પોપ્યુલર ટીવી શો’કસૌટી જિંદગી કી 2’માં મિસ્ટર બજાજનો રોલ પ્લે કરનાર કરણ સિંહ ગ્રોવર શોમાં પરત ફરશે કે કેમ તે અંગે સસ્પેન્સ યથાવત્ છે. કરણે થોડા સમય પહેલા શો છોડ્યો હતો અને ટીમે પણ તેને ફેરવેલ પાર્ટી આપી હતી. જો કે બાદમાં સામે આવેલા કેટલાક રિપોર્ટ પ્રમાણે શોમાં ટ્રેક ચેન્જ કરવા માટે કોમોલિકાની એન્ટ્રી કરવામાં આવી જ્યારે મિસ્ટર બજાજની એક્ઝિટ. પણ જો આ ટ્રેક કામ નહીં કરે તો કરણ સિંહ શોમાં પરત ફરશે. એક્ટરના શોમાંથી જતાં રહેવાથી તેના ફેન્સ પણ નિરાશ થયા હતા. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: પરંતુ કરણ સિંહ ગ્રોવરના ફેન્સ માટે એક ગુડ ન્યૂઝ છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે એક્ટર ટૂંક સમયમાં જશોમાં પરત ફરશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, કરણ કમબેક કરશે. તે મિસ્ટર બજાજ બની ફરી પ્રેરણાની લાઈફમાં એન્ટ્રી લેશે. આ વખતે તેમના રિલેશનશિપમાં ફેરફાર જોવા મળશે. જો કે તેની વાપસી પર મેકર્સ અને એક્ટર તરફથી પણ કોઈ ઔપચારિક નિવેદન સામે આવ્યું નથી. શોમાંથી બ્રેક લીધા બાદ આપેલા ઈન્ટરવ્યૂમાં કરણે કહ્યું હતું કે, ‘હું શોના રાઈટરનો આભાર માનું છું કે તેમણે મારા રોલને આટલી સારી રીતે લખ્યો. એક એક્ટર તરીકે ઘણુ બધું શીખવાની તક મળી. તમને જાણ થાય તે પહેલા જ હું શોમાં પરત ફરીશ. એકતાના પ્રોજેક્ટનો ભાગ બન્યો તે વાતની ખુશી છે’. સીરિયલની વાત કરીએ તો મિસ્ટર બજાજની એક્ઝિટ બાદ પણ અનુરાગ અને પ્રેરણા એક થઈ શક્યા નહીં. જે દિવસે બંનેના લગ્ન હતા તે દિવસે અનુરાગ ગાયબ થઈ જાય છે અને બે મહિના બાદ પરત ફરે છે ત્યારે તેની યાદશક્તિ ગુમાવી બેઠો હોય છે. અનુરાગે કોમોલિકા સાથે લગ્ન કરી લીધા છે.