એપશહેર

'કસૌટી...'માં કોમોલિકાનું કમબેક, મિ. બજાજ સાથે મળીને રોકશે પ્રેરણા-અનુરાગના લગ્ન!

શિવાની જોષી | I am Gujarat 21 Jun 2019, 11:46 am
જાણીતી ટીવી સીરિયલ ‘કસૌટી જિંદગી કી 2’ના આગામી એપિસોડમાં ઘણા બધા ટ્વિસ્ટ આવવાના છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, શોમાં કોમોલિકા એટલે કે દર્શકોની ફેવરિટ હિના ખાનની ફરીથી એન્ટ્રી થવાની છે. આ વખતે કોમોલિકા અનુરાગ-પ્રેરણાનું જીવન નરકથી પણ બદ્દતર બનાવવા માટે ખતરનાક પ્લાનિંગ કરીને આવી છે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો જે ફેન્સ કોમોલિકાના જવાથી નિરાશ હતા તેમના માટે આ ખબર ડબલ ખુશી લઈને આવી છે. શોમાં અનુરાગ અને પ્રેરણાના લગ્ન રોકવા માટે કોમોલિકા મિસ્ટર બજાજની મદદ લેશે. બંને અનુરાગ-પ્રેરણાના લગ્નમાં મુશ્કેલીઓ ઊભી કરશે. ગત એપિસોડમાં મિસ્ટર બજાજને કોઈ મહિલા સાથે વાત કરતા બતાવાયા હતા. માનવામાં આવી રહ્યું છે કે આ બીજું કોઈ નહીં કોમોલિકા છે! જેણે અનુરાગની કંપનીના જરૂરી દસ્તાવેજો મિસ્ટર બજાજને સોંપ્યા છે. હવે આગામી એપિસોડમાં ખુલાસો થઈ જ જશે કે તે મહિલા ખરેખર કોમોલિકા હતી કે બીજું કોઈ. ‘કસૌટી જિંદગી કી 2’માં થોડા દિવસ પહેલા જ મિસ્ટર બજાજની એન્ટ્રી થઈ છે. આ આઈકોનિક રોલ હેન્ડસમ એક્ટર કરણસિંહ ગ્રોવર નિભાવી રહ્યો છે. હવે શોમાં કરણની એન્ટ્રીથી ટીઆરપીમાં કેટલો ઉછાળો આવશે તે જોવાનું રસપ્રદ રહેશે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો