એપશહેર

કરણવીરે કુશલ પંજાબીના બદલે લખ્યું કુશાલ ટંડનનું નામ, એક્ટરે કહ્યું 'હું મર્યો નથી'

કરણવીર બોહરાએ સ્યૂસાઈડ પ્રિવેન્શન પહેલની શરુઆત કરી છે. જેના વિશે તેણે ટ્વિટર પર જાણ કરી હતી. જો કે, ટ્વીટમાં તેણે ભૂલથી દિવંગત એક્ટર કુશલ પંજાબીના બદલે કુશાલ ટંડનને ટેગ કરી દીધો હતો.

TIMESOFINDIA.COM 12 Sep 2020, 12:15 pm
ટીવી એક્ટર કરણવીર બોહરાએ પોતાના દિવંગત ફ્રેન્ડ કુશલ પંજાબીના નામ પર સ્યૂસાઈડ પ્રિવેન્શન પહેલની શરુઆત કરી છે. આ પહેલ વિશે ટ્વિટર પર વાત કરતાં એક્ટરે ભૂલથી કુશલ પંજાબીના બદલે એક્ટર કુશાલ ટંડનને ટેગ કરી દીધો હતો.
I am Gujarat karanvir bohra wrongly tags kushal tandon instead of the late actor kushal punjabi
કરણવીરે કુશલ પંજાબીના બદલે લખ્યું કુશાલ ટંડનનું નામ, એક્ટરે કહ્યું 'હું મર્યો નથી'


કુશાલ ટંડનની ટ્વીટનો સ્ક્રીનશોટ




કુશાલ ટંડનનું ધ્યાન જતાં તેણે તરત જ કરણવીર બોહરાની ટ્વીટનો જવાબ આપ્યો હતો અને સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, તેણે ખોટા અકાઉન્ટને ટેગ કરી દીધું છે. તેણે લખ્યું કે, 'હું જીવતો છું મર્યો નથી'.

કરણવીર બોહરાની ટ્વીટનો સ્ક્રીનશોટ



'નાગિન' એક્ટર કરણવીર બોહરાએ પોતાની પહેલ વિશે જણાવતાં લખ્યું હતું કે, 'ખુશ છું કે મેં અને રીના જબરાને સ્યૂસાઈડ પ્રિવેન્શન ડે પર નવી પહેલની શરુઆત કરી. હું #KushalTondonને ખૂબ પ્રેમ કરતો હતો. હું #ChetanHansraj અને @MeetBrosHarmeetનો પણ આભાર માનવા માગું છું. અમે આવું કંઈક શરુ કરવાનું નક્કી કર્યું અને અમે #SuicideAwarness માટે અમારા ભાગનું કામ કરી રહ્યા છીએ'.

કરણવીર બોહરાની ટ્વીટનો સ્ક્રીનશોટ



જે ટ્વીટનો જવાબ કુશાલ ટંડને આપતા અને પોતાની ભૂલ સમજાતા કરણવીર બોહરાએ તરત જ માફી માગી હતી. તેણે કહ્યું કે, 'સોરી સોરી ભાઈ. લખવામાં ભૂલ થઈ ગઈ. હું તને પણ પ્રેમ કરું છું અને આ વાત તું સારી રીતે જાણે છે'. જો કે, ત્યાં સુધી કરણવીરની ટ્વીટ વાયરલ થઈ ગઈ હતી અને તેના ફ્રેન્ડે તેને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું હતું.

કરણવીર બોહરાની ટ્વીટનો સ્ક્રીનશોટ



અર્જુન બિજલાનીએ કરણવીરને પોતાની ભૂલ સમજાવતા લખ્યું કે, 'તારો અર્થ હતો કુશલ પંજાબી'. તો કરણવીરે જવાબ આપ્યા લખ્યું કે, 'હરામીઓ અર્જુન બિજલાની, કુશાલ ટંડન અને નિકિતન ધીર મને છોડી દો. મેં સોરી કહ્યું ને. આ મેં ભૂલથી લખી દીધું હતું'.

અગાઉ અમારા સહયોગી ETimes TVને આપેલા ઈન્ટરવ્યૂમાં કરણવીર બોહરાએ પોતાના બે મિત્રો સુશાંત સિંહ રાજપૂત અને કુશલ પંજાબીને ગુમાવ્યાના દુઃખ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, 'હું સુશાંતને અંગત રીતે જાણતો હતો, પરંતુ હું તેની ક્લોઝ નહોતો. અમે પાર્ટીઓમાં એકબીજાને મળતા હતા. હું અન્ય મિત્રોથી તેને ઓળખતો હતો, તેમ છતાં કોઈ નજીકનું વ્યક્તિ ગયું હોય એટલું દુઃખ લાગી રહ્યું છે. કુશલ પંજાબી અને હું એકબીજાની ખૂબ ક્લોઝ હતા અને તેણે પણ જીવન ટૂંકાવી દીધું. આ દુઃખદાયી છે'.

કુશલ પંજાબીએ 26 ડિસેમ્બર, 2019ના દિવસે આપઘાત કર્યો હતો અને તે સ્યૂસાઈડ નોટ પણ મૂકતો ગયો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો