એપશહેર

‘કસૌટી ઝિંદગી કી’ પછી ક્યાં અને કેમ ગાયબ થઈ ગયો હતો ‘અનુરાગ બાસુ’? સિઝેન ખાને કર્યો ખુલાસો

ટીવીની લોકપ્રિય સીરિયલ કસૌટી ઝિંદગી કીના પાત્રો અનુરાગ અને પ્રેરણા આજે પણ લોકોને યાદ છે.આ પાત્ર ભજવીને ઘરઘરમાં ઓળખ મેળવનાર સિઝેન ખાન સીરિયલ પતી પછી ગાયબ થઈ ગયો હતો. સિઝેન ખાન હવે અપનાપન નામની ટીવી સીરિયલ સાથે કમબેક કરી રહ્યો છે. સિઝેન ખાને જણાવ્યું કે તેણે કેમ એક્ટિંગ છોડી દીધી હતી અને આટલા વર્ષો શું કામ કર્યું?

Authored byZakiya Vaniya | TNN 19 Feb 2022, 1:12 pm
ટીવીની લોકપ્રિય સીરિયલ કસૌટી ઝિંદગી(Kasautii Zindagi Kay)ના પાત્રો આજે પણ લોકોને યાદ હશે. પ્રેરણા અને અનુરાગની આ સ્ટોરી લોકોને તે સમયે ખૂબ પસંદ આવતી હતી. અનુરાગ બાસુનો રોલ કરનાર સિઝેન ખાન હવે ફરી એકવાર ટીવી પર દેખાશે. તે નવા શૉ અપનાપનથી નવી શરુઆત કરવા જઈ રહ્યો છે. આ શૉની સ્ટોરી પણ પતિ-પત્ની અને બાળકોની આસપાસ ફરતી જણાશે. આ પહેલા સિઝેનને રુબિના દિલૈકની સીરિયલ શક્તિમાં જોવામાં આવ્યો હતો. ટીવી સીરિયલથી લોકપ્રિયતા મેળવનાર અભિનેતાનું કહેવું છે કે તે પોતે વધારે ટીવી શૉ નથી જોતા. કારણકે તેમને વધારે સમય નથી મળતો.
I am Gujarat cezanne khan


સિઝેન ખાને જણાવ્યું કે મને મારા કામથી ઘણો પ્રેમ છે, પરંતુ હું વધારે શૉ નથી જોઈ શકતો. તે જણાવે છે કે, મને ટીવી શૉ જોવાનો સમય ક્યાકેય નથી મળ્યો. માટે, ટીવી પર શું સારું આવી રહ્યું છે અને શું ખરાબ તેના પણ હું ટિપ્પણી નથી કરી શકતો. અને જ્યારે મેં ઘણાં વર્ષો પહેલા કસૌટી ઝિંદગી કીમાં કામ કર્યુ હતું, ત્યારે પણ હું ટીવી શૉ નહોતો જોતો. મને ખબર છે કે અનુપમા અથવા કુંડલી ભાગ્ય એવા શૉ પ્રસારિત થઈ રહ્યા છે, પરંતુ મને તેની સ્ટોરી નથી ખબર. હું મારા મનોરંજન માટે અંગ્રેજી ફિલ્મો જોવાનું પસંદ કરુ છું. ટીવી સીરિયલમાં મને રસ નથી. હું પોતે તેમાં કામ કરુ છું, અભિનય કરુ છું તો પણ.

Gehraiyaanના શૂટિંગ વખતે ગોવામાં હતો Ranveer Singh, Deepika-Siddhantએ ઈન્ટીમેટ સીન માટે માગી હતી મંજૂરી?
પોતાના અપકમિંગ શૉ વિશે અભિનેતાએ જણાવ્યું કે તે આ સીરિયલમાં એક ધનિક વ્યક્તિનું પાત્ર ભજવવાનો છે. જેની પાસે પોતાના પરિવાર માટે બિલકુલ સમય નથી. તે માત્ર પોતાના કામ પર ફોકસ કરવા માંગે છે. પાત્ર વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે, આ શૉ એ બાબતે છે કે કેવી રીતે માતા-પિતાએ પોતાના બાળકોના ઉછર માટે એકસમાન ભૂમિકા ભજવવી જોઈએ. મારું કેરેક્ટર એવું છે જે પોતાની કારકિર્દીમાં ઘણો વ્યસ્ત રહે છે.

સંગીતને કોઈ સરહત નથી નડતી! આતિફ અસ્લમે દુબઈમાં લતા મંગેશકરને આપી સંગીતમય શ્રદ્ધાંજલિ, લોકોની આંખો છલકાઈ
સિઝેન જણાવે છે કે, કસૌટી ઝિંદગી કી પૂરું થયા પછી મને ઘણી ઓફર મળી પણ તે સારી નહોતી. હું કંઈક અલગ કરવા માંગતો હતો, પરંતુ એ પ્રકારની ઓફર મને ક્યારેય ન મળી. માટે મેં મારા જીવનને એક અલગ પદ્ધતિથી જીવવાનો નિર્ણય લીધો. મેં એક્ટિંગને કારકિર્દી તરીકે વિચારવાનું બંધ કરી દીધું અને અલ્લાહના કરમથી મેં ઈનવેસ્ટમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને દુનિયા ફરવાની શરુઆત કરી. મેં મારા જીવનના પ્રત્યેક દિવસને એન્જોય કર્યો. મને ક્યારેય એવુ ના લાગ્યું કે મને કામની જરુર છે. મને ખુશી છે કે મેં ટીવી પર કમબેક કરવાનો નિર્ણય લીધો, અને મને રસપ્રદ ઓફર પણ મળી. મેં હંમેશા પ્રત્યેક દિવસ સારી રીતે જીવવામાં વિશ્વાસ કર્યો. હું કોઈ પણ વસ્તુથી ભાગવામાં વિશ્વાસ નથી રાખતો.

Read Next Story