ટેલિવિઝનની સ્મોલ સ્ક્રીન પરનો સૌથી વિવાદાસ્પદ શો બિગ બોસ વ્યક્તિની અંદર રહેલી ખરાબ અને સારી વાતો બહાર લાવે છે. કન્ટેસ્ટન્ટ્સ ઘણીવાર બિગ બોસના ઘરમાં તેમના જીવનની અજાણી વાતો ખોલીને રાખી દે છે અથવા તેવી વાતો કહે છે જે તેમના દિલની ખૂબ જ નજીક હોય છે. બિગ બોસ 14ના ઘરમાંથી આઉટ થયેલો કન્ટેસ્ટન્ટ જાન કુમાર, કે જે સિંગર કુમાર સાનુનો દીકરો છે, તેણે પણ ઘરમાં તેના પિતા સાથેના રિલેશનશિપ અંગે કબૂલાત કરી હતી. જે બાદ ઘણી ચર્ચા જાગી હતી.
એક એપિસોડમાં, જાને એક્ટ્રેસ જાસ્મિન ભસીન સાથે વાત કરતાં કહ્યું હતું, કે તેના પિતાએ તેની માતાને કોઈ બીજી સ્ત્રી માટે છોડી દીધી હતી અને તે પણ ત્યારે જ્યારે તે છ મહિનાની પ્રેગ્નેન્ટ હતી. તેની માતા જ તેના માટે માતા તેમજ પિતા છે. તેમણે જ તેને એકલા હાથે ઉછેરીને મોટો કર્યો છે. તેણે તેમ પણ કહ્યું હતું કે, શોમાં પ્રવેશતા પહેલા તેને તેની માતાની હેલ્થને લઈને ખૂબ ચિંતા થતી હતી.
જે બાદ કુમાર સાનુએ કહ્યું હતું કે, તેઓ હંમેશા તેમના બાળકોની મદદ માટે સાથે ઉભા રહ્યા છે.
હાલમાં, અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ જાન સાથે વાતચીત કરી હતી અને બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા બાદ શું તેના પિતા સાથેના સંબંધોમાં સુધારો આવ્યો કે કેમ તેમ પૂછ્યું હતું. જેનો જવાબ આપતાં તેણે કહ્યું કે, તેમની વચ્ચેના સંબંધો જેમ દરેક પુત્રના તેના પિતા સાથેના હોય તેવા છે.
જાને કહ્યું કે, 'એવી ગેરસમજણ હતી કે, મને મારા પિતા તરફથી ઘણી મદદ મળી રહી છે કારણ કે તેઓ એક જાણીતા સિંગર છે. હું તે ગેરસમજણને દૂર કરવા માગતો હતો. મને મોટેથી સત્ય બોલવામાં ડર લાગતો નથી'.
તો, બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા બાદ શું તે તારા પિતા સાથે વાત કરી? તેમ પૂછતાં તેણે કહ્યું કે, 'મારે આ વિશે મારા પિતા સાથે વાત કરવાની બાકી છે કારણ કે અમને તક મળી નથી. પરંતુ આખરે તેઓ મારા પિતા છે અને વિવાદોનો ઉકેલ પણ આવી જશે કારણ કે અમે પરિવાર છીએ', તેમ જાને કહ્યું.
એક એપિસોડમાં, જાને એક્ટ્રેસ જાસ્મિન ભસીન સાથે વાત કરતાં કહ્યું હતું, કે તેના પિતાએ તેની માતાને કોઈ બીજી સ્ત્રી માટે છોડી દીધી હતી અને તે પણ ત્યારે જ્યારે તે છ મહિનાની પ્રેગ્નેન્ટ હતી. તેની માતા જ તેના માટે માતા તેમજ પિતા છે. તેમણે જ તેને એકલા હાથે ઉછેરીને મોટો કર્યો છે. તેણે તેમ પણ કહ્યું હતું કે, શોમાં પ્રવેશતા પહેલા તેને તેની માતાની હેલ્થને લઈને ખૂબ ચિંતા થતી હતી.
જે બાદ કુમાર સાનુએ કહ્યું હતું કે, તેઓ હંમેશા તેમના બાળકોની મદદ માટે સાથે ઉભા રહ્યા છે.
હાલમાં, અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ જાન સાથે વાતચીત કરી હતી અને બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા બાદ શું તેના પિતા સાથેના સંબંધોમાં સુધારો આવ્યો કે કેમ તેમ પૂછ્યું હતું. જેનો જવાબ આપતાં તેણે કહ્યું કે, તેમની વચ્ચેના સંબંધો જેમ દરેક પુત્રના તેના પિતા સાથેના હોય તેવા છે.
જાને કહ્યું કે, 'એવી ગેરસમજણ હતી કે, મને મારા પિતા તરફથી ઘણી મદદ મળી રહી છે કારણ કે તેઓ એક જાણીતા સિંગર છે. હું તે ગેરસમજણને દૂર કરવા માગતો હતો. મને મોટેથી સત્ય બોલવામાં ડર લાગતો નથી'.
તો, બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા બાદ શું તે તારા પિતા સાથે વાત કરી? તેમ પૂછતાં તેણે કહ્યું કે, 'મારે આ વિશે મારા પિતા સાથે વાત કરવાની બાકી છે કારણ કે અમને તક મળી નથી. પરંતુ આખરે તેઓ મારા પિતા છે અને વિવાદોનો ઉકેલ પણ આવી જશે કારણ કે અમે પરિવાર છીએ', તેમ જાને કહ્યું.