાક અઠવાડિયાથી દરેક ન્યૂઝ ચેનલ સુશાંત સિંહ રાજપૂત મોત કેસની તપાસ વિશે વાત કરી રહી છે. તેના કહેવા પ્રમાણે, મીડિયાએ હંમેશા બેલેન્સ્ડ વ્યૂ રાખવો જોઈએ.
સુશાંતના પિતા કે.કે. સિંહે પટનામાં રિયા ચક્રવર્તી અને તેના પરિવાર સામે તેમના દીકરાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવતી ફરિયાદ નોંધાવી છે. સીબીઆઈ સિવાય ઈડી અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો પણ આ કેસમાં તપાસ કરી રહ્યું છે.
'જલેબી' એક્ટ્રેસ સામે ચાલી રહેલા મીડિયા ટ્રાયલ અંગે હિના ખાને એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરી હતી. અને તેણે કહ્યું કે, દરેકે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને તપાસ કરવા દેવી જોઈએ અને સારાંશ સુધી પહોંચે તેની રાહ જોવી જોઈએ. તેને તેમ પણ લાગે છે કે આરોપો લગાવીને લોકો રિયાના કરિયરને હંમેશ માટે ખતમ કરી શકે છે જેના કારણે તે ક્યારેય કોઈનો સામનો કરી શકશે નહીં.
વધુમાં તેણે કહ્યું કે, દરેક વ્યક્તિ સુશાંતને ન્યાય મળે તે માટેની લડાઈ લડી રહી છે, પરંતુ આ રીતે ન થવું જોઈએ. છેલ્લા કેટલાક અઠવાડિયાથી દરેક ન્યૂઝ ચેનલ સુશાંત સિંહ રાજપૂત મોત કેસની તપાસ વિશે વાત કરી રહી છે. તેના કહેવા પ્રમાણે, મીડિયાએ હંમેશા બેલેન્સ્ડ વ્યૂ રાખવો જોઈએ.
સુશાંતના પિતા કે.કે. સિંહે પટનામાં રિયા ચક્રવર્તી અને તેના પરિવાર સામે તેમના દીકરાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવતી ફરિયાદ નોંધાવી છે. સીબીઆઈ સિવાય ઈડી અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો પણ આ કેસમાં તપાસ કરી રહ્યું છે.