એપશહેર

KBC 11: અમિતાભ બચ્ચનની સામે રડી પડી એક દીકરાની મા, કહ્યું, 'મારો દીકરો...'

મિત્તલ ઘડિયા | I am Gujarat 3 Sep 2019, 12:42 pm
કૌન બનેગા કરોડપતિની 11મી સીઝનમાં અમિતાભ બચ્ચન સામે આજે હોટ સીટ પર કન્ટેસ્ટન્ટ અર્પિતા યાદવ બેસવાની છે. અર્પિતા યાદવ દેખાવમાં જેટલી સામાન્ય લાગી રહી છે તેની રિયલ લાઈફની સ્ટોરી પણ એટલી ખાસ છે. કેબીસી 11ના નવા એપિસોડ પ્રોમોમાં અર્પિતાએ બિગ બીની સામે પોતાની રિયલ લાઈફ વિશે માહિતી આપી છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
 View this post on Instagram On 3rd September Ms. Arpita Yadav from Jaipur, a special educator, will take to the hot seat. Here’s an exclusive preview of the episode. Watch her inspiring story on #KBC on 3rd September at 9 PM @amitabhbachchanA post shared by Sony Entertainment Television (@sonytvofficial) on Sep 1, 2019 at 6:53am PDT
કૌન બનેગા કરોડપતિની કન્ટેસ્ટન્ટ અર્પિતા યાદવ દિવ્યાંગ બાળકોને ભણાવે છે. જયપુરથી આવેલી અર્પિતાનું જીવન ઘણું સંઘર્ષભર્યું રહ્યું. તેણે બિગ બીને જણાવ્યું કે, ‘આજે હું જે કંઈ પણ છું તે મારા ગુરુ અને દીકરાના કારણે છું. આજે હું હોટ સીટ સુધી પહોંચી છું પરંતુ જ્યારે મારા દીકરાનો જન્મ થયો ત્યારે મને લાગ્યું હતું કે આ શું થઈ ગયું? આવું કેમ થયું? મેં ભગવાન પાસે આવું કંઈ તો નહોતું માગ્યું’અર્પિતા યાદવની આ વાત સાંભળીને અમિતાભ બચ્ચન પોતે પણ ચોંકી જાય છે કે એક મા આમ કેમ કહી શકે. બાદમાં આગળ અર્પિતા આ વિશે વાત કરતાં કહે છે કે દીકરો જન્મતા તેના રિએક્શન આવા કેમ હતા. કેબીસી 11ની કન્ટેસ્ટન્ટ જણાવે છે કે, ‘મારો દીકરો નિર્ભય નોર્મલ નહોતો. તેને જોયા બાદ મેં કહ્યું હતું કે મેં આવું કંઈ માગ્યું નહોતું. દીકરાને જોયા બાદ મને મારા પર, ભગવાન પર અને સમાજની દરેક વ્યક્તિ પર ગુસ્સો આવતો હતો. એક જ સવાર વારંવાર મનમાં આવતો હતો કે મારી સાથે જ આવું શું કામ થયું? મારો દીકરો નિર્ભય દિવ્યાંગ છે અને તેની બીમારીનો કોઈ ઈલાજ નથી’.અર્પિતા યાદવની વાતો સાંભળીને ત્યાં ઉપસ્થિત દરેક લોકો ભાવુક થઈ ગયા હતા. અર્પિતાએ આગળ કહ્યું કે, ‘તેની લાઈફનો થોડો જ સમય બાકી છે. મેડિકલ પ્રમાણે તે 20 વર્ષથી વધારે જીવી શકશે નહીં અને એક મા તરીકે આ મારીથી સહન થાય તેવું નથી. મેં હાર માની નથી, તેના માટે હું બધા સામે લડી રહી છું અને આજે પણ મને મારા દીકરા પર ગર્વ છે’.કૌન બનેગા કરોડપતિમાં અર્પિતા યાદવની સ્ટોરી સાંભળીને અમિતાભ બચ્ચન પણ ભાવુક થઈ જાય છે. બાદમાં તેઓ અર્પિતા યાદવ જે કંઈ પણ કરી રહી છે તેને બિરદાવે છે.

સાસુ-વહુની સીરિયલોની હવે આમાં થઈ રહ્યું છે ટ્રાન્સફોર્મેશન?

લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો